SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમ-વિશેષાંક ] મડાનું જ્યોતિર્ધર સિદ્ધસેન દિવાકર [ ૩૦૯ નથી, વર્ણ નથી, લિંગ-ચિત નથી, જેને નથી પૂર્વત્વ કે નથી પરત્વ, તેમ જેને સંજ્ઞા નથી એવા એક પરમાત્મા જિનેન્દ્ર મારી ગતિ છે. (૪) જેના વિના લોકોને વ્યવહાર પણ સર્વથા નિવડતાં-ચાલી શકતો નથી, તે ભુવનના એક ગુરુ સમાન સ્યાદ્વાદ (અનેકાન્તવાદ)ને નમસ્કાર. (૫) શ્રી જિનવચનરૂપ ભગવાન સદા જયવંત રહો, કે જે અન્ય દર્શનેના સમૂહરૂપ છે, સુધાસદશ સ્વાદવાળું છે, તથા તેને મર્મ સમજવાને સંવેગસુખની પ્રાપ્તિ આવશ્યક છે. સિદ્ધસેન દિવાકરનું સ્વર્ગગમન-દક્ષિણદેશમાં જેનશાસનની અનુપમ પ્રભાવના કરતા, કવિઓમાં અગ્રપદને પામતા, તેઓ પ્રતિષ્ઠાન પુરમાં પધાર્યા. આ તેમને ચરમ વિહાર હતો. પિતાનું આયુષ્ય ક્ષીણ થયેલ જાણે. યોગ્ય શિષ્યને સ્વપદે સ્થાપન કરી, સર્વ જીવને ખમાવી, ચારે આહારના ત્યાગરૂપ અનશન કરી, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ સંઘને અનાથપણાનું દુઃખ પમાડતાં, મનુષ્યદેહનો ત્યાગ કરી, સ્વર્ગલોકમાં સીધાવી ગયા. સિદ્ધશ્રીને થયેલું દુ:ખ તેમનું સ્વર્ગગમન - સિદ્ધસેન દિવાકર પરલોકમાં સિધાવી ગયાના સમાચાર તેમની સંસારી અવસ્થાની ભગિની અને હાલમાં સાધ્વીપણે વિશાલા નગરમાં વિચરતી સિદ્ધથી સાધ્વીને પ્રતિષ્ઠાનપુરમાંથી આવેલ વૈતાલિક-ચારણ પાસેથી મળ્યા. આ ચારણે ગુરુસ્મરણ આવવાથી નિરાનંદ પૂર્વક શ્લેકને પૂર્વાર્ધ કહ્યો. “તિ વારિતા અને રક્ષિru અત્યારે દક્ષિણદેશમાં વાદીરૂપ આગિયાછો ફુરાયમાન થઈ રહ્યા છે. આ સાંભળતાં જ સિદ્ધથી સાધ્વીજી સ્વમતિથી અનુમાન કરી ઉત્તરાર્ધ બેલ્યાં કે-- નૂનમતા ઘાવી, તેનો વિવાદ ” ખરેખર! વાદી સિદ્ધસેન દિવાકર (સૂર્ય) અસ્ત (મૃત્યુ) પામ્યા હોય એમ લાગે છે, બાદમાં સિદ્ધથી સાધ્વીએ પણ અનશન કર્યું, અને સદ્ગતિનાં ભાગી થયાં. સિદ્ધસેન દિવાકર સંબંધી ગ્રંથસ્થ ઉલ્લેખ--શ્રી જૈન શ્વેતામ્બરાચાર્યોમાં તેમની પછીના થયેલા આચાર્યો પૈકી ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થના પ્રણેતા યાકિનીમહારાસુનુ ભગવાન હરિભદ્રસૂરીશ્વરજીએ સિદ્ધસેન દિવાકરને શ્રુતકેવલીની કટિમાં મૂક્યા છે. તપંચાનન શ્રી અભયદેવસૂરિજીએ સમ્મતિતર્કપ્રકરણ પર ટીકા રચીને સિદ્ધસેન દિવાકરસૂરિ જૈનતર્ક શાસ્ત્ર વિષયમાં સૂત્રધાર હતા, તેનું ગૌરવ સમર્થન કર્યું છે. સિદ્ધસેન બીજાએ ન્યાયાવતાર પર ટીકા રચીને અભયદેવસૂરિની માફક સિદ્ધસેન દિવાકરનું સગૌરવ સમર્થન કર્યું છે. પ્રચંડ તાર્કિક શ્રી વાદિદેવસૂરિઓ સિદ્ધસેન દિવાકરને પિતાના માર્ગદર્શક જણાવ્યા ૧++ સુવા નો મળિય आयरियसिद्धसेणेण सम्मईए पईट्ठिअजसेण । दूसम-णिसा-दिवागर कप्पतणओ तदक्खेण ॥ – હરિભદ્રસૂરિકૃત પંચવસ્તુક, ગા. ૧૦૪૮ ) २.-श्रीसिद्धसेन-हरिभद्रमुखाः प्रसिद्धा -स्ते सूरयो मयि भवन्तु कृतप्रसादा: ॥ येषां विमृश्य सततं विविधान् निबन्धान , शास्त्रं चिकीर्षति तनुप्रातभोऽपि मादृक् ॥ -ભ્યાદ્વાદરત્નાકર For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy