SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર માહાભ્યા લેખક:-શ્રીયુત સુરચંદ પુરશોત્તમદાસ બદામી. એમ. એ. એલ એલ. બી. રિટાયર્ડ એ. કે. જજ (ક્રમાંક ૪૪થી ચાલુ) હવે ચોથા ઉપાધ્યાય મહારાજ વિષે વિચાર ચલાવીએ. પ્રાકૃત ભાષામાં એને ઉવઝાય એ શબ્દથી દર્શાવવામાં આવે છે. એ શબ્દને એકાક્ષરી નિર્યુક્તિ પ્રમાણે અર્થ કરતાં “ઉ” અક્ષરને અર્થ ઉપયોગ કરે એવો થાય છે, અને જઝા” અક્ષર ધ્યાનના અર્થમાં વપરાય છે. આથી “ઉજઝા” એટલે ઉપગપૂર્વક ધ્યાન કરનારા એ થાય છે. એ “ઉજઝા' શબ્દ ઉવજ્ઝાય શબ્દનું બીજું રૂપ છે. એને અપભ્રંશ થઈને “ઓઝા” એવો શબ્દ પણ આપણું સાંભળવામાં આવે છે. “ઓઝા ” શબ્દનો પણ વિશેષ અપભ્રંશ થઈને “ઝા' શબ્દ બોલાય છે. જેમ કે શશિનાથ ઝા. ઉવજઝાવ’ શબ્દના “ઉજઝા' રૂપનો આ અર્થ કહ્યો. પણ એ શબ્દમાં “વ” અક્ષર કાયમ રાખીને પણ એકાક્ષરી નિર્યુકિતથી અર્થ કરવામાં આવે છે અને તેમાં જણાવવામાં આવે છે કે ઉગયેગપૂર્વક પાપ વર્જનથી ધ્યાનમાં આરહણ કરીને કમેની ઓસણ એટલે અપનયન-દૂર કરવાપણું જે કરે છે તેને “ઉવજ્ઝાય” અથવા ઉપાધ્યાય' કહે છે. ઉપાધ્યાય શબ્દના, સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જુદા જુદા નીચે જણાવેલા અર્થે પણ થઈ શકે છે (૧) “ઉપાધ્યાય માં બે શબ્દો છે-ઉપ અને અધ્યાય. “ઉપ' એટલે સમીપ આવીને, “અધ્યાય” એટલે અધ્યયન કરવું (“ઈ ધાતુ અધ્યયન અર્થમાં વપરાય છે). એથી આખા શબ્દને અર્થ, જેઓની પાસે જઈને સૂત્રાત્મક જિન શાસ્ત્રનું અધ્યયન કરાય તે, એ થઈ શકે છે; (૨) “ઈ” ધાતુ ગતિ અર્થમાં પણ વપરાય છે. તેને “અધિ” એવો ઉપસર્ગ લાગવાથી જેમની પાસેથી જિન પ્રવચન અધિગત એટલે પ્રાપ્ત કરાય તે એ થઇ શકે. (૩) “ઈ' ધાતુ સ્મરણ અર્થમાં પણ આવે છે, તે અર્થમાં અધિકપણે જેમનાથી સૂત્રથી જિન પ્રવચન સ્મરણ કરાય એ થઈ શકે, (૪) ઉપધાન એટલે ઉપાધિ એટલે સમીપતા એમ અર્થ કરતાં જેમની સમીપતાથી કે સમીપતામાં શ્રત જ્ઞાનને “આય” એટલે લાભ થાય તે ઉપાધ્યાય એવો અર્થ પણ સમજાય; (૫) “ઉપાધિ' એટલે વિશેષણે–એ અર્થ કરતાં જેમની પાસેથી ઉપાધિનો એટલે સારાં સારાં વિશેષણને લાભ મળે એ રીતે અર્થ ઘટે; (૬) “ઉપાધિ' એટલે સંનિધિ-પાડેશ-સામીપ્ય એ અર્થ કરતાં, જેમનું સામીપ્ય ઇષ્ટ ફળરૂપ હોવાથી આય એટલે લાભ રૂપ છે એમ અર્થ થાય. અથવા જેઓનું સામીય, આય એટલે ઇષ્ટફળ તેના સમૂહને મુખ્ય હેતુ છે, એ અર્થ થઈ શકે; (૭) ઉપ એટલે ઉપહત એટલે નાશ પામ્યા છે, “આધ્યામ' એટલે મનની પીડ (આવિ) ના લાભ (આય) જેનાથી અથવા નાશ પામ્યા છે “અધી' એટલે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy