SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ] નિહ્નવવાદ [ ૨૪૫] પાંચ દેપા આવે છે- (૧) કરેલ કર્મીના નાશ. (૨) નહિ કરેલ કના ભાગ. (૩) સંસારના નાશ. (૪) મુક્તિના અસંભવ. (૫) સ્મરણ શક્તિના વિષ્વ'સ, તે આ રીતે ઘટે છે. (૧) કરેલ કર્મના નાશ-મૈાદ્ધ જ્ઞાનમય અને ક્ષણિક આત્મા માને છે. એટલે જે ક્ષણે જે જ્ઞાનસ્વરૂપ આત્મા હતા તેના બીજે ક્ષણે સથા નાશ થઇ ગયા. સાથે જ તેણે જે કર્મો કર્યાં હતાં તેના પણ નાશ થઈ ગયા એટલે જે કમે જે આત્માને જે ફળ આપવાનાં હતાં તે બંને નાશ પામી ગયાં. તેઓ પેાતાનું કાર્ય કરી શકયાં નહિ માટે ક્ષણુિકવાદમાં કરેલ કર્મના નાશરૂપ પ્રથમ દાખ છે. (૨) નંહુ કરેલ કના ભાગ-આત્મા કાઇ વખત સુખી તો કાઇ વખત દુ:ખી હાય છે તે પ્રયા જણાય છે. તે સુખદુ:ખ કર્મથી મળે છે. હવે સુખ માટે જે આત્માએ •રે કર્યા કર્યાં તાં અને દુઃખ માટે જે આત્માએ જે કર્મો કર્યાં હતાં તે બંને ક્ષણિક દેાવાથી નાશ પામી ગયાં છે. અત્યારે આત્માને જે સુખ કે દુઃખ અનુભવાય છે તે કર્યાં કર્મનું ફળ છે અને તે કર્મ આત્મા પાસે કયાંથી આવ્યાં એ પ્રશ્નના ઉત્તર વાસ્તવિક રીતે બૌદ્ધ આપી રાકરૉ નહિં, કારણકે તેના સિદ્ધાન્ત પ્રમાણે પૂવ કરેલ કાઈ પણ કર્મ આત્મા પાસે હાલમાં નથી જ, માટે નહિ કરેલ ભેગ આત્મા કરે છે, એમ તેને માનવું પડશે. એ બીજો દાપ છે. (૩) સંસારના નારા-સસાર એટલે ભવની પરપરા. ક્ષણિકવાદમાં તે ઘટી શકતી નથી. પ્રથમ તા તે વાદમાં પરલોક જ ઘટી શકતા નથી. કારણકે એક લવને ઢાડી જે બીજે ભવ મળે છે તે કરેલ કન અનુસારે જ મળે છે, કરેલાં કર્મના અને તે ક્રમના કરનારના તા સદંતર નાશ થઇ ગયેલ છે. હવે પરભવમાં કાણુ કયા સ્વરૂપને પામે, માટે પરભવ ટી શકતા નથી. કદાચિત્ બૌદ્ધ એમ કહું કે એક ચિત્ત મોજા ચિત્તનું અનુસધાન કરે છે, તે ત્રીજા ચિત્તનું અનુસધાન કરે છે એમ યાવત્ મરણુ કાળ સુધી પરસ્પર ચિત્તનું અનુસ’ધાન થયા કરે છે અને એક ચિત્તે ચહુ કરેલ સંસ્કાર યા કર્યાં તે ખાજા ચિત્તને સોંપે છે અન એ રીતે પરલાક અને યાવત્ ભવની પર પરારૂપ સસાર હુ સંભવી શકે છે તા તે પણ તેનુ કહેવુ વાસ્તવિક નથી. કારણકે-એકબીજાનું અનુસંધાન થવુ કે પોતે ગ્રહણ કરેલ સત્કારની આપલે કરવી તે ત્યારે જ સભવી શકે કે જ્યારે ખતે એક વખતે એકી સાથે રહેતા હાય, પરંતુ જ્યારે સરકાર લેનાર ચિત્ત ઉત્પન્ન થયેલ છે ત્યારે આપનારના નાશ થયેલ હાય છે; આપનાર જ્યારે વિદ્યમાન છે ત્યારે લેનાર ચિત્ત ઉત્પન્ન પણ થયેલ નથી. માટે કાઇ પણ રીતે ભવપર પરારૂપ સંસાર બૌદ્ધો મત ઘટી શકતા નથી. એ ત્રીજો દોષ છે, (૪) મુક્તિના અસભવ—ફરીથી કમબંધ ન થાય તેવી સ્થિતિમાં આત્માનું મુકાયું તાં મુક્તિ કહેવામાં આવે છે. આત્મા જેવા કા અતિરિક્ત પદાર્થ બૌદ્ધમાં છે જ નહિ જ્ઞાનક્ષણુને જ તે આત્મા કહે છે. હવે પરભવમાં કર્મબંધન ન થાય તેવી સ્થિતિમાં મુકાવાને માટે અથવા સુખી થવાને માટે પ્રયત્ન કાણુ કરે ! કારણ કે દરેક વ્યક્તિ પોતાના હિત માટે પ્રવૃત્તિ કરે છે, પરંતુ પેાતાનુ કંઇ પણ હિત ન સધાતું હોય તે પ્રવૃત્તિ કરતું નથી. જેમકે-ચૈત્રને ઘણું દુ:ખ હોય અને કાઇ કહે અમુક યત્ન કર તા ચૈત્રને સુખ થશે તે ક્ષેત્ર ક તે પ્રયત્નમાં પ્રવૃત્તિ કરતા નથી. તે જ પ્રમાણે જે જ્ઞાનક્ષણ સ ંસારી છે જેમ દુઃખ એ જ્ઞાનક્ષણ કંઈ બીન જ્ઞાનક્ષણાના સુખ માટે યા યુક્તિને માટે For Private And Personal Use Only
SR No.521567
Book TitleJain_Satyaprakash 1941 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy