________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિકમ-વિશેષાંક ] અવન્તીપતિની ઉત્પત્તિ
[ ૨૨૯ यतः-संप्राप्ते षोडशे वर्षे, गर्दभी चाप्सरायते । સરખી વયના મિત્રોની સાથે નગર બહાર જઈ કુમાર ઘણી વખત વિવિધ પ્રકારની ક્રીડા કરતઃ કાઈ વખતે વાવ સરોવર ને કુંડમાં જલક્રીડા કરતો, તે કઈ વખત ઘેડાઓના વૃન્દ સહિત મિત્રોને સાથે લઈ અશ્વ ખેલાવ. કુમાર જ્યારે નગરમાં ફરવા નીકળતા ત્યારે નારીઓનાં ટોળેટોળાં તેના રૂપથી આકર્ષાઈ તેની પાછળ ભમ્યા કરતાં. કુમારના આગમનના સમાચાર સાંભળતાંની સાથે જ કેટલીક સ્ત્રીઓ પોતાનાં બાળકોને રડતાં મૂકી, તે કેટલીક સ્ત્રીઓ પોતાના પતિ વગેરેને પીરસવાના કાર્યને અને તેની સાથે મર્યાદાને પણ છેડીને આતુરતાથી કુમારનું રૂપ જોવા માટે દોડી જતી હતી. આ માટે પ્રબંધકાર કહે છે કે--
“તેહ કુમાર વિણ દીઠડે, દિવસ ગણે અક્યત્ય; રખે વિજોગ એ કુમરને, થાયે ફિર તિણે સત્ય. વિરમી ગૃહવ્યવહાર સવી, ફિર કુમારને કેડિ; રેતાં સુત મૂકે વલી, કાચિત દડે કેડિ. ભજન પ્રીસતી સ્વામિન, કુમરને નિસુણું સાદ
અધવચ દોડે પ્રેમરસું, મૂકી કુલમર્યાદ.” હંમેશની આ પ્રવૃત્તિથી નગરના લેકે ઘણું જ ચિત્તાતુર બની ગયા હતા. અને આ મેટો ઉત્પાત કેમ શમે ? તેને વિચાર લાગ્યા. છેવટે એક ઉપાય સૂઝી આવ્યો. અને તે એ કે મહારાજા સમક્ષ જઈ અરજ કરવી.
વાચકવૃન્દ ! તમારા મનઃસાગરમાં વિવિધ પ્રકારની શંકારૂપ તરંગે ઉછલતા હશે કે તે કયું નગર હશે ? ત્યારે રાજા કેણ હશે? અને એવો તે રાજકુમાર કોણ હશે કે જેની પાછળ આખું નગર મુગ્ધ બનેલું છે? તે ચાલે આપણે હવે તેને શોધી કાઢીએ.
જંબુદ્વીપમાં ભારતના ક્ષેત્ર છે. તેની વચ્ચે વૈતાઢય પર્વત પડેલે હોવાથી ભારતક્ષેત્રના દક્ષિણ અને ઉત્તર એમ બે વિભાગ પડેલા છે. લક્ષ્મીદેવીના નિવાસસ્થાન પદ્યકહથી નીકળતી ગંગા અને સિન્ધ નામની બે મોટી નદીઓ અને વૈતાઢ્ય દ્વારા એક ભરતક્ષેત્ર છ ખંડમાં વહેંચાયેલ છે. તેમાં પાંચ ખંડ અનાર્ય દેશ તરીકે ગણુય છે. બાકી રહેલા મધ્યખંડમાં ત્રેસઠ શલાકા પુરુષોની ઉત્પત્તિ વગેરે થાય છે. તે વૈતાદ્યપર્વત રજતને છે, શાશ્વત છે, પચીસ જોજન ઊચો અને પચાસ જોજન પહેળો છે. મૂળથી દશ જોજન ઊંચે ઉત્તર-દક્ષીણ બે મેખલાઓ છે. તેમાં ઉત્તર શ્રેણિમાં ૬૦ અને દક્ષિણ શ્રેણિમાં ૫૦ વિદ્યાધરનાં નગર છે. તે ઉત્તર શ્રેણિમાં કંચનપુર નામનું સ્વર્ગ સમાન ભાવાળું એક નગર છે. તે નગરમાં હેમરથ નામને મહાપરાક્રમી વિદ્યાધર રાજ રાજ્ય કરે છે. તેને અદ્દભુત રૂપ અને શીલાલંકારને ધારણ કરનારી હેમમાલા નામે રાણી છે. તે દંપતી સર્વ પ્રકારે સુખી હોવા છતાં, ઘણે કાળ વીતી જવા છતાં એક પુત્ર ન હોવાથી ચિન્તાતુર રહેતાં હતાં. કેટલાક સમય ગયા બાદ પુણ્યગે હેમમાલા રાણી સગર્ભા થઈ સ્વપ્નમાં તેણુએ સિંહને જે. પૂર્ણ સમય થયે, પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ, હેમમાલા રાણીએ અનેક લક્ષણોથી ભરપૂર પુત્રને જન્મ આપ્યો. " ' :
તે સમાચાર દાસીના મુખથી સાંભળી અત્યંત ખુશી થયેલા રાજાએ આખા નગરમાં
For Private And Personal Use Only