SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ કમાંક ૧૦૦-૧-૨ છે. એ રીતે ૨૭૦૦ વર્ષ જતાં સપ્તર્ષિઓ એક નક્ષત્રચક્રને પૂરું કરે છે. આ સંવત્સરના અકેક નક્ષત્રના હિસાબે ૧ થી ૧૦૦ સુધીના વર્ષના આંકડાઓ લખાય છે. ૧૦૦ વર્ષ પૂરાં થાય કે ફરી એકથી સંવત લખવાની પ્રથા હતી. આ સંવત્સરનો આરંભ ચિત્રથી ગણાય છે. સપ્તર્ષિ સંવતમાં ૮૧ મેળવવાથી શતાંક વગરનો ગત “ચૈત્રાદિ વિક્રમ સંવત " આવે છે, ૮૦ જોડવાથી ગત * કાર્તિકાદિ વિક્રમસંવત ” ઊભું થાય છે, ૪૬ નાખવાથી ગત શકસંવત અને ૨૪ યા ૨૫ જેડવાથી ઈસ્વી સન સંવતને શતાંક વિનાનો આંકડા આવે છે. આ સંવતના બીજા નામો “લૌકિકકાળ ' “લૌકિકસંવત ” “શાસ્ત્રસંવત્ ” અને ‘પહાડી સંવત’ વગેરે છે. શુસંવત-કલિયુગને પ્રારંભ થયો ત્યારથી ગણાય છે. વિદ્વાને આ સંવતને પ્રારંભ ઈ. સ. પૂ. ૩૧૦૨ ફેબ્રુઆરીની બીજી તારીખની સવારથી એટલે–ચે. શુ ૧ થી માને છે. ચૈત્રાદિ વિક્રમ સંવતમાં ૩૦૪૪, શકસંવતમાં ૩૧૭ અને ઈ. સ. માં ૩૧૦૧ જોડવાથી કલિસંવત આવે છે. એ પણ ઉલ્લેખ મળે છે કે પહેલાં આ સંવતનો પ્રારંભ મહા શુદિ ૧૫ ના મધ્યાહ્નથી એટલે મહા વદિ ૧ ને પ્રાતઃકાલથી મનાતે હતો. તે જ દિવસે મહાભારત યુદ્ધ સમાપ્ત થયું અને રાજા યુધિષ્ઠિરને રાજય પ્રાપ્તિ થઈ, આવી માન્યતા હોવાથી આ સંવતનાં બીજાં નામો “ભારતયુદ્ધસંવત’ અને ‘યુધિષ્ઠિર સંવત’ પણ મનાય છે. સુવિgસંવત-આ સંવત માટે વરાહમિહિર લખે છે કે ઘuિત્રક્રિયુત્તર (૨૨ૐ) રાતથ જ્ઞઢ એટલે શકસંવતમાં ૨૫૨૬ ઉમેરવાથી અને ચૈત્રાદિક વિક્રમસંવતમાં ૨૩૯૧ જેડવાથી યુધિષ્ઠિર સંવત બને છે કેટલાક વિદ્વાને વરાહમિહિરના આ મતને કલ્પિત માને છે અને મારા કલિસંવતને જ યુદ્ધકિરસંવત માને છે. યુનિવરરંવન–શામસિંહ ગૌતમ બુદ્ધના નિર્વાણુથી આ સંવત પ્રવર્યો હોય તેમ મનાય છે, પરંતુ તેને ચોક્કસ કાલ આજ સુધી નક્કી થઈ શકયો નથી. સેલન, બ્રહ્મદેશ, આસામ અને સિયામમાં વિક્રમથી ૪૮૭ વર્ષ પૂર્વે એટલે ઈ. સ. પૂ. ૫૪૪ માં બુહનિર્વાણુ મનાય છે, જ્યારે ભિન્ન ભિન્ન વિદ્વાન બુદ્ધનિર્વાણુને કાલ ઈ. સ. પૂ. ૩૮૮, ૪૭૧ થી ૪૮૩, ૪૭૭, ૪૭૮, ૪૮૧, ૪૮૨, ૪૮૩, ૪૮૭, ૫૧૮, ૫૪૪, ૬૨૮ અને ૧૦૯૭ માં માને છે. વીનિર્ણવત્ત–ભગવાન મહાવીરદેવ આસો માસની અમાસની રાત્રે છેલા બે ઘડી સમય બાકી હતો ત્યારે ૨૮ મા સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં નિર્વાણ પામ્યા ત્યારથી આ સંવતની શરૂઆત થઈ છે. એટલે આ સંવતનો પ્રારંભ કા. શુ. ૧ ના સવારથી થાય છે. વિક્રમ સં. માં ૪૭૦ વર્ષ મેળવવાથી વીરનિર્વાણસંવત આવે છે. કેમકે દિ. . ના દરેક પ્રન્થોમાં ભગવાન મહાવીરના નિર્વાણ અને વિક્રમના સમય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર આપ્યું છે. આ સંવતના પ્રાચીનમાં પ્રાચીન શિલાલે વીરસંવત ૨૭ અને ૮૪ના મળે છે, ૧–A (1) પૂર્વ છાડવૂટમૂવિ મિનઃ ર્વતઃ સદા (२) सप्तत्रिंशे च वर्षे वहति भगवतो जन्मतः कारितार्हच्च (३) श्रीदेवार्यस्य यस्योल्लासदुपलमयी नूर्णराजेन राज्ञा श्रीके (४) शी सुप्रतिष्ठः स जयति हि जिनस्तीर्थमुंडस्थलस्थः .........સંવત્ વીર જન્મ ૩૭ (६) श्री वीरजन्म ३७ श्री देवा० जा२, पुत्र x x धूकारिता (શ્રી જૈન સત્ય પ્રકાશ” ૧૯૯૩ વ. ૨. અં૪-૫). For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy