SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] તક્ષશિલાની શિક્ષણ–પ્રણાલી [ ૩] આ (ાં ટાળી, અને વિદ્યાર્થી ઓને મફત કેળવણી અપાવો. ઉદાર ગ્રહ ગુરુશિષ્યોને પ્રસંગોપાત જમવાનું આમંત્રણ આપતા. તેથી પણ એમનું ભણતરનું ખર્ચ કેટલેક દરજે કમી થતું. એક ઠેકાણે એવું વાંચવામાં આવે છે કે એક ગામડાના કુટુંબ તક્ષશિલામાં ૫૦૦ વિદાથીઓની એક આખી નિશાળને જમણ આપ્યું હતું. એક આખા ગામડાએ પણ એવું જમણ આપ્યું હતું. ૧૩ ઘણી વખત આ નોતરાંને કમ એવી રીતે ગોઠવાત કે આખી નિશાળને રાજ કંઈક ને કંઈક જમણ હોય જ. વિદ્યાર્થીઓનો એક બીજો પ્રકાર એવો હતો કે જેમને પિતાના રાજ્ય તરસ્થી વિદ્યાવૃત્તિ (સ્કંલરશિપ) મળતી હતી. સામાન્ય રીતે આવા વિદ્યાર્થીઓ પોતાના દેશના રાજકુંવરના સોબતી તરીકે ત્યાં અધ્યયન માટે આવતા. કાશીના અને રાજગૃહના દરબારના પુરોહિતિના દીકરાઓ પોતપોતાના રાજકુંવર સાથે વિદ્યા માટે તક્ષશિલા આવેલા એવું આપણું વાંચવામાં આવે છે. છતાં કેટલાક વિદ્યાર્થીઓને વાંચી કેળવણી મેળવવા માટે રાજ્ય પિતને ખર્ચ મોક્ષતું એવા દાખલાની કાંઈ બેટ નથી. કાશીના એક બ્રાહ્મણ વિદ્યાર્થીને ત્યાંના રાજાએ રાજયને ખર્ચ ધનુર્વિદ્યાને ખાણ અભ્યાસ કરવા માટે તક્ષશિલા મોક૯યો હતો એમ આપણે વાંચીએ છીએ. ૧૪ ભણતરનું ખરચ અહીં નિયત કરેલી ગુરુ દક્ષિણમાંથી ભાગ્યે જ નીકળી શકે એમ હતું એ નોંધવાનું છે. એ સમયમાં શાળા નામની એક વેપારી સંસ્થાનો માલિક ન હોવાથી ઘણું કરીને ૧૦૦૦ સિકકાઓમાંથી કશા પર એનો પોતાના મહેનતાણું તરીકે લાગે ન હતો. જે વિદાથી ફી ભરતા અને ગુર સાથે એક જ આશ્રમમાં નિવાસ કરતા તેમના ખાવાપીવાનું અને રહેવા કરવા ઈત્યાદિનું ખર્ચ કાઢવા માટે ફી જરૂરી હતી. પરંતુ ગુરુની સાથે જ રહેવાનું ફરજિયાત ન હતું, દિવસે ભણતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ અપાતું. કાશીના રાજકુમાર શુન્ય વિષે આપણે એમ વાંચીએ છીએ કે એ સ્વતંત્ર ઘર રાખીને રહેતો અને ત્યાંથી તક્ષશિલાની પાઠશાળામાં ભણવા જતા.૧૫ દિવસે ભણનારા વિદ્યાર્થીઓને પાઠશાળામાં દાખલ કરવામાં આવતા એ પરથી સુચિત થાય છે કે ગૃહસ્થી જીવન ગાળનારા વિદ્યાર્થીઓ પણ ત્યાં આવતા. એક “ગામડાના બ્રાહ્મણ વિષે આપણે એમ વાંચીએ છીએ કે એ કાશીના કોઈ પંડિતના હાથ તળે ત્રણે વિદે અને અઢારે રાત્રે નો અભ્યાસ કરી રહ્યા પછી તે પોતાની જમીન જાગીર સંભાળવા માટે ત્યાં રહ્યા; એ પરણે અને ઘરમાંડીને રહ્યો. અને છતાં, એને બહારથી ભાણતા વિદાથી તરીકે અભ્યાસ ચાલુ રાખવા દેવામાં આવ્યો. એ માત્ર બે ત્રણ વખત આવી શકયો કારણ એની ખંધી વહુ જ જ્યારે એ પાઠશાળામાં જવાનો વિચાર કરતો ત્યારે માંદગીને ઢોંગ કરતી. એક પરદેશી જુવાન બ્રાહ્મણની પણ એવી જ વાત છે. એ એક સુવિખ્યાત ગુરુના ૫૦૦ વિદ્યાર્થીઓમાંને એક હતો. “એ એક સ્ત્રી સાથે પ્રેમમાં પડે અને તેની સાથે પરો. ત્યારપછી એણે કાશીમાં રહેવાનું કાયમ રાખ્યું છતાં બે ત્રણ વારથી વધુ વખત એ ગુરુ પાસે જઈ શક્યો નહિ.” એની બહેકી ગએલી સ્ત્રી એને કેટલીકવાર એટલે પજવતી કે એણે ગુરુ પાસે જવાનું તદને માંડી વાળ્યું.” ૧૩. [1. ૨૩૯; ૧. ૩૧૭; 3. ૧૭૧,] ૧૪. [૫, ૨૬૩; ૬. ૨૩૮ અને ૫. ૨૪૭; ૫. ૧૨૭.] ૧૫. એક રાત્રે પાડ પૂરો કરી ગુ ૨જીના ઘરમાંથી નીકળી અંધારામાં પોતાના ઘર ભણ પ્રયાણ For Private And Personal Use Only
SR No.521585
Book TitleJain_Satyaprakash 1942 12
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy