________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
૧૫૪]
શ્રી જેન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ ખારવેલ ગદભિલ છે એમ માનવા માટે ગર્દભિલ ઉપર જે દુષ્ટતા સેવ્યાનો આરોપ છે તે એના ઉપર આવે છે, સિવાય કે એ કોઈ બીજો ગર્દભિલ્લ હોય. જે તેમ ન હોય તે જૈનધર્મી ખારવેલ સાધીનું હરણ કરે એ મનાય તેમ નથી. વળી એ કલિંગાધિપતિ, નહિ કે માળવાધિપતિ છે. વિશેષમાં એનું નામઠામ જૈન ગ્રંથોમાં ભાગ્યે જ જોવાય છે, તો પછી એના જીવનવૃત્તાન્તની હકીકત-દંતકથાઓ તો એમાં હોય જ શાની ? આવી સ્થિતિમાં હું એને પ્રસ્તુત કમાહિત્ય ગણતો નથી.
એઝીઝ એ પરદેશી રાજા છે, એણે માળવા પર રાજ્ય કર્યું નથી, એ “શકારિ નથી અને એણે પિતે વિક્રમ સંવત ચલાવ્યાની કોઈ માન્યતા નથી એટલે એ પણ આ દાષ્ટએ વિક્રમાદિત્ય હોઈ શકે નહિ.
- એલેકઝાન્ડરની માફક દેશ જીતવાના અને એ માટે લડાઈઓ લડવાના કડવાળા કનિકનું એના સૈનિકોને હાથે મરણ થયાનું કહેવાય છે એટલે જ એ હકીકત સાચી હોય તે એ લેકપ્રિય બન્યો હોવાની શંકા રહે છે, અને એ ખૂબ દૂર ઉત્તર હિન્દમાં હતો એટલે ભૌગોલિક દષ્ટિએ માળવામાં એને સંવત ચાલે એ બનવું મુશ્કેલ હતું અને તે પણ કશાન. વંશી હોઈ અન્યને સંવત પ્રવર્તાવે એ તે નવાઈ જેવું ગણુય. વળી એ રાજ શ્રદ્ધધમાં હતો એટલે જે એ વિક્રમાદિત્ય હેત તે એની પછી રચાયેલા કેઈક બેંદ્ધિ ગ્રંથમાં તે એને એ પ્રમાણે નિર્દેશ હોત, પણ તેમ ક્યાં છે? આથી આવાં કારણે વિચારતાં કનિષ્ક પ્રસ્તુત વિક્રમાદિત્ય સંભવતો નથી. (૧૭) આજથી બે હજાર વર્ષ પૂર્વે કઈ વિશિષ્ટ બનાવ બન્યો હોવો જોઈએ કોઈ અપૂર્વ
વિજય કોઈ રાજાને કે પ્રજાને મળ્યો હોવો જોઈએ કે જેના સ્મારક તરીકે આ નવું વર્ષ ૨૦૦૦ મું ગણાય છે. ગમે તેમ છે ભારતવર્ષની ઓછામાં ઓછા ૨૦૦૦ વર્ષ થયાં ચાલી આવતી સંસ્કૃતિનું આ સ્મારક છે, હિન્દની અખંડ ભાવનાનું આ ઘાતક છે, જૈન અને વૈદિક સંપ્રદાયનું આ સંગમ-સ્થાન છે અને માનવતાનું એ પ્રતીક છે.
જેમ સાંબેલા ગોઠવાતા હોય અને કદાચ કઈક નવા આવનારા હોય એવા સમયને નીકળતે વરઘડે એ વરઘોડાનું સંપૂર્ણ કે અંતિમ સ્વરૂપ નથી તેમ ભારતીય પ્રાચીન ઇતિહાસ હજી ઘડાય છે–આલેખાય છે–એની સામગ્રીઓ હજી પૂર્ણતયા પ્રાપ્ત થઈ નથી અને જેટલી થઈ છે તે પણ અંતિમ સ્વરૂપમાં શિલાલાબંધ રૂપે રજૂ થઈ નથી. આથી અત્યારે વિક્રમ સંવતના પ્રવર્તક અમુક જ છે એમ નિર્વિવાદપણે પ્રતિપાદન કરવું એ સાહસ છે અને તેમાં પણ જ્યારે મને કેટલાંક૭૮ અદ્યતન સાધને અહીં મળી શકયાં નથી ત્યારે તેમ કરવા હું તૈયાર ન હોઉં એ દેખીતી વાત છે એટલે આગળ ઉપર એ મળશે તો આ સંબંધમાં વિશેષ વિચાર કરવાની આશા રાખતો હું વિરમું છું. એમ. ટી. બી કૅલેજ, સુરત : તા. ૧૫-૧૨-૪૩
છ૭ Advanced History of India (પૃ. ૧૯૭)માં કહ્યું છે કે આ અઝીઝનો પિતા મોગ જેને Mon અને Mones પણ કહે છે તે હિન્દમાં રાજય કરનાર પહેલે શક–પલવ છે. એ મોગે ઇ. સ. પૂર્વે ૧૨૦ ની આસપાસમાં યવનોની પાસેથી પુષ્કલાવતી લઈ લીધી હતી.
૭૮ દાખલા તરીકે મરાઠી સહ્યાદ્રિના ગત ઑકટોબરનો અંક, Journal of Indian History Vol. XXXI, parts 1-3 Hitlers
The Genealogy, and Chronology of the Early Imperial (jupts 11721 લેખ અને એની પ્રત્યાચનારૂપ જગન્નાથને લેખ નામે Some Historical illusions તેમજ આ લેખમાં અન્યત્ર નાંધેલી અનુપલબ્ધ સામગ્રી.
For Private And Personal Use Only