SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૦ શ્રી જૈન સત્ય પ્રકાશ [ ક્રમાંક ૧૦૦–૧–૨ શકારી વિક્રમાદિત્યનાં નવ રત્ના વિક્રમે ઉજ્જૈનની ગાદી ઈ. સ. પૂર્વે ૩૯ માં ૧૮ વષઁની વયે હાથ કરી હતી, અને શક રાજાને મેટી હાર આપી હતી. શક+અરિ, એટલે શકલાને દુશ્મન, શલાકાને હરાવનાર. વિક્રમ એ વખતથી શકારિ વિક્રમાદિત્યના નામે પ્રસિદ્ધિ પામ્યા. વિક્રમે શકાને હરાવ્યા બાદ કાશ્મિર પણ જીત્યું હતું એમ માલમ પડે છે. વિક્રમસંવત્ ૨૩ માં રચાયેલ “જ્યેાતિવિદાભરણુ” નામના ગ્રંથમાં, વિક્રમની રાજ્યસભાના કવિ કાલિદાસ તરફથી, વિક્રમની ઋદ્ધિ વિષે જે વિગતો અપાઈ છે તે ઉપરથી જણાય છે કે વિક્રમ પાસે ત્રણ કરાડનું પાયદળ (લશ્કર), એક કરાડનું ધાડેસ્વાર લશ્કર, ચાર લાખનું નૌકાદળ (લશ્કર) અને ૨૪૩૦૦ હાથી હતા. વિક્રમની રાજ્યસભામાં ૮૦૦ માંડલિક રાજાએ બિરાજતા હતા અને અતિવિદ્વાન પડિતા તરીકે નવ રત્ના પ્રસિદ્ધ હતાં. એ નવ રત્નેનાં નામ આ પ્રમાણે છે: (૧) સુશ્રુતસહિતાના રચનાર સુશ્રુતના ગુરુ મહાન વૈદ્યરાજ ધન્યતરી, (૨) વિક્રમ સવત્સર સ્થાપન કરવાની પ્રેરણા કરનાર મહાન જૈનાચાય શ્રી સિદ્ધસેનદિવાકર, (૩) અમરકાશના કર્તા શ્રી અમરસિંહ, (૪) નાચશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના પ્રાચીન સખ્યાબંધ ગ્રન્થામાં પ્રમાણભૂત મનાયેલ શકું, (૫) સંગીતવિદ્યાગુરુ વૈતાલ ભટ્ટ, (૬) કવિ ધટક†,(૭) મહાન કવિ કાલિદાસ, (૮) પ`સિદ્ધાંતિકાના રચનાર વરામિહિર અને (૯) રાજગુરુ વચિ. વિક્રમના સમયની ફાળગણના Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમના સમયને વિષે મેટા મતભેદ છે. તે વિષે આ લેખની શરૂઆતમાં જણાવવામાં આવ્યું છે. એ રાજાના સંવત્સરની સ્થાપના કેવી રીતે થઇ ? એ પ્રશ્ન સાથે સંબંધ છે. વિક્રમ રાજાએ અનેક દુઃખીએાનાં દુ:ખ દૂર કર્યાં અને પેાતાના રાજ્યમાં કાઇ કરજદાર માણુસ ન રહે તે માટે તેણે કરાડે રૂપિઆ દુ:ખી લેાકેાને આપી, તેએના કરજમાંથી તેમને મુક્ત કરાવ્યા હતા, એવી વાતા, વિક્રમને લગતા ણા ગ્રન્થામાંથી મળી આવે છે. એ ઉદારતા બતાવવામાં શ્રી સિદ્ધસેન દિવાકર નામના આચાર્યનું નામ પણ વિક્રમ સાથે ખેડાયેલું છે, તે વિષે આ લેખમાં કેટલીક હકીકત હવે પછી અપાશે. પણ સિવાય બીજી કેટલીક બાબતો પણ આ વાતની સાખીતીમાં મળી આવે છે. વૈતાળ પચ્ચીસી'' “સિંહા સન બત્રીસીની વાર્તા,” “ખત્રીસ પુતળીની વાર્તા,” વગેરે પુસ્તકા, પચાસ વર્ષો અગાઉ ગુજરાતની પ્રજામાં લેપ્રિય ગ્રન્થા તરીકે વંચાતા હતાઃ એ પુસ્તકામાં વિક્રમ રાજાના પરદુઃખભંજન સ્વભાવની સંખ્યાબંધ વાર્તાઓ આપવામાં આવી છે. રાજા વિક્રમ, પેાતાના રાજ્યકાળની શરૂઆતમાં, શૈવધમ માં આસ્થા ધરાવતા હતા અને દેવીભક્ત પણ હતા, પણુ પાછળથી, જૈન ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામેલા મહાન જૈનાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરને તેને ભેટા થતાં, તે જૈનધર્મીમાં આસ્થા ધરાવતા થયા હતા. કાળગણના આ વાત સાથે જૈનધર્માંતે અને વિક્રમના સંવત્સરને સંબધ ાવાથી, વિક્રમના કાળ કયેા અને સંવત્સરની સ્થાપના કયારે થઈ, તે વિષે કેટલાક પૂરાવા અત્રે આપવાની જરૂર છે. શ્રી જિનપ્રભસૂરિએ રચેલ ‘“વિવિધતીર્થકલ્પ''માં, શ્રી રાજશેખરસૂરિએ રચેલા પ્રબંધકોષ’માં અને ‘પ્રભાવકચરિત્ર’માં, શ્રી હેમચંદ્રાચાય રચિત “ પરિશિષ્ટ પર્વ”માં, શ્રી હરિભદ્રસૂરિરચિત “ શ્રી આવશ્યક ખૂહવૃત્તિ”માં, વિક્રમ શા, શૈવધમ છેડો જૈન C For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy