________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ]. સમ્રાટ વિક્રમાદિત્ય
[ ૧૦૯. વિક્રમની ચોથી–પાંચમી સદીના આચાર્ય છે. પરંતુ તેઓનો વાસ્તવિક સમય મેળવવા માટે તો તેઓનાં ચરિત્ર, ચરિત્રરચનાની સાલે, ગ્રંથે, તેઓના ગ્રંથની ટીકાઓ, ચર્ચાઓ અને અવતરણો વગેરે જ વિશેષ ઉપયોગી છે. માટે હવે આપણે તે તરફ વળીએ.
(૧) આ. હરિભદ્રસૂરિના પંચવસ્તુમાં આ. સિદ્ધસેન તથા સમ્મતિતને ઉલ્લેખ છે. (૨) દિ. આ. અકલંકે રાજવાર્તિક (૫–૭) અને લધીય સ્ત્રીમાં તથા આ. વિદ્યાનંદીએ કવાતિક પૃ. ૩ માં આ. સિંદ્ધસેન દિવાકરજીના ગ્રંથમાંથી પ્રેરણું વિચારે અને અવતરણે લીધાં છે. દિ. આ. સુમતિએ તો એથી આગળ વધીને “સમ્મતિતક” પર ટીકા પણ બનાવી છે. આઠમી સદીના વિદ્વાન શાંતિરક્ષિત તત્ત્વસંગ્રહ(કારિકા ૧૨૬૨, ૧૯૮૦)માં આ. સુમતિના મતની સમાલોચના કરી છે. એટલે કે આ. સુમતિ આઠમી સદી પહેલાંના છે.
(૩) છઠ્ઠી સદીના દિ. આ. પૂજ્યપાદજી જેનેન્દ્ર વ્યાકરણમાં આ. સિદ્ધસેનજીને મહાવૈયાકરણકાર તરીકે યાદ કરે છે, જેમ કે
A ના ૨ ક. ૨૬ / (કૈનેજસ્થાન) । हीनार्थ उपेन योगे इब् भवति, न गतिसंज्ञा च । उपसिंहनंदिनं कवयः । उपसिद्धसेनं वैयाकरणाः ॥
B પેન ને ૨ ક. ૨૬ છે (જેનેજિયા, . ૨૨૭). __ हीनार्थे द्योत्ये उपेन योगे इब् भवति, गतिसंशाप्रतिषेधश्च । उपसिद्धसेनं वैयाकरणाः ॥ cરે વિયેના ૧ ૨ | ૭ | (ઝેનેગ્રક્રિયા પૂ. ૬)
એટલે કે–આ. સિદ્ધસેન તે પહેલાંના આચાર્ય છે.
(૪) આ. જિનદાસ મહારે ચૂર્ણિ-ટીકાઓ બનાવી છે. તેઓની નન્દીચૂણી શકે ૫૯૮ (વિ. સં. ૭૩૩) ની રચના છે. તેઓ નિષથચૂર્ણિમાં આ. સિદ્ધસેન દિવાકર અને સમ્મતિતર્ક માટે ઉલ્લેખ કરે છે. તે આ પ્રમાણે – ___A दसणनाणप्पभावगाणि य सत्थाणि, सिद्धिविणिच्छय-सम्मतिमादि । ___B दंसणप्पभावगाण सत्थाण सम्मदियादि सुतणाणे य ।
C अथवा तिसु आइल्लेसु णिवत्तणाधिकरणं । तत्थ ओरालिये पगिदियादि पंचविधं, जं जोणिपाहुडादिणा जहा सिद्धसेनायारपण अस्सा पकता।
આ. સિદ્ધસેન દિવાકરે તે સમયના રાજાઓને સરસવ વિદ્યાથી ઘોડા બનાવી આપ્યા, એ વસ્તુ અહીં સૂચિત છે. આથી આ. સિદ્ધસેનનો સમય આ. જિનદાસજી મહારથી પૂર્વે તે ખરે જ, કિન્તુ યોનીપ્રાભત ગ્રંથને વિનાશ પહેલાં આવે છે.
દશાશ્રુતચૂર્ણિમાં પણ આ. સિદ્ધસેનજીના નામનો ઉલ્લેખ છે.
(૫) આ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કે જેઓ વી. નિ. સં. ૧૧૫૫ (વિ. સં. ૬૪૫) માં સ્વર્ગે ગયા છે તેમણે પિતાના “ વિશેષણવતી” અને “આવશ્યકભાષ્ય”માં આ. સિદ્ધસેનના ધણું વિચારી લીધા છે. અને ક્રોપયોગની ચર્ચા કરી છે. તેઓના નિશીયભાષ્યમાં
For Private And Personal Use Only