________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨].
નિહુનવવાદ
[૫૭]
ચાર્વાક--જાતિ સ્મરણ વગેરે મિથ્યા છે–તમે પૂર્વ જન્મનું સ્મરણ થાય છે માટે આત્મા માનવો જોઈએ એમ જે કહે છે તે અમારી માન્યતા પ્રમાણે માની શકાય નહિ. અમે તે કહીએ છીએ કે એક આંધળો માણસ ગોખલામાં ઘણું પત્થર ફેંકે તેમાં ઘણુંખરા તે નીચે જ પડે ને કોઈ એક પત્થર ગોખમાં પડી જાય. તેથી તે કંઈ દેખતો છે એમ કહી શકાય નહિ. એ પ્રમાણે કેટલીક વ્યકિતઓ પિતાનું માહાસ્ય વધારવા માટે મને પૂર્વજન્મનું સ્મરણ થયું છે એમ કહે છે. તેમાં કોઈ એક વ્યકિતની કેટલીક હકીકત મળતી આવે તેથી પૂર્વજન્મ છે, આત્મા છે એમ માની શકાય નહિ. માટે તમારા અનુમાન પ્રમાણથી સિદ્ધ થતે આત્મા તમારી પાસે રાખો. મને તે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા સિદ્ધ થતો હોય તે સમજાવો.
સ્યાદ્વાદી–પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ-આ વસ્તુ મારી છે, એમ જે કહેવામાં આવે છે ત્યાં વસ્તુ અને મારી છે એમ કહેનાર એ બન્ને જુદા હોય છે એટલે આ શરીર મારું છે એ સ્થાને પણ શરીર અને મારું છે એમ કહેનાર જુદાં જ માનવા જોઈએ, માટે આત્મા શરીરથી જુદે પદાર્થ છે. દરેક વ્યક્તિને હું છું એવું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે તેમાં હું એ કોણ? એ શરીર નથી માટે હું એ જ આત્મા. તેથી સૌને પોતાના આત્માનું પ્રત્યક્ષ થાય છે અને અદ્વિતીય જ્ઞાનથી બીજાના આત્માઓનું પણ પ્રત્યક્ષ થાય છે. અવગ્રહ, ઈહા, અપાય ને ધારણા એ ચાર જ્ઞાનની ભૂમિકાઓ છે. જ્ઞાન સ્વસંવેદ્યને પ્રત્યક્ષ જ હોય છે. એટલે અવગ્રહ વગેરે પણ પ્રત્યક્ષ ને સ્વસંવેદ્ય છે. વળી અવગ્રહ વગેરે ધર્મો છે. કારણ કે ધર્મો સ્વતંત્ર ઉપલબ્ધ થતા નથી. જેમ રૂપ એ ધર્મ છે, રૂપ સ્વતંત્ર ઉપલબ્ધ થતું નથી, પણ ઘટપટ વગેરેની પરતંત્રતાથી જ ઉપલબ્ધ થાય છે, તેમ અવગ્રહાદિ પણ પરતંત્રપણે જ ઉપલબ્ધ થાય છે. માટે અવગ્રહાદિ ધમેને રાખનાર કેઈક ધર્મ છે ને તે આત્મા સિવાય બીજો સંભવતો નથી. જે ધર્મો પ્રત્યક્ષ હોય છે તેને ધમી પણ પ્રત્યક્ષ જ હોય છે. જેમ રૂપ પ્રત્યક્ષ છે, એટલે રૂપી ઘટ વગેરે પણ પ્રત્યક્ષ છે, એ પ્રમાણે અવગ્રહાદિ ધર્મોને ધમી આત્મા પણ પ્રત્યક્ષ છે. એ રીતે આત્મા પ્રત્યક્ષ હાઈ પ્રત્યક્ષપ્રમાણથી પણ સિદ્ધ છે.
એ પ્રમાણે આગમ, અનુમાન અને પ્રત્યક્ષ એમ ત્રણે પ્રમાણેથી આત્મા છે એ સ્યાદ્વાદીએ સિદ્ધ કરી બતાવ્યું એટલે ચાર્વાક તે ચૂપ જ થઈ ગયા. એટલે શ્રવણ કરતા મંડળમાંથી બૈદ્ધ આગળ આવીને સ્યાદ્વાદીને કહેવા લાગ્યો કે આત્મા તે સિદ્ધ થયો પરંતુ તેનું સ્વરૂપ શું છે તે કહ્યું નહિ. આનો સ્યાદ્વાદીએ જે જવાબ આપ્યો તે હવે પછી જોઈશું.
(ચાલુ)
૧ જેને નિર્દેષ કરી શકાય નહિ એવું સામાન્ય જ્ઞાન તેને અવગ્રહ કહે છે. વસ્તુમાં નહિ રહેલ ધ ગ્રહણ ન કરવા અને તેમાં રહેલા ધર્મો ગ્રહણ કરવા એવું જે જ્ઞાન થાય છે તેને ઈહા કહે છે. વસ્તુમાં રહેલ ધર્મે જે ગ્રહણ થયા છે તે બરાબર જ છે તેમાં નહિ રહેલ ધર્મો નથી જ, એવું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય તેને અપાય કહે છે. ધારણાના ત્રણ ભેદ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ. તેમાં અપાય થયા પછી અન્તમુહૂર્ત સુધી તે જ્ઞાનને જે ઉપગ રહે તે અવિસ્મૃતિ કહેવાય છે. સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી તે જ્ઞાનનો જ સંસ્કાર રહે તેને વાસના કહે છે. જે જ્ઞાન થયું છે તેના સદશ પદાર્થનું દર્શન વગેરે થવાથી સંસ્કારને ઉધ થઈને જ્ઞાન થાય તેને સ્મૃતિ કહે છે.
For Private And Personal Use Only