SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિક્રમ-વિશેષાંક ] મહારાજા વિક્રમાદિત્ય [ ૨૪૯ જૈનેતર ગ્રંથસ્થ ઉલ્લેખા આપણે ઐતિહાસિક જૈન ગ્રંથાના ઉલ્લેખે જોયા. હવે અજૈન ગ્રંથાનાં પ્રમાણુ જોઇએઃ ૧ ભવિષ્યપુરાણ, ૨ કથાર્સારસાગર, ૩ જ્યેાતિવિંદાભરણુ આટલા ગ્રંથાનાં પ્રમાણ હું આપું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧. ભવિષ્યપુરાણમાં ભવિષ્યવાણી તરીકે જે Àાકા આપ્યા છે તે વિચારણીય તા છે જ, ગ્રંથ પણ બહુ પ્રાચીન નથી તેમજ ભાષા પશુ શુદ્ધ નથી, છતાં જે ભવિષ્યવાણી આપી છે તેને સુટિત ઉપયેગ આપણે કરી લઇએ. 66 “અધર્મને દૂર કરવા માટે કલિયુગસ વત્ ૩૭૧૦ વર્ષ પછી'' पूर्ण त्रिंशच्छते वर्षे कलौ प्राप्ते भयंकरे " શકાના વિનાશ માટે શિવજીની આજ્ઞાથી ગંધવ સેન રાજાને ત્યાં વિક્રમને જન્મ થાય છે, તેની રક્ષા માટે વૈતાલ આવે છે, ખાર વર્ષ વિક્રમ તપ તપે છે અને તેને ખત્રીશ પૂતળામય સિંહાસન પ્રાપ્ત થાય છે. તેમજ જૈન ગ્રંથામાં અવન્તીમાં જે મહાકાલેશ્વરનું વર્ણન આવે છે તે પ્રમાણે મહાકાલેશ્વરની પૂગ્ન કરવા જતા વિક્રમને બતાવેલ છે. આમાં વિક્રમ ૠષિએની સેવા કરે છે, યજ્ઞ કરેછે અને ચલાકમાં જાય છે તેનું વષઁન છે. છેલ્લે તેના પૌત્ર શકાને જતી પોતાના દાદાનું રાજ્ય પાછું મેળવે છે તેને ઉલ્લેખ છે. ૨. કથાસરિત્સાગર—મૂળ ગુણાવે પિશાચી ભાષામાં લાખ શ્લાકની બૃહત્કથા રચેલી, આ ગુણાય, જેના નામના શક સંવત્ ચાલે છે, તે સાતવાહન રાજાની સભાના મહાકવિહતા આ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી. આ ગ્રંથના આધારે ક્ષેમેદ્ર કવિએ બૃહત્કથામંજરી લખી, તેને સંવત્ ઈ. સ. ૧૦૨૮-૧૦-૮૦ના છે. તેના આધારે આ કથાસરિત્સાગર નામને ગ્રંથ ભટ્ટ સામદેવે બનાવેલ છે તેના અઢારમાં લંબકનું નામ " विषमशीलो नामाष्टादशो હ ' છે. તેમાં જણાવ્યું છે કે; એક વાર દેવતા ઈન્દ્ર સહિત પાર્વતીપતિ પાસે જઇને કહે છે કે તમે અને વિષ્ણુએ જે રાક્ષસેા હણ્યા હતા તે અત્યારે મ્લેચ્છ રૂપે પૃથ્વી ઉપર જન્મ્યા છે. તેઓ બ્રાહ્મણાએ કરેલા યજ્જ્ઞાને ધ્વસ કરે છે, મ્લેએ આખા ભૂલાકને આક્રમિત કર્યું છે માટે તમે તેની રક્ષાના પ્રબંધ કરેા. એટલે મહાદેવ પેાતાના માલ્ય નામના ગણને અવન્તીપતિ મહેદ્રરાજની રાજરાણીની કુક્ષીએ જન્મ લેવાનું ફરમાવે છે અને યક્ષરાક્ષસ વેતાલ તેને વશ રહેરો વગેરે કહે છે. રાણીને સુંદર સ્વપ્ન આવે છે. ચેગ્ય સમયે પુત્રરત્નને જન્મ આપે છે. તે કુમારનું નામ વિક્રમાદિત્ય રાખવામાં આવે છે. વિક્રમાદિત્યને મહામતિ, ભદ્રાયુધ, અને મધર નામક ત્રણ મિત્રા છે. વિક્રમાદિત્ય ખીજના ચંદ્રતી માફક વધે છે, વિદ્યા અને કલામાં નિષ્ણાત તે છે. વિક્રમાદિત્ય યુવાન થાય છે. તેનું રાજકન્યા સાથે લગ્ન કરી રાજ્યસિદ્ધાસને સ્થાપી મહેદ્રરાજ, મંત્રી અને રાજરાણી ત્રણે કાશી જાય છે. વિક્રમાદિત્ય રાજ્ય મેળવી વેતાલ રાક્ષસાદિની સાધના કરે છે. રાજા વિક્રમાદિત્ય મહાંપ્રતાપી રાજા અને છે. r महावीरोऽप्यभूद् राजा स भीरुः परलोकतः । शूरोपि चाचण्डकरः कुभर्तापयंगनाप्रियः ॥ વિક્રમનું બીજું નામ વિષમશીલ છે. For Private And Personal Use Only
SR No.521597
Book TitleJain_Satyaprakash 1944 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1944
Total Pages244
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size120 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy