SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરનિ. સં. ૧૦૦૦ થી વીરનિ. સં. ૧૭૦૦ સુધીમાં થયેલ જૈન ન્યાયનો વિકાસ [ દાર્શનિક ગ્રંથકારો અને ગ્રંથોને ટૂંક પરિચય ] - www લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી દુરધરવિજ્યજી, શિરપુર | ક સમય એવો હતો કે જેમાં શ્રદ્ધાવાદને બહુ મહત્વ અપાતું અને જનતાને કહેવામાં આવતું કે–નિવાર્થનુવાન સુર્વચા મુનિનું વચન તર્ક અને પ્રશ્નથી પર છે. વળી પુરાdf માનવો ધર્મ, સા રેશ્ચિવિલ્લિતમ્' માાતિનિ વરિ, દુરંતવ્યનિ દેતુમિ “પુરાણ, મનુએ બતાવેલ ધર્મ, (એ) અંગ સહિત વેદ અને વૈદક, એ ચાર વાની આજ્ઞાસિદ્ધ છે. તેને તર્કો વડે હણવાં નહિ.” આવા શ્રદ્ધાવાદથી ભળી જનતા એટલી તે ભોળવાઈ ગઈ હતી કે શાસ્ત્રવાક્યનું નામ સાંભળ્યું કે તેને કંઈ પણ ઉપાય ચાલતે નહિ. આ વાદનું એટલું તો જેર હતું કે તર્કવાદીને રહેવું પણ કઠિન થઈ પડતું, શ્રદ્ધાવાદીઓ તર્કવાદી સાથે સર્વ સમ્બન્ધ છોડી દેતા હતા. શ્રદ્ધાવાદથી લાભ છે કે નુકસાન એ વાત બાજુએ મૂકીએ તે પણ માનવની સ્વાર્થવૃત્તિએ તે વાદથી ઘણો જ અનર્થ પેદા કર્યો હતો. હિંસામય યજ્ઞયાગાદિ આ વાદથી જ જન્મ પામ્યા હતા. એ અનર્થ એટલે સુધી પહોંચ્યો હતો કે અશ્વમેધ યાગ અને નરમેધ યજ્ઞ કરાતા, લેહી અને ચામડાની (રક્તવતી અને ચર્મવતી ) નદીઓ વહેતી હતી. આ સમયે જનતાને તકવાદની ખાસ આવશ્યકતા હતી. તર્કવાદ સિવાય આ અનર્થનાં જડ-મૂલ નિકળે તેમ ન હતાં. તેવા સમયે પરમકૃપાલુ ભગવાન મહાવીરસ્વામીજી ઉત્પન્ન થયા. તેમણે યુક્તિવાદને સૂર્ય ઉગાડે, અને તર્કવાદીઓને પ્રોત્સાહન આપ્યું. તેઓશ્રી તર્કવાદીઓના પુરગામી બન્યા, ઇન્દ્રભૂતિ વગેરે વિપ્રે કેવળ શ્રદ્ધાવાદથી–વેદવચનમાં યુક્તિના અભાવથી આત્મા, સ્વર્ગ, પુષ્ય, પાપ, પરભવ આદિમાં શંકિત થયા હતા તે સર્વને મહાવીર પ્રભુએ યુક્તિમાર્ગની દિશા બતાવી, તે જ વેદવચનાથી સ્થિર કર્યા હતા. મહાવીર સ્વામીએ પિતાના ઉપદેશને તર્કસિદ્ધ બનાવ્યો હતો. કોઈ પણ તત્વ કે કોઈ પણ પદાર્થની દેશના સાથે હેતુઓ તે હેય જ. તેથી જ સ્થળે સ્થળે ગૌતમસ્વામીજી પ્રભુને પ્રશ્નો પૂછતા કે રે મને ! પકુર ? ભગવન્ત ! આમ શા કારણથી કહેવાય છે? મહાવીરસ્વામીજી પિતાના ઉપદેશિત માર્ગને નૈયાયિક-ન્યાયસિદ્ધ માર્ગ કહેતા હતા, જે માટે તેઓશ્રીએ જ કહ્યું છે કે ૧ તર્કવાદથી સમજાયેલ શ્રદ્ધાવાદ એ કલ્યાણસાધનનો રાજમાર્ગ છે. તે માર્ગને પંથ કેવળ વિવાદથી પણ નથી કપાત તેમ કેવળ શ્રદ્ધાવાદથી પણ નથી કપાત. એ બન્ને, રથના એકેક ચક્ર જેવા છે. “રાખ્યાં રતિ રથ,” એ પ્રમાણે બન્ને ચક્રો મળે તે જ આ ધર્મરથ ચાલે છે. For Private And Personal Use Only
SR No.521573
Book TitleJain_Satyaprakash 1941 09 10 11
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages263
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size130 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy