SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ : = = ===== ગત દેશના જ ભેગ બનતાં પહેલાં પણ તેમણે વિચાર કરે જોઇતા હતા. આવી સુંવાળપ ખરે જ બહુ વિઘાતક ગણાય ! અમને ભય છે કે કદાચ શ્રી. ગોપાળદાસ ભાઇએ આવી મુલાકાતને શાસ્ત્રાર્થનું રૂપ આપ્યું હોય, અને તેથી જ તેમનું મન પાછું પડ્યું હોય પણ અમારે કહેવું જોઈએ કે આમાં શાસ્ત્રાર્થ જેવું કશું જ નહતું–નથી. એમની સાથે આવી જાતને શાસ્ત્રાર્થ હોઈ જ ન શકે! આમાં તો ફકત પરસ્પરનું દૃષ્ટિબિંદુ સમજવા-સમજાવવાની જ વાત હતી. આવી મુલાકાતનું પરિણામ એ આવત કે જે વાત તેમને હજી ય સાચી લાગ્યા કરે છે તે તેને સમજાવી શક્યા હોત અથવા તો તેમને જે સત્ય લાગ્યા કરે છે તેમાં જ્યાં જ્યાં ખલનાઓ માલૂમ પડે તેને તેઓ સુધારી શક્યા હોત. બાકી આમાં હારજીત જે કશે એ પ્રશ્ન ન હતું. સત્ય સમજવામાં એ હોઈ પણ ન શકે. આ મુલાકાત ન ગોઠવાતાં અમને જે કંઈ નિરાશા થઈ છે તે ફક્ત એટલા જ પૂરતી છે કે શ્રીગોપાળદાસ ભાઈ “ ગમે ત્યાંથી અને ગમે તે રીતે સત્ય સમજવું જોઈએ ' એ માટે ઉદારતા નથી દાખવી શક્યા. આ સિવાય અમારે આ પ્રશ્ન અંગે નિરાશ થવાને કશું ય કારણ નથી. કારણ કે આ ચર્ચાના ઉત્તરરૂપે જે કંઈ શાસ્ત્ર અને દલીલોના આધારે લખાવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં અમે. આપણા પરમપૂજ્ય વિધા આચાર્ય મહારાજ તથા મુનિમહારાજ પાસે લખાવીને અત્યાર અગાઉ આ જ પત્રમાં પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. બાકી ત્યાં બીજાના દ્રષ્ટિબિંદુને સમજવું જ ન હોય ત્યાં કેઈ શું કરી શકે ? આ ચયને અત્યાર સુધીને ટુંક સાર નીચેના મુદ્દાઓમાં આવી શકે (1) શ્રી ગોપાળદાસ ભાઈ આ પ્રશ્નને સમજવાનું પિતાની જાત પૂરતું મર્યાદિત કરીને કોઈ પણ શાસ્ત્રજ્ઞ આચાર્ય મહારાજ પાસે એને સમજવા તૈયાર નથી. આથી એક રીતે તેઓ આ પ્રશ્નને ધળો વિષે મટાડીને અંગત બનાવી દે છે. (૨) ઉપરના કારણે, શ્રીગોપાળદાસ ભાઈએ કરેલું માંસાહારનું વિધાન એ એમના પૂર્વગ્રહનું પરિણામ હોય એમ માનવાને કારણે મળે છે. (૩) આ પ્રશ્ન વિશદ રીતે જાહેરમાં છણાઈ ગયા છે એટલે જાહેર જનતાને લાગે વળગે છે ત્યાં સુધી તો જનતા એને સાચા અર્થ સારી રીતે જાણી શકી છે. એટલે સ્વાભાવિક રીતે અત્યારે તે હવે આ અંગે અમારે જાહેર રીતે વધુ કરવાનું કશું રહેતું નથી. છતાં અમે જરૂર આશા રાખીએ છીએ કે આ અંગે અમારી સમિ તિને જે વખતે જે કંઈ પ્રયત્ન કરવા જેવો લાગશે તે અમે જરૂર કરીશું. આ સિવાય શ્રી ગોપાળદાસ ભાઈએ લીધેલ વેલણ માટે ઘણું ઘણું લખી શકાય એમ છે, છતાં જ્યારે તેઓ પોતાની વાતને છેડવ જ માગતા ન હોય અથવા તે તટથતા પૂર્વક વિચારવા જ માંગતા ન હોય ત્યારે એ લખવાનો વિશેષ કઈ અર્થ નથી. છતાં આ નિવેદન પરું કરતાં પહેલાં એમના છેલ્લા “પ્રસ્થાન'ના વિના અંકમાંના નિવેદન અંગે અમારે સ્પષ્ટ લખવું જોઈએ કે– એ નિવેદનથી એમને એક ચર્ચા બંધ કર્યાને ભલે સંતોષ થયે હેય પણ અમે તે એને એક મહત્ત્વની ચર્ચાના મોટે ડચ માર્યા સમાન જ લેખીએ છીએ, તેમજ એ નિ: Jain Education International For Private & Personal Use Only
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy