________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૩૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
धनु सु धवल भाउ जिणि पाग पयासिय, बारविसेात्तर (१२२०) वरसे जसु जसि दिसि वासिय ।
અર્થાત-“ ગૂજરાત દેશમાં શત્રુ રાજાઓને નાશ કરનાર, જિનશાસનના શણગાર કુમારપાળ રાજા હતા. તેમણે સોરઠના ઉપરી તરીકે સ્થાપન કરેલ (અને) શ્રીમાળી વંશમાં ઉત્પન્ન થયેલ અંબડે ઉપર મેટી પાજ બંધાવી અને વચમાં ( અંતરાલમાં) ધવલે પણ પરબ કરાવી. તે ધવલના ભાઇને ધન્ય છે, કે જેનો વિ. સં. ૧૨૨૦ માંપાજથી પ્રકાશિત થયેલ યશ દિશાઓમાં મઘમઘી ઊર્યો છે.”
(૩) વિ. સં. ૧૩૩૪ માં શ્રીપ્રભાચંદ્રાચાર્ય કૃત ‘ઘમાંવરિત્ર” માંના ફ્રેમચંદ્રરિરિત” માં
दुरारोहं गिरिं पद्याभावाद् दृष्ट्वा स वाग्भटम् ।
मन्त्रिणं तद्विधानाय, समादिक्षत् स तां दधौ ॥८४५ ॥ અર્થાત્ –“પાજ નહીં હોવાના કારણે પર્વત ઉપર ચઢવું મુશ્કેલીભર્યું જાણીને તેણે (મહારાજા કુમારપાળે) વાડ્મટ મંત્રીને તે બનાવવાનો આદેશ આપ્યો. અને તેણે (વાલ્સટ મંત્રીએ) તે (પાન) બનાવી.”
(૪) વિ. સં ૧૩૬૧ માં શ્રીમેરૂતુંગાચાર્ય કૃત “પ્રયંધચિંતામrમાંના તીર્થયાત્રાપ્રધ'માં
"छत्रशिलामार्ग परिहत्य परस्मिन् जीर्णप्राकारपक्षे नव्यपद्याकरणाय श्रीवाग्भटदेव આgિ : | પોપક્ષ વ્યથીતસ્ત્રિપછિન્નક્ષા : |
અર્થાત “ [મહારાજા કુમારપાળે] છત્રશિલાને માર્ગ છોડીને બીજી-જૂનાગઢની બાજૂ પર નવીન પાજ કરવાની વાટદેવને આજ્ઞા કરી. પાજમાં ત્રેસઠ લાખનું ખર્ચ કર્યું.”
(૫) વિ. સં. ૧૩૮૯ માં શ્રીજિનપ્રભસૂરિત ‘વિવિધતીર્થમાં ગિરનાર સંબંધી બીજે, ત્રીજે, ચે અને પાંચ-એમ ચાર કલ્પ આપ્યા છે. તેમાંના પહેલાં ત્રણ કલ્પમાં પાક સંબંધી કશે નિર્દેશ નથી કર્યો અને પાંચમા રિવર્તાવવમાં આ પ્રમાણે ઉલ્લેખ છે___ " चालुक्यचकिसिरिकुमारपालनरिंदसंठविअसोरठ्ठदंडाहिवेण सिरिसिरिमालकुलुब्भवेण बारससयवीसे (१२२०) विक्कमसंवच्छरे पज्जा काराविआ । तब्भावणा धवलेण अंतराले पवा भराविआ ।"
અર્થાત– “ ચૌલુકય ચક્રવર્તી શ્રી કુમારપાળ રાજાએ જેને સેરઠના ઉપરી તરીકે નિમ્યો હતો અને જે શ્રી શ્રીમાળી વંશમાં ઉત્પન્ન થયે હતો તેણે વિ. સં. ૧૨૨૦માં પાજ કરાવી, તેના ભાઈ ધવલે વચમાં પરબ બનાવી.” ( આ ઉલેખમાં “શ્રીમાલી વંશમાં ઉત્પન્ન થયેલ અને સંરકને ઉપરી’ એટલું લખ્યું છે પણ તેના નામનો નિર્દેશ નથી કર્યો.)
(૬) વિ. સં. ૧૪૨માં શ્રી જયસિંહરિકૃત “કુમારપામવારિત્ર” સર્ગ ૯મા માં- ततो मत्वा दुरारोहं, गिरि शृंखल पद्यया ।
* સિંધી જૈન ગ્રંથમાલા પ્રકાશિત આ ગ્રંથમાં આ શ્લોક ૮૪૭ મો છે, અને તેના પ્રથમ ચરણમાં “નિર’ ના બદલે ‘ગુ છપાયું છે, જે અર્થસંગતિની દૃષ્ટિએ અશુદ્ધ છે; * ’િ પડિ રાખીએ તો જ અર્થ બેસતા આવે છે.
For Private And Personal Use Only