SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિમલવસહી(આયુ)ના પ્રતિષ્ઠાપક કાણુ ? લેખક—મુનિરાજ શ્રી જયન્તવિજયજી * k . “ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના ક્રમાંક ત્રીસમાં શ્રીયુત અગરચંદજી ભવરલાલજી નાહટાને શ્રી અર્બુદાચલ ' નામને લેખ પ્રગટ થયા હતા. તેમાં આબુ ઉપરના વિમલ સહી મંદિરના ઉપદેશક અને પ્રતિષ્ઠાપક વિષે ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એજ વખતે તે સધી ખુલાસા કરવાના મારે વિચાર થયા હતા, પરંતુ સાહિત્યકારોના જાણવામાં કે જોવામાં આવે તેને આધારે તે કંઇ લખે તે સંબંધી ટીકા-ટિપ્પણી કરવાની શી જરૂર છે ?-એવા વિચારથી તે સબંધી કઇ પણ લખવાનો વિચાર્ મે મુલતવી રાખ્યા હતા. પરંતુ એ લેખમાં પોતાના ગચ્છ પરત્વેના મમત્વભાવથી, કંઇ પણ આધાર વગરનું લખાયુ હોય તો એ સાધીને સત્ય ખુલાસે પ્રકટ કરવા જ જોઇએ; એ પ્રમાણે કેટલાક સજ્જના તરફથી પ્રેરણા થવાથી, વિલંબથી પણ આ લેખ લખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને સજ્જનો તેમજ વિદ્વાનો આ લેખને નિષ્પક્ષપાત ષ્ટિથી વાંચશે એવી આશા રાખવામાં આવે છે. < શ્રીયુત નાહટાજીએ ઉકત લેખની પહેલી પંક્તિમાં આમૂ ઉપરના જૈન મંદિરમાં શ્રી વિમલ દંડ નાયકે અંધાયેલું વિમલવસહી મંદિર સૌથી પ્રથમ છે' એમ લખ્યું છે, પરન્તુ તેમાં “ અત્યારના વિદ્યમાન મંદિશમાં '' એટલુ વાકય ઉમેરવામાં આવવું જોતું હતું. કેમકે વિમલવસહીના પહેલાં પણ આબૂ ઉપર જૈન દશ હોવાના અને તેની યાત્રા કરવા માટે કેટલાક આચાય મહારાજો ગએલા હોવાના ઉલ્લેખ કેટલાક ગ્રન્થામાં મળે છે. એજ પેરેગ્રાફની અંદર શ્રીયુત નાટાજી આબુ રાસ ' દંતકથાઓના આધારે લખાએલ હેાવાનું કહે છે, પરન્તુ ઉક્ત રાસમાં આપેલા સવત્ પ્રમાણે તે રાસ આપ્યુ ઉપરના લુણૢવસહી મંદિરની પ્રતિષ્ઠા થયા પછી એ જ વર્ષે એટલે વિ. સ’. ૧૨૮૯માં ખને! હાવાથી તેમાં ‘લુણવસહી'ની બણે ભાગે સત્ય હકીકત આપવા ઉપરાંત કેટલીક નહિં જાણવામાં આવેલી નવી હકીકતા પણુ આપવામાં આવી છે. આ રાસમાં ‘વિમલવસહી'ની હકીકત ઘેાડીક જ આપેલી છે. તે કે તે ગુરૂપર પરાથી સાંભળવા પ્રમાણે અને ખીજા ગ્રન્થાને આધારે લખી હશે, છતાં ‘વિમલવસહી' પછી ફક્ત બસે જ વર્ષોંને અંતરે રચાએલ હોવાથી અને વિમલવસહિના વર્ષોંનવાળા ખીજા ગ્રન્થો કરતાં પ્રાચીન હોવાથી વિશ્વસનીય માની શકાય, < ' ઉક્ત લેખમાં ત્યારપછી શ્રીયુત નાહટાજી વિમલવસહી ' મંદિર ખોંધાવવા માટે વિમલ સેનાપતિને ઉપદેશ દેનાર અને વિમલવસહીના પ્રતિષ્ઠા કરાવનાર તરીકે શ્રીમાન વમાનમૂર્રાર્જીના ઉલ્લેખ કરે છે, પણ તેમાં તેમની ભૂલ થાય છે. વિમલવસ હીની પ્રતિષ્ઠા શ્રીમાન વ માનસૂરિજીએ કર્યાંનુ કાઈક ખતર ગચ્છની પટ્ટાવલિના આધારે પ્રેશફેસર એફ કીલેહેને એપીત્રાક્રિયા ઇન્ડિયાના દસમા ભાગમાં વિમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521544
Book TitleJain Satyaprakash 1939 03 SrNo 44
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size862 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy