SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ એટલે કે-ગૌતમીપુત્ર શાતકર્ણએ શકોને જીત્યા તેની યાદમાં માલવગણે માલવસંવત ચલાવ્યો, અને બીજા ચંદ્રગુપ્તના સમયથી તે જ માલવસંવત્ વિક્રમ સંવત બને. વળી કુંતલ સાતષ્ણએ શકાને ત્યાં તેની યાદમાં શાલીવાહન સંવત-શકસંવત્ ચાલ્યા. –(૧ ધી જર્નલ ઓફ ધી બી. એન્ડ એ. રીસર્ચ સોસાયટીના ૧૯૫૦ ના પુ. ૧ ભા. ૩-૪. ૨. હિન્દુ પિલીટી. ૩ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની પ્રસ્તાવના ) પરંતુ શ્રીમાન જયસ્વાલજીની આ માન્યતા પણ સચેટ રૂપે પકડી શકે તેમ નથી; તેના વિરુદ્ધમાં ઘણી દલીલ છે, જેમકે – * કઈ માને છે કે આ શાતકણ ઈ. સ. ની પહેલી સદીમાં થયો. ૧૫ બીજાઓ માને છે કે તે ઈ. સ. પૂર્વની પહેલી બીજી સદીમાં થયો.૧૬ આમ તેના સમય માટે પણ વિવાદ ઊભે જ છે.૧૭ નાલાસોપારાના સ્તૂપમાંથી મળી આવેલ સિક્કાઓ તથા તેની ઈટો અને નાસિકની ગુફામાં રાણી બલશ્રીએ કરાવેલ લેખના આધારે પણ તેને રાજ્યકાળ વિશેષ સંશોધન માગી લે છે. . નરવાહન તે ભરુચનો રાજા હતા. ભરુચને અને ઉજજયિનીને લાગેવળગે શું? આંધ્રપતિ પેઠમાં ગાદી રાખે, ત્યાંથી ભરૂચ નરેશને છતે અને ઉજજૈનમાં માલવસંવત કે વિક્રમ સંવત ચાલુ થાય તે પણ બંધ બેસી ન શકે એવી માન્યતા છે. રાણી બલશ્રીએ પિતાના પૌત્ર ગૌતમીપુત્ર શાતકણને દક્ષિણપથપતિ તરીકે જ ઓળખાવેલ છે, અને તેણે શક યવન પલ્હાઝ વગેરેને મારી નાખ્યા તથા ક્ષહરાટોનું નિકંદન કાઢી નાખ્યાનું લખ્યું છે. જેને સમય વિદ્વાનોએ ઈ. સ. ૭૮ માં મૂકે છે. બીજા ચંદ્રગુપ્ત પહેલાં પણ વિક્રમાદિત્યના ઉલ્લેખ છે. તેણે ગુપ્તસંવત ચલાવેલ છે, જે વાતો આપણે બીજા ચંદ્રગુપ્તના પ્રસંગમાં જણાવી ગયા છીએ. - હવે શકસંવતની વાત લઈએ તે શકસંવતનો પ્રયોગ પંચસિદ્ધાંતિકામાં પણ છે, જ્યારે શાલિવાહન સંવતનો ઉલ્લેખ તે વિ. સં. ૧૪૧૦ પછી થી જ મળે છે. વળી શકના પરાજયમાં શકારિ સંવત નહીં પણ શકસંવત ચાલે એ પણ વિચિત્ર કલ્પના છે. આંધ્રપતિથી વિક્રમસંવત્ પ્રવર્યો હોય તે તે દક્ષિગમાં પણ ચાલવો જોઈએ, જયારે ત્યાં તો શકસંવતની જ પ્રધાનતા છે એટલું જ નહીં પણ વિક્રમ સંવત તો ત્યાં અપરિચિત જેવો જ છે. વિક્રમને સમકાલીન કેાઈ સાતવાહન હોય તો તેને હિસાબે એટલું બની શકે ખરું કે-વિક્રમે માળવામાંથી શોને હરાવ્યા હોય અને શાલિવાહને દક્ષિણમાંથી શોને હરાવ્યા ૧૫ ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ કહે છે કે કેટલાક વિદ્વાનોના મતે દક્ષિણપથપતિ ગૌતમીપુત્ર શાતકણ એ શકે ને છત્યા તે નિમિત્ત, અને બીજાઓના મતે તે જીત્યા પછી પુનઃ પઠણમાં રાજગાદી સ્થાપી તે ખુશાલીમાં શાલિવાહન-શકસંવતની પ્રવૃત્તિ થઈ. (પ્રાચીન ભારતવર્ષ, ભા. ૪ પૃ. ૧૦૭). ૧૬ શ્રીરાતના સિક્કાઓ અને મૂર્તિઓ મળે છે જેના અક્ષરે ઈસુની પૂર્વે બીજી સદીના છે (પ્રાચીન મુદ્રા પૃ. ૨૧૭). ૧૭ કેમ્બ્રિજ હિસ્ટરી ઑફ ઇન્ડિયા પુ. ૧ પૃ. ૧૬૮ માં, ખારવેલના શિલાલેખમાં મૌર્ય સંવત ૧૬૯ નો આંક છે એમ માનીને રાજા ખારવેલ તથા પ્રવેશી શાતકણીને સમય ઈ. સ. પૂર્વે ૧૬૯ માં સ્થાપે છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy