SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીપોત્સવી અંક] પ્રાચીન ધાતુ પ્રતિમાઓ |ર૧ રજુઆત કરી હોય તેવું જાણવામાં આવ્યું નથી. નવગ્રહની આકૃતિની જમણી બાજુએ આ પ્રતિમા ભરાવનાર શ્રાવકની તથા ડાબી બાજુએ એક શ્રાવિકાની મૂર્તિ શિલ્પીએ રજુ કરેલી છે, અને શ્રાવકની મૂર્તિની બાજુમાં બે હાથવાળા યક્ષરાજની તથા શ્રાવિકાની મતિની બાજુમાં બે હાથવાળી અંબિકા યક્ષિણીની મતિ રજુ કરેલી છે. આ શિલ્પ ઉપરોક્ત બન્ને વિદ્વાને જણાવે છે તે પ્રમાણે નિઃસંશય સુંદર છે. (આ મૂર્તિ માટે જુઓ ચિત્ર નંબર ૬) મૂર્તિ નંબર ૧૭. શ્રી ઋષભદેવ. ડીસાકેમ્પથી વાયવ્ય કોણમાં દસ કોષ દૂર પ્રાચીન જેનતીર્થ “રામસૈન્ય ” આવેલું છે, જે હાલમાં રામસણના નામથી ઓળખાય છે. આ તીર્થને ટૂંક પરિચય ઇતિહાસ પ્રેમી પં. શ્રી કલ્યાણવિજયજીએ જેનયુગ માસિકના પુસ્તક પાંચના અંક ૧ થી ૩ માં જેનતીર્થ ભીમપલ્લી અને રામસૈન્ય નામના લેખમાં પૃ. ૬ થી ૬૭ ઉપર આપ્યો છે. તે લેખમાં ત્યાંથી ખોદકામ કરતાં મળી આવેલા સંવત ૧૦૮૪ની સાલવાળા લેખવાળા શ્રી ઋષભદેવ ભગવાનની ધાતુપ્રતિમા સાથેના છુટા પડી ગયેલા એક પરિકરની ઓળખાણ આપી હતી. તે લેખની અક્ષરશઃ નકલ જૈન પ્રતિમાશાસ્ત્રના અભ્યાસીઓની દૃષ્ટીએ મહત્ત્વની હોવાથી નીચે આપેલી છે अनुवर्तमानतीर्थ-प्रणायकाद वर्धमानजिनवृषभात् । शिष्यक्रमानुयातो जातो वज्रस्तदुपमानः ॥ तच्छाखायां जातः स्थानीयकुलोद्भूतो (भवो) महामहिमा ॥ चंद्रकुलोद्भवस्तत (तो) वटेश्वराख्यः क्रमबलः ॥ थारापद्रोद्भूतस्तमाद् गच्छोत्र सर्वदिक्ख्यातः ।। મુદ્રા-થરા (સુદ્ધા છો) નિર્વસ્ટિદ્ધિવરાવતિ | तस्मिन् भूरेषु सूरिषू देवत्वमुपागतेषु विद्वत्सु । કા...ચેષ્ટાર્ચતમન્ શ્રી શાંતિમાથઃ | तस्माच्च सर्वदेवः सिद्धांतमहोदधिः सदागाहः । तस्माच्च शालिभद्रो भद्रनिधिगच्छगतबुद्धिः ॥ श्रीशांतिभद्रसूरौ प्रतपति जा...पूर्णभद्राख्यः । ... પુણેના...રિત...વૃદ્ધીન છે – (?) વિરું વિંદ્ય નામનોર્મત્મિનઃ . लक्ष्म्याश्चंचलतां ज्ञात्वा जीवितव्यं विशेषतः ॥ मंगलं महाधीः ॥ संवत् १०८४ चैत्रपौर्णमास्याम् ॥ અર્થાત-વર્તમાન શાસનના નાયક ભગવાન વર્ધમાનસ્વામીની શિષ્ય પરંપરામાં વા નામના આચાર્ય થયા કે જે વજીની ઉપમાને ધારણ કરતા હતા. જે ૧ | તેની શાખામાં (વજી શાખામાં). . . . . . . ચંદ્રકુલીન મહિમાવંત વટેશ્વર નામના આચાર્ય થયા. ૨ | તે વટેશ્વરથી થારાપદ્ર નગરના નામથી “થારાપદ્ર” નામક ગ૭ ઉત્પન્ન થયો, જે સર્વ દિશાઓમાં ખ્યાતિ પામે છે અને પોતાના નિર્મલ યશવડે સર્વ દિશાઓને ઉજજ્વલ કરી દીધી છે. જે ૩ | For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy