SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૩] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ E અર્થાત–“સામંતોએ પૂછયું ત્યારે (મંત્રી ઉદયને) પિતાના અંતરમાં રહેલું ચાર પ્રકારનું દુઃખ જણાવ્યું–૧ આંબડને દંડનાયકપણું, ૨ શ્રી શત્રુંજય ઉપર પથ્થરનું જિનમંદિર ચણાવવું, ૩ શ્રી રેવતાચલ ઉપર નવીન પાજ બંધાવવી અને ૪ નિજામણું કરાવી શકે એવા ગુરુના અભાવમાં મરણ.” - (૫) વિ. સં. ૧૬૭ માં કવિ ઋષભદાસકૃત “ગુમારપાત્રરાત' પૃષ્ઠ ૨૪ માં– તવ ઉદયન બોલ્યા, મણું બીહક નહીં વીરે મુઝ મનિ એ દુઃખ છઈ આર સલ્ય સરીરે ઉધાર અપૂરવ ગિરિ ગિરનારુિં પાજે અબડ ફંડનાયક મુનિ નીઝામણાં કા. (૧૧) આમાં પણ ઉપર મુજબ ચાર વસ્તુનો જ નિર્દેશ છે. આ પાંચ ઉલ્લેખો જોતાં જણાશે કે પહેલા બીજા અને ત્રીજા-જે પ્રાચીનતમ ઉલ્લેખો છે, તેમાં ફક્ત બે જ પ્રતિજ્ઞાનો ઉલ્લેખ છે, અને એમાં ગિરનાર ઉપર પાજ બંધાવવાને કશે નિર્દેશ નથી. જ્યારે ચોથા અને પાંચમાં ઉલ્લેખમાં બે નહીં પણ ચાર પ્રતિજ્ઞાનો ઉલ્લેખ થયેલું છે, અને તેમાં ગિરનારની પાજ બંધાવવાને સમાવેશ થાય છે. પણ જ્યારે, પ્રાચીનતમ ઉલ્લેખ બે જ પ્રતિજ્ઞાનો નિર્દેષ કરે છે, મંત્રી ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા સંબંધી આ પાંચ સિવાય બીજા કોઈ ઉલ્લેખ મળતા નથી, મંત્રી ઉદયનની ઈચ્છા અનુસાર તેના પુત્ર આંબડે શકુનિકાવિહારનો ઉદ્ધાર કરાવ્યાના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે, અને ગિરનારની પાજ બંધાવાનું મુખ્ય નિમિત્ત મહારાજા કુમારપાળનું ક. સ. શ્રી. હેમચંદ્રાચાર્યની સાથે શ્રી ગિરનાર તીર્થની યાત્રાએ આવવું થયું તે સંબંધી અનેક ગ્રંથમાં અનેક સ્પષ્ટ ઉલ્લેખ (જે બધા આપણે આગળ ઉપર વિસ્તારથી જઈશું) મળે છે ત્યારે ચાર પ્રતિજ્ઞાવાળા ઉલ્લેખ કરતાં બે પ્રતિજ્ઞાવાળા ઉલ્લેખને જ વજુદવાળા માનવા જોઈએ. એટલે મહામંત્રી ઉદયનની અંતિમ પ્રતિજ્ઞામાં ગિરનાર ઉપરની પાજ બંધાવવાની વાતનો સમાવેશ ન કરવો એ જ યોગ્ય લાગે છે. ગિરનારની પાજ સંબંધી મળતા ભિન્ન ભિન્ન ઉલેખ ગિરનારની પાજ કેણે બંધાવી એ સંબંધી ઊહાપોહ કરવા પહેલાં જુદા જુદા શિલાલેખ અથવા ગ્રંથમાં એ સંબંધી જે ઉલ્લેખો મળી આવે છે તે જોઈએ. આવા ઉલેમાં બે શિલાલેખસ્થ છે, અને બીજા બધા ગ્રંથસ્થ છે, જે નીચે પ્રમાણે છે. શિલાલેખસ્થ ઉલ્લેખે (૧-૨) : શ્રીમાન જિનવિજયજ સંપાદિત “પ્રાચીન જેવ સંપ્રઢ” ભાગ બીજામાં લેખાંક ૫૦-૫૧ તરીકે પ્રગટ થયેલ, જે નીચે મુજબ છે. [५०]-"संवत् १२२२ श्री श्रीमालज्ञातियमहं श्रीराणिगसुतमहं श्री आंबाकेन પયા વારિતા ” અર્થાત–“સં. ૧૨૨૨ માં શ્રી શ્રીમાલજ્ઞાતિના મહું શ્રીરાણિગના પુત્ર મહું શ્રી આંબાકે પાજ કરાવી.” [५१]-"सं. १२२३ महं श्रीराणिगसूत [ महं] श्री आबाकेन पद्या कारिता । For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy