SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૪] ગિરનાર તીર્થની પાજ તેણે બંધાવી? [૧૧] પણ સમયના નિર્દોષ અંગે એકવાક્યતા કેમ નથી ? એક શિલાલેખમાં ૧૨૨૨ અને બીજામાં ૧૨૨૩ એમ બે ભિન્ન નિર્દોષો શાથી થયા ? ખેર. પણ, ગિરનારની પાજ અંગે મહત્ત્વનો પ્રશ્ન તે ક્યારે બંધાઈ એ નથી, પણ એ પાજ કોણે બંધાવી એ છે. આ સંબંધી ભિન્ન ભિન્ન પ્રાચીન ગ્રંથ તપાસતાં ભિન્ન ભિન્ન પ્રકારના ઉલ્લેખો મળે છે, અને એ બધામાંથી ખરી વસ્તુ તારવવી મુશ્કેલ છે. છતાં એ સંબંધી જે કંઈ સામગ્રી જોવામાં આવી છે તે ઉપરથી કંઈક નિર્ણયાત્મક વિચારણા કરવાનો આ લેખને આશય છે. મહામાત્ય ઉદયનની અંતિમ પ્રતિજ્ઞા અને ગિરનારની પાજ આ પાજ કોણે બંધાવી એ સંબંધી જે ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે તે રજુ કરવા અને તે ઉપરથી વિચારણા કરી કંઈ પણ નિર્ણય ઉપર આવવું તે પહેલાં મહારાજા કુમારપાળના મહામંત્રી ઉદયને પિતાના અંતિમ સમયે પિતાની જે અણપૂરી રહેલી પ્રતિજ્ઞાઓ જણાવી હતી તેમાં ગિરનારની પાજ બંધાવવાનો સમાવેશ થાય છે કે નહીં તે જોઈએ. જુદા જુદા ગ્રંથો તપાસતાં નીચે મુજબ પાંચ ગ્રંથમાં મહામંત્રી ઉદયનની અંતિમ સમયની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ મળે છે– (૧) વિ.સં. ૧૩૬૧માં શ્રીમેરૂતુંગાચાર્યકૃત પ્રચંતામળિ'માંના શત્રુ યોદ્ધારyવંધમાં " सन्निहिते मृत्यौ श्रीशत्रंजय-शकुनिकाविहारयोजीणोंद्वारवांच्या देवऋणं ઉનમુ—મંત્રી પ્રદિા” અર્થાત --“મંત્રીએ કહ્યું-–અંત સમય નજીક આવ્યો છે, છતાં શ્રી શત્રુંજય અને શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરવાનું દેવનું દેણું મારા ઉપર લાગેલું છે. ” (૨) વિ. સં. ૧૪રર માં શ્રીજયસિંહસૂરિકૃત “કુમારપાચમુપારિત્ર' સર્ચ ૮ માં– किन्तु पूर्व प्रतिज्ञाता, मया नियमपूर्वकम् । शत्रुजयस्य शकुनि-चैत्यस्य च समुद्धृतिः ॥ ५२० ।। अद्यैवं मरणं प्राप्ते, श्रेयःश्रेणिरिवोच्चकैः ।। सा भज्यमाना हृदयं, सपत्रीकुरुते मम ॥ ५२१ ।। અર્થાત્ –“પણ આજે આ રીતે મરણ પામું તે, પહેલાં મેં અભિયહ પૂર્વક સ્વીકારેલી શત્રુંજય અને શકુનીત્યના ઉદ્ધારની પ્રતિજ્ઞાનો ભંગ, કલ્યાણના સમૂહના ભંગની જેમ, મારા હૈયાને બાણથી વીંધાવા જેવું-પીડિત બનાવે છે.” (૩) સિંઘી જૈન ગ્રંથમાળાપ્રકાશિત પુરાતનપ્રવંધસંગ્રહૃમાંના મંત્રી પ્રવિંધ’ પૃ ૩૨માં– " तत्राभिग्रहद्वयम्-शजयोद्धारे द्विवेलं भोजनम् , श्रीमुनिसुव्रतप्रासादोद्धारे નાનમ્ | અર્થાત “ત્યાં (મંત્રીએ) બે અભિગ્રહ લીધા-૧ શત્રુંજયને ઉદ્ધાર કર્યા પછી બેટંકનું ભજન અને શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિર (શકુનિકાવિહારનો) ઉદ્ધાર કર્યા પછી સ્નાન.” (૪) વિ. સં. ૧૪૯ર માં ઉ. જિનમંડનગણિકૃત “ગુમારપાત્રપ્રવંધ” પૂછ કર માં– " सामन्तैः पृष्टः स्वमनसः शल्यचतुष्टयं ग्राह-आम्बडस्य दंडनायकत्वम् १, श्रीशत्रुजये पाषाणमयप्रासादनिर्मापणम् २, श्रीरैवताचलनवीनपद्यानिर्मापणम् ३, निर्यामकगुरुं विना मृत्युः ४ इति । For Private And Personal Use Only
SR No.521586
Book TitleJain_Satyaprakash 1943 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1943
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy