SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫] શ્રી અબ્દકલ્પ [૧૭]. મૃગલીના ચાર પગની વચ્ચે બાળકરૂપવાળું નવીન બચ્યું થયેલું સાંભળી લેકે માં (એ) વાત પ્રસરી ગઈ. (૮) તે કઈ નવો થનારે રાજા હતો એમ (શાનિકેથી) સાંભળી રાજાએ તેને મારવા માટે યોદ્ધાઓ મોકલ્યા. તેઓ (દ્ધાઓ) એ તે બાળકોને નગરના કિલ્લામાં જ સાંજે જોઈને બાળહત્યાના ભયથી માર્ગમાં આવતા (ગાયોના ટોળાના પગમાં કચરાઈને મરી જશે એમ સમજી) ગાયના ઝુંડમાં મૂકી દીધો. તે (બાળક) તે જ પ્રકારે ત્યાં રહ્યો, પણ ભાગ્યથી એક બળદ (તેનું રક્ષણ કરવા) આગળ આવ્યો. તેના પ્રેરકે (ગેવાળે) તે બાળકને તે બળદના ચાર પગ વચ્ચે મૂક્યો. આ સાંભળીને અને મંત્રીના સમજાવવાથી રાજાએ તે બાળકને ખુશીથી પિતાને વારસ મા. (૯, ૧૦, ૧૧) અનુક્રમે તે પુંજ નામને રાજી થયો. તેને રૂપવાળી શ્રી માતા (નામની) પુત્રી થઈ, પણ (વાં એટલે હતો કે, તે વાંદરાના મવાળી હતી. (૧૨) વૈરાગ્યથી નિવિષયી (કામવિનાની થતાં) તેને બે જાતિસ્મરણ જ્ઞાન ઉપર્યું અને પિતાને આગલા ભવમાં પહેલાં જ્યારે પિતે વાનરી હતી તે (સયનું) સ્વરૂપ કહ્યું. (૧૩) “અબુંદ (પર્વત)માં ઝાડની ડાળીઓમાં ફરતી મને કેઈએ તળવામાં (તીર) મારી વીંધી નાખી, ઝાડની નીચેના કુંડમાં મારું ધડ પડી ગયું (તે) તમે વિચારો. (૧૪) તે કામિત (ઈચ્છત દેનારા) તીર્થના માહાસ્યથી મારું મનુષ્યનું શરીર થયું અને મસ્તક તેવી જ રીતે છે તેથી આજ પણ હું વાંદરાના મુખવાળી છું. (૧૫) પંજે પિતાના માણસો મોકલીને ફંડમાં તે (વાંદરીનું) મસ્તક નાખી દેવરાવ્યું; તેથી તે મનુષ્ય (સ્ત્રી) મુખવાળી થઈને અબુંદગિરિમાં તપસ્યા કરવા લાગી. (૧૬) એક વખત આકાશ માર્ગે જતા રોગીએ તેને જોઈને. (તેના) રૂપથી મોહિત થઈ, આકાશથી નીચે ઉતરી તેને પ્રેમ પૂર્વક કહ્યું – “હે શુભ લક્ષણવાળી ! તું મને કેવી રીતે પરણી શકે ?” (૧૭) તેણે કહ્યું-“રાત્રિને પ્રથમ પ્રહર વીતી ગયો છે તેથી અત્યારથી લઈને કુકડાને શબ્દ થાય (સવાર થાય) તે પહેલાં જ કાઈ વિદા વડે આ પર્વતમાં સુંદર એવી બાર પાજ તું (બાંધીશ) કરી તે તું મારે વર થઈશ” એથી તેણે (ઋષિએ) બે પ્રહરમાં તે પાજો નોકરે વડે બાંધી તે પહેલાં જ તેણે પિતાની શક્તિથી કુકડાને શબ્દ કરાવ્યો તે કપટને જાણનાર (ઋષિ)ને વિવાહ માટે ના પાડવા છતાં તે રોકાય નહિ. (૧૮, ૧૯, ૨૦) નદી તીરે, બહેન સાથે વિવાહ કરવાની ઈચ્છા કરનારા તે (ઋષિ)ને તેણે (શ્રીમાતાએ) કહ્યું “પરણવા માટે (ઈચ્છા હોય તે) ત્રિશૂલ છોડીને મારી પાસે આવે.” (૨૧) ૩- આ યોગી જેની મૂર્તિ શ્રીમાતા મંદિરની બહાર એક તૂટેલા મંદિરના ઘુમટ નીચે પુરુષાકારે ઊભી છે તેના હાથમાં પાત્ર છે, જેને લેકે “રસિલા વાલમ'ની મૂર્તિ તરીકે ઓળખે છે. (પુરાતન પ્રબંધ સંગ્રહમાંના શ્રીમાતાના પ્રબંધમાં પણ “વિજ રાજએ પ્રકારનું નામ આ ઋષિનું છે.) રસિયો વાલમ તે ઋષિ વાલ્મિકી હોય એમ કેટલાકેનું અનુમાન છે. For Private And Personal Use Only
SR No.521566
Book TitleJain_Satyaprakash 1941 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1941
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy