________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મહુડીની મૂર્તિઓ જૈન છે ”
લેખકઃ શ્રીયુત ડાહસમુખલાલ ધીરજલાલ સાંકળિયા
M. A., LL. B, Ph. D. [ અંગ્રેજી લેખને અનુવાદ ]
વડોદરા રાજ્યના વિજાપુર તાલુકામાં મહુડી ગામમાંથી કેટયાર્કના મંદિરનું ખોદકામ કરતાં ધાતની ચાર પ્રતિમાઓ મળી આવી હતી. આ પ્રતિમાઓ મળ્યા પછી તે સંબંધીની એક નેધ વડોદરા રાજ્યના પુરાતત્વખાતાના વડા ડે. હીરાનંદ શાસ્ત્રીજીએ ઈ. સ. ૧૯૩૭-૩૮ના વડોદરા રાજયના પુરાતન સધન ખાતાના અહેવાલમાં ચિત્ર સહિત પ્રગટ કરી હતી. આ નોંધમાં ડે. શાસ્ત્રીજીએ એ મૂર્તિઓ બૌદ્ધ હોવાનું વિધાન કર્યું હતું. આ વિધાને જૈનમૂર્તિશાસ્ત્રના અભ્યાસીઓમાં ઠીક ઠીક ઉહાપોહ જગ હતો.
છે. શાસ્ત્રીજીના આ વિધાનની વિરૂદ્ધમાં શ્રી. સારાભાઈ મણિલાલ નવાબનો એક લેખ આ જશ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના વર્ષ પમાના ૫-૬ સંયુક્ત અંકમાં પ્રગટ થયે હતું. આ પછી શ્રી. નવાબને આ સંબંધી જ બીજો અતિવિસ્તૃત લેખ ભારતીય વિદ્યા ભવન અંધેરીના “ભારતીય વિદ્યા” નામક સૈમાસિક મુખપત્રના વર્ષ ૧ ના અંક ૨ માં પૃ. ૧૭૯ થી ૧૯૪ સુધીમાં પ્રગટ થયા હતે. પૂન્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજીએ પણ, પિતાના વિહાર દરમ્યાન એ મૂતિઓનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પછી, ડે. શાસ્ત્રીજીના વિધાનની વિરૂદ્ધમાં, એક લેખ “શ્રી જૈન સત્ય પ્રકાશ ના વર્ષ ૬ ના ૧૧મા અંકમાં પ્રસિદ્ધ કર્યો હતે.
ગયા અંકમાં પ્રગટ થયેલ પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી મહારાજને આ લેખ જોયા પછી પુરાતત્વ અને જૈનમતિવિધાનશાસ્ત્રના અભ્યાસી ડું. શ્રી. હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા એમ. એ., એલએલ. બી, પીએચ. ડી. તફથી અમને નીચે મુજબ પત્ર મળ્યો હતે.
પુના તા. ર૧-૭-૪૧ “મુનિરાજ શ્રી. ન્યાયવિજયજીને મહુડીની જૈન પ્રતિમાઓ વિષે લેખ વાં. આ મૂતિ ઓ જૈન છે એ નિઃશંક છે, જો કે ડે. શાસ્ત્રીએ એમને પૂરતાં કારણે સિવાય બૌહ કહી છે. આ વિશે મેં પણ એક લેખ ૧૯૪૦માં અમારી કેલેજના બુલેટીનમાં લખે હતો. જેની કોપી તમને આજે Book Post થી મોકલી છે. જો આપને યોગ્ય લાગે તો “સત્ય પ્રકાશમાં એ વિષે આવતે મહીને ઉલેખ કરજે.
“. શારીને ભાઈ નવાબ અને મુનિજીના લેખેની પ્રત મોકલી, યોગ્ય સુધાર કરવાની વિનતિ કરવી જોઈએ. અને મહુડી અને આસપાસનાં સ્થળમાં વધારે શષ કરી પ્રાણીના જેનષમના ગુજરાતમાંથી વધારે અવશેષે મેળવવાની વડોદરા સરકારને જેનો તરફથી વિનતિ થવી જોઇએ.
લી. હસમુખ ધી. સાંકળીઆના યથાયોગ્ય છે. સાંકળીયાના આ પત્ર માટે અને તેમણે કરેલી મહત્વની સૂચના માટે અમે તેમને આભાર માનીએ છીએ. અને તેમણે “વડોદરા રાજ્યમાંથી મળેલી કહેવાતી બૌદ્ધ મૂર્તિઓ” એ મતલબના અંગ્રેજી મથાળા નીચે “Bulletin of the Deccan College Research Institute” [ડેકન કોલેજના સંશોધન વિભાગની પત્રિકા] ના ઇ. સ. ૧૯૪૦ના માર્ચ મહિનાને વેલ્યુમ ૧ ના ને,
For Private And Personal Use Only