SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૪૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ દ બાલાપુર ક્યારે વસ્યું ? પહેલાં એ વાતને વિચાર કરીએ, ત્યારપછી ખાસ ઘટનાને વિચાર કરી, જે સાહિત્ય બાલાપુરમાં લખાણું છે તેની પૂરી પુષ્પિકા જોણું. બાલાપુરના મંદિરમાંની ધાતુપ્રતિમાના લેખા તથા તપાગચ્છ જૈન જ્ઞાનમંદિરમાં રહેલી હસ્તલિખિત પ્રતા તથા પાનાઓની પુષ્પિકા લેખ લાંખા થવાના ભયથી ન આપતાં માત્ર ગ્રંથનું નામ, લખ્યા સંવત, લેખક, ગામનુ નામ તથા બાલાપુરમાં નિર્માણ થયેલ કૃતિઓના નિર્દેશ માત્ર અહીં કરીશ. બાલાપુર નામ કેમ પડ્યું ! પાછળ કાંઇ તે કાંઈ એ સ્વાભવિક છે, એ વાત તે નિર્વિવાદ સિદ્ધ છે. કે કાઇપણ ગામના નામ ઇતિહાસ સમાએલા હોય છે. તેમ બાલાપુર પાછળ પણ ઇતિહાસ રહે બાલાપુરના કિલ્લાથી દક્ષિણ દિશા તરફ બાલા નામની દેવીનુ મંદિર છે. એ દેવીના નામ ઉપરથી જ “બાલાપુર” નામ પડેલ છે. કિલ્લા ‘મન’ અને “સ' એ બે નદીના સોંગમ પાસે અિિત છે. એ ઉપરથી અનુમાન કરાય છે કે બન્ને નદીએાના સંગમથી આપત્તિકાળમાં પાણીની અપૂર્ણતા ન રહે એ માટે ત્યાં બંધાવેલ હશે. ઇતિહાસ કહું છે કે બાલાપુર પર સમયે સમયે કંઇ ને કંઇ આક્રમણા થયાં જ કરતાં હતાં. બાલાપુરના કિલ્લા યદ્યપિ દેખાવમાં કનિષ્ટ જણાય છે, પણ મજબૂતીમાં સુંદર છે. બાલાપુર ખૂબ જાહેાજલાલીવાળું ગામ હશે, એમ ત્યાંનાં મકાને જોતાં સ્પષ્ટ જણાય આજથી ૧૦૦ વર્ષ પહેલાં ત્યાં એટલી બધી વસ્તી હતી કે ત્યાં એક વૃદ્ધા નિવાસાર્થે બાલાપુર આવી (ત્યારે બાલાપુરનું વ્યાપારિક ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન હતું ત્યારે ગામમાં જગ્યા ન મળી. અંતે જંગલ-પાદરમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગી. જે દેવીના નામ પરથી ગામ વસેલ છે તે દેવીનાં મંદિરમાં અત્યારે દીપક પણ કદાચ જ થતા હશે. બાલાપુરમાં ઐતિહાસિક ઘટનાઓ છે. ઈ. સ. ૧૫૯૯ના અકબરના સમયમાં દાનિયલ વરાડને સુખેા હતા. તે બરહાનપુરમાં રહેતા હોવાથી વરાડમાં મેગલેનુ જોર ઓછુ થઇ ગયુ હતુ અને તે શકિત વગરના પણ હતા. તેની છાવણી ખલાપુરમાં હતી. જહાંગીરે જ્યારે ખુરમને વરાડના સુખે કર્યો ત્યારે મલિકકબરે વરાડને પૂરા કબજો લીધા હતા ? ખુરમે મલિકબરને વરાડ નિયુકતમાંથી હાંકી કાયે, તાપણ તે છુટાંછવાયાં આક્રમણા કરવાં ચુકતા નિહ. ઇ. સ. ૧૬૧૬માં વરાડને સુખે શહાનબાજ ખાન બાલાપુરમાં હતા, ત્યારે ત્યાં મલિકબરના સરદ્વારા, સસૈન્ય મળ્યા ત્યારે શહાનબાજખાને દાહિણખેડને ઘાટ ચઢી ખિડકી ૫ વરાડ દેશની પ્રાચીન ઇમારતની ગણનામાં આ કિલ્લાની પણ ગણના કરાય છે. ૬ આજ પણ ત્યાં અનેક સુંદર મકાને ખંડેરની સ્થિતિમાં તેની પ્રાચીન સારી સ્થિતિનું સ્મરણ કરાવે છે. ૭ સન. ૧૯૦૪માં દાનિયત્ર મરણ પામ્યા. ૯ સન. ૧૬૧૬ થી ૧૬૨૩ સુધી ખુરમ દક્ષિણના સુખે। હતા, આ ખુરમ તે જ કે જે પછી “શહાજહાન” નામથી ખ્યાતિ પામ્યા. ૯ આ ગામમાં ઇ. સ. ૧૪૩૭ અને ૧૫૯ માં એ મેટાં યુદ્દો થયાં હતાં ઈસ્માઇલખાંના મુખ્ય સલાહકાર જમાલખાન હસ્તક ઇ. સ. ૧૭૮૨માં મસ્જિદ બંધાવેલ છે, તેમાં એવી કારીગરી છે કે તેની લાતા પર ૨ લેખા ઉલિપિમાં અંક્તિ છે તેના પર જો પાણી નાંખવામાં આવે તે જ અક્ષરો વંચાય For Private And Personal Use Only
SR No.521562
Book TitleJain Satyaprakash 1940 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy