________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[
૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
સાત આઠ દહાડો પછી એ પાછા ગુરુ પાસે જવા લાગ્યો. પછી ગુરુએ એને જરૂરી શિખામણ આપી, અને ત્યારપછીથી “એ એની વહુના તરગ પર માન આપતા નહિ”
અને ત્યારથી એ સ્ત્રી પણ તોફાન કરતી બંધ પડી. સ્ત્રીની બદલીથી એક બીજા વિદ્યાથના અભ્યાસમાં પણ આમ વિક્ષેપ પડ્યો હતો એવી વાત છે. ૬ અંતમાં અમે કાશના એક પ૦૦ વિદ્યાર્થીઓના ગુનો દાખલ પણ આપીશું. ગુરુએ અમુક પ્રકારની ખાસ પરીક્ષા કરીને પોતાના એક વિદ્યાર્થીને પોતાની વયમાં આવેલી દીકરી માટે પસંદ કર્યો. કેટલાક ગુરુઓએ તો એવો ચાલ પાડે હતો કે જે પિતાને પરણાવવા લાયક દીકરી હોય તો તે પિતાના મોટામાં મોટી ઉંમરના શિષ્યને આપવી.૧૭
એક ગુર માટે વિદ્યાર્થીઓની મોટામાં મોટી સંખ્યાનું ધોરણ પ૦૦નું હતું. ૧૮ આટલી સંખ્યાથી શાળામાં ઘણી મોટી વિવિધતા આવી શકે. વિદ્યાથીઓ પણ જુદા જુદા પ્રકારના હતા, કાઈ આ ન્યાનનો તો કોઈ વળી બીજને, કાઈ ફલાણું દરજજાને તો કોઈ ફલાણુનો. અલબત્ત, બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગના જુવાનીઆઓની એમાં મોટી સંખ્યા હતી. (૩. ૪:૮) દૂર દૂરના રાજ્યના રાજકુમારો૧૯ તથા અમીર ઉમરાવોના કુંવરો ૨૦ પણ ત્યાં હતા. વળી વેપારીને, દરજીના, માછીના દીકરાઓ પણ ત્યાં હતા. કારણ. એક ગુર વિષે આપણે એવું વાંચીએ છીએ કે એને સિદ્ધાંત એ હતી કે વિદ્યાર્થીને દાખલ કરવામાં કોઈ પણ પ્રકારનું ન્યાત જાતનું કે ઉચ્ચ નીચનું બંધન ન જોઈએ. “એ જે મળે તેને, માછીને ને શુદ્રોને પણ નીતિ નિયમનો બોધ કરતો, પછી સાંભળનારની ઈચ્છા હોય કે ન હોય. પરંતુ ચાંડાલેને વિદ્યાર્થી તરીકે દાખલ કરવામાં આવતા નહિ.
ઉજ્જૈનના બે ચાંડાલ છોકરાઓ વિષે આપણે એવું વાંચીએ છીએ કે એમણે પિતાના જન્મની કમનસીબી જોઈને વિચાર કર્યો કે “આપણે ચાંડાલનાં કર્મો કદી કરી શકવાનાં નથી. ચાલો આપણે આપણે જન્મ છુપાવીએ અને યુવાન બ્રાહ્મણનો વેશ લઈ ત્યાં અધ્યયન કરીએ!” આ વેશે દાખલ થઈ એ છોકરાઓએ એક દૂર દૂર સુધી ખ્યાતિ પામેલા ગુરુના હાથ નીચે રહી સ્મૃતિનો અભ્યાસ કર્યો. એમાંના એક વિદ્યાર્થીએ તો અભ્યાસમાં સફળતા પણ મેળવી. પરંતુ એક ગામડીઆએ એક વખત પાઠશાળાને જમવા તેડી હતી, ત્યારે કોઈ અસાવધાનીની પળમાં એમણે ચાંડાલની બેલીનો પ્રયોગ કરી દીધે, એ પરથી એમનો વેશ પકડાઈ ગયો અને એમને એકદમ કાઢી મુકવામાં આવ્યા (નં. ૪૯૮).
ચાંડાલ સિવાયની દરેક વાતના વિદ્યાર્થીઓને પાઠશળામાં પ્રવેશ કરવા દેવામાં આવતો. પરંતુ આ વિદ્યાર્થીઓ બધા હંમેશાં પિતાના બાપદાદાના વારાના વિષયોનો જ
૧૬ [ ૧. ૪૬૩; ૧. ૩૦૦; ૩૦૧, ૩૦૨. ] ૧૭ [ ૩. ૧૮, ૬. ૩૪૭ ] ૧૮ [ ૧. ૨૩૯, ૩૧૭, ૪૦૨, ૩, ૧૮, ૨૩૫, ૧૪૩, ૧૭૧. ૧૯ [ ૧. ૨૭૨, ૨, ૮૭, ૩, ૨૩૮; ૫, ૧૬૨, ૫, ૧૭, ૨૧૦, ૨૪૭, ૨૬૨. ૪૨૬. કપડ;
૪. ૯૬, ૩૧૬; ૩. ૧૧૫, ૪૧૫. ] ૨૦ [ ૨. ૯૯; ૫. ૨૨૭; ૪. ૨૩૭ ] ૨૧ [ ૪. ૩૮, ૩. ૧૭૧, ]
For Private And Personal Use Only