SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ શિશુક ૧૦ વિક્રમ-વિશેષાંક ] સમ્રાટ વિક્રમાદિત્ય [ ૧૧૯ આંધ્રુવંશની રાજાવલી મત્સ્યપુરાણ અ. ર૭૩થક ૧ થી ૧૬માં નીચે મુજબ મળે છે– નામ વર્ષ | નામ, છે. વર્ષ } નામ ૨૩ મૃગેન્દ્રસ્થાતિ કર્ણ ૩ | શિવસ્વાતિ કુષ્ણુજાતા ૧૮ | કુન્તલસ્વાતિકર્ણ ૮ | ગૌતમીપુત્ર મલકણું સ્વાતિકર્ણ ૧ | પુલોમા પૂર્ણ સંગ રિક્તકણું ૨૫ | શિવશ્રીપુલોમા શાતકર્ણ પ૬ | હાલ શિવધ શાંતિકર્ણ લઓદર ૧૮ | મન્દુલક ૫. યાશ્રી શાંતિકર્ણ આપીતક ૧૨ ] પુરીન્દ્રસેન ૧ | વિજય મેધસ્વાતિ ૧૮ | સૌમ્ય સુંદર શાંતિકર્ણ ૧ | ચંડશ્રી શાંતિકણું સ્વાતિ ૧૮ [ ચકોર શાંતિકર્ણ પુલમાં સ્કંદસ્વાતિ ઉપર લખેલ નામે અને વર્ષો માટે બીજા બીજાં પુરાણોમાં ઘણે ફરક છે. પરંતુ અહીં તે સામાન્યતયા માત્ર રાજાઓનાં નામ જાણવા માટે જ આ કાષ્ટક આપેલ છે. શ્રીયુત રાખલદાસ વન્ધોપાધ્યાય જણાવે છે કે-કૃષ્ણ અને ગોદાવરીની વચ્ચેનો પ્રદેશ તે આંધ્ર દેશ છે. ત્યાંથી ૧ વાશિષ્ઠી પુત્ર પુહુમાવી, ૨ વાસિષીપુત્ર શ્રી શાતકણ, ૩ વાસિષ્ઠીપુત્ર શ્રી ચંદ્રશાંતિ, ૪ ગૌતમીપુત્ર શ્રીયજ્ઞશાતકણું અને ૫ શ્રી દ્ધશતકણું રાજાઓના નામના સિક્કાઓ મળ્યા છે, જેમાં એક તરફ મેરુ અને બીજી તરફ ઉજ્જયિનીનું ચિહ્ન છે. તે જ પ્રદેશમાંથી ૧ શ્રી ચંદ્રશાંતિ, ૨ ગૌતમીપુત્ર શ્રી યજ્ઞશાતકર્ણી, અને ૩ શ્રી રદ્ધશાતકણના સિક્કાઓ એવા પણ મળ્યા છે કે જેની ઉપર ઘોડા હાથી અને સિંહનાં ચિહ્નો છે, જેના અક્ષરો સાફ ઉકલતા નથી. વળી મધ્ય પ્રદેશમાંથી ૧ પુડુમાવી, ૨ શ્રીયજ્ઞ, ૩ શ્રીરુદ્ર અને ૪ બીજા શ્રીકૃષ્ણના પિટીન ધાતુથી બનાવેલા સિક્કાઓ મળ્યા છે, જેમાં એક આજુ હાથી અને બીજી બાજુ ઉજજયિનીનું ચિહ્ન છે. આ ઉપરાંત દક્ષિણમાં અનન્તપુર અને કડપા જિલ્લામાંથી મળેલા સિક્કાઓ ઉપર એક તરફ ઘોડે સુમેરુ અને વૃક્ષ (કલ્પવૃક્ષ હશે)નું ચિહ્ન મળે છે. - ભારતીય પ્રાચીન લિપિમાલા પૃ. ૨૧૩ થી ૨૧૫) - જૈન આગમ પૈકીના આવશ્યકસુત્રની નિયુક્તિમાં અને ટીકામાં યોગસંગ્રહ-દ્રવ્યપ્રણિધિઅધિકારમાં શાલિવાહને નરવાહનની રાજધાની ભરુચ ઉપર હુમલો કરી તે લીધું ઈત્યાદિક સૂચને છે. શ્રીયુત કાશીપ્રસાદ જાયસ્વાલ એ પુરાણ અને આવશ્યક સૂત્રની ઉક્ત ટીકાના પરિશીલન પછી જણાવે છે કે આંધ્રવંશીય ગૌતમીપુત્ર શાતકણ એ જ સાચે શકારિ છે, જેણે શકરાજા નહપાન (નરવાહન) ને અવંતીમાંથી કાઢી મૂક્યો હતો. જો કે તેણે વિક્રમ સંવત ચલાવ્યું નથી, કિંતુ માલવગણે માનવસંવત્ ચલાવ્યો હતે. વળી વિક્રમાદિત્યનું બિરુદ પણ તેને મળ્યું નથી. આ બિરુદ મેળવનાર તો મહાદાની ગુપ્તવંશીય શકવિજેતા બીજો ચંદ્રગુપ્ત જ છે. પાછળથી આંધ્રપતી શાતકણું અને બીજો ચંદ્રગુપ્ત-એ બને શકવિજેતાઓની એકતા થઈ ગઈ. આ જ રીતે એના વંશમાં ઊતરી આવેલ વિક્રમશીલ કુંતલાશાતકણએ ૧૩૫ વર્ષ પછી લોની અને મુલતાનની વચ્ચે આવેલ કરાદના મેદાનમાં શકાને સંહાર કર્યો. જે રાજાનું વર્ણન કથાસરિત્સાગરમાં મળે છે તે શાલીવાહન રાજા પણ વિક્રમાદિત્યની પદવીને પામ્યો છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy