________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] શ્રી ભક્તામર સ્તોત્ર
[૨૭] પ્રાતિહાર્યો કે દરેક અતિશયોનું વર્ણન કરેલ નથી. (૦ ૨૮ થી ૩૨).
આ ઉપરથી એ નક્કી છે કે સ્તુતિકારો અમુક વસ્તુઓનું વર્ણન કરે જ કરે, એવું બંધન નથી, આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ ભક્તામર સ્તોત્રમાં આઠે પ્રાતિહાર્ય વર્ણવ્યા નથી. અને જે ૪ પ્રાતિહાર્યો વર્ણવ્યા છે તેમાં પણ અનુક્રમ સાચવ્યો નથી. એ રીતે આ આચાર્યનું આ સ્વતંત્ર વર્ણન છે–સાહજિક મૌલિક સર્જન છે.
પરંતુ દિગમ્બરે આ અશોકવૃક્ષ વગેરે પ્રાતિહાર્યોને ૩૪ અતિશયથી ભિન્ન વિભૂતિ માને છે. એટલે તેઓને એમ લાગ્યું કે ભક્તામર સ્તોત્રમાં પણ કલ્યાણુમંદિરની જેમ આઠે પ્રાતિહાર્યોનું વર્ણન જરૂરી છે, માટે તેને સંગત થાય તેવા વસંતતિલકવૃત્તમાં શેષ ચાર પ્રાતિહાર્યોને દર્શાવનારાં કાવ્યો નવાં બનાવીને પણ તેમાં જોડી દેવાં. બસ, તેઓની આ ઈચ્છાનુસાર અનેક કવિઓએ પ્રયત્ન આદર્યો અને તેના પરિણામે ચાર ચાર કવાળા પાઠે તૈયાર થયા, જે પૈકીના બે પાઠ અત્યારે દિગમ્બર સમાજમાં પ્રચલિત છે, જે અક્ષરશઃ નીચે પ્રમાણે છે–
૧-દિગમ્બર માન્ય ભક્તામર સ્તોત્રમાં પાછળથી વધારે પ્રથમ પાઠ– गम्भीरताररवपूरितदिग्विभागस्लोक्य लोकशुभसंगमभूतिदक्षः ॥ सद्धर्मराजजयघोषणघोषकः सन् खे दुन्दुभिर्ध्वनति ते यशसःप्रवादी ॥३२॥ मन्दारसुन्दरनमेरुसुपारिजात-सन्तानकादिकुसुमोत्करवृष्टिरुद्धः ॥ गन्धोदबिन्दुशुभमंदमरुत्प्रयाता दिव्या दिवः पतति ते वयसां ततिर्वा ॥३॥ शुम्भत्प्रभावलयभूरिविभा विभोस्ते लोकत्रये द्युतिमतां द्युतिमाक्षिपती॥ . 'प्रोद्यहिवाकरनिरन्तरभूरिसंख्या दीप्त्या जयत्यपि निशामपि सोमसौम्याम् ॥३४॥ स्वर्गापवर्गगममार्गविमार्गणेष्टः सद्धर्मतत्वकथनैकपटुत्रिलोक्याः ॥ दिव्यध्वनिर्भवति ते विशदार्थसर्व-भाषा स्वभावपरिणामगुणैः प्रयोज्यः ॥३६॥
૨-દિગંબરમાન્ય ભક્તામરસ્તોત્રમાં પરિવર્દિત દ્વિતીય પાઠ – नातःपरं परम...वचोभिधेयो लोकभये ?)ऽपि सकलार्थविदस्ति सार्वः ॥ उच्चरितीव भवत: परिघोषयन्त-स्ते दुर्गभीरसुरदुन्दुभयः सभायाम् । ३२॥ वृष्टिर्दिषः सुमनसां परितः पपात प्रीतिप्रदा सुमनसां च मधुवतानाम् ।। જાણ ના સુમનના સુમારના કામોત્તwામાજિન! તે કુરાઃ મારૂરૂા. पुष्पा मनुष्यसहसामपि कोटिसंख्या-भाजां प्रभाः प्रसरमन्वहया वहन्ति ॥ अन्तस्तमः पटलभेदमशक्तिहीनं जैनी तनुश्रुतिरशेषतमोऽपि हन्ति ॥३४॥ देव! त्वदीयसकलामलकेवलाय बोधातिगाधनिरुपप्लयरत्नराशेः ॥ घोषः स एव इति सजनतानुमेते गम्भीरभारभरितं तव दिव्यघोषः ॥३५॥
આ બન્ને પાઠમાં માત્ર દૂરવર્તિ ૪ અતિશયેનું વર્ણન છે અને તેને કલ્યાણમંદિર સ્તોત્રના વર્ણનની જેમ અનુક્રમે ન ગઠવતાં ૩૧મા શ્લેકની પાછળ ગોઠવી દીધેલ છે. પરંતુ આ બન્ને પરિવર્ધિત પાઠો ભક્તામર સ્તોત્રનાં અસલી કાવ્યો સાથે સરખાવતાં બિલકુલ નીરસ, અમૌલિક અને કામચલાઉ તરીકે તરી આવે છે.
દિગમ્બર ૫. અજીતકુમારજી જૈન શાસ્ત્રી તો બીજા પાઠ માટે સાફ લખે છે કેइनकी कविताशैली भी भक्तामर स्तोत्रकी कविताशैली के साथ जोड
For Private And Personal Use Only