SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧] શ્રી જન સત્ય પ્રકાશ ઉપર જણાવેલા કોષને અધિકાર વિચારશે એટલે જરૂર તમને જણાશે કે વર્ણની અપેક્ષાએ ભૂરું કેળું અથવા આકાર અને પ્રમાણુની અપેક્ષાએ ખાટાં મીઠાં લીંબુ લેવાય અને લીંબુ પણ બે લઇને તેને સંસ્કાર કરી રાખ્યું હોય તે રક્તને શોધે અને પિત્તને સમાવે એ સર્વ લોકમાં પ્રસિદ્ધ પણ છે. માટે કોળું અગર લીબુ એ અર્થ જ પ્રકરણને અનુકૂળ થઈ શકે, પણ તમારે કરેલ અર્થ વ્યાજબી થાય નહિ. વાસ્તવિક રીતિએ તે આ સવલહિયા સુધીના પાઠની કંઈ પણ ગંભીરતા નથી, કારણ કે તે કેળાને ઉપભોગ ભગવાને ખાવામાં કે અન્ય રીતિએ કર્યો જ નથી. છતાં ભગવાન મહાવીરની ના ગાઉં સદા કારતકવિ અર્થાત જે ઉપદેશ આપે તેવું પોતે પણ વર્તન રાખે એ નિયમને ઉદ્દેશીને શ્રી સુયગડાંગજીના પહેલા કૃત સ્કંધના બીજા અધ્યયનમાં અમારાશિ એવો અને શ્રી દશવૈકાલિકમાં એમણઅતિ અમારી એવા પાઠથી મધ અને માંસને ત્યાગને ઉપદેશ આપનાર તેઓ માંસને ઉપયોગ કરે જ નહિ. મહાશય! તમારે એ વિચારવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજા શ્રી સુયગડાંગ અને શ્રી દશવૈકાલિકના વાક્ય મુજબ સમસ્ત સાધુ વર્ગને મઘ માંસનો ત્યાગ કરવાને ઉપદેશ આપે એટલું જ નહિ, પરંતુ શ્રી ઠાણાંગજી, શ્રી ભગવતીજી, શ્રી ઉવ. વાઈલ્ડ આદિમાં પંચેન્દ્રિય જીવોની હિંસાને નરકે જવાના કારણ તરીકે જણાવે છતાં તે મહાપ્રભુ મહાવીર માટે એક સંગ્રહસ્થની સુશીલા સ્ત્રી માંસ રાંધે એ કેટલું બધું અસંભવિત અને અયુક્ત છે, એ હરકોઈ સમજી શકે તેમ છે, અને તેથી સંયમ માટે હિંસા વર્જવાની નથી એવી પોકળ વાતને બોલી શકે તેમ જ નથી. આ આહાર તૈયાર કરનાર મહાવીર મહારાજા નથી પણ એક સંગ્રહસ્થની ધર્મશીલા સ્ત્રી જ છે. ઉપર જણાવ્યા પ્રમાણે, અનુપયોગી છતાં, અધિકારી અનધિકારીપણાની ચર્ચા પૂરતું જણાવી હવે ઉપયોગી પાઠ ઉપર આવીએ. આગળના પાઠની કંઈક ચર્ચા કરાય તેની પહેલાં ઉપર જણાવેલ આખા પાઠમાંથી તે આગળના પાકને બરાબર ધ્યાનમાં રાખવું આવશ્યક હોવાથી તે ફરીથી જોઇએ अन्ने पारियासिए मज्जारकडए कुक्कुडमंसए तमाहराहि एएण अट्ठो પટેલ ગોપાળદાસ અને બીજા વાચકે પણ આ આગળ જણાવવામાં આવેલા શ્રી ભગવતીજીના પાઠ ઉપર બરાબર ધ્યાન આપે. ૧ પ્રથમ તે બને સ્થાનકે ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિજીએ ગોપાલજીભાઇએ સ્વીકારે માન્યતાને તા એમ કહીને ફેંકી દીધી છે અને બન્નેને સ્થાને વાસ્તવિક એવા વનસ્પતિના અર્થને કરનાર મહાનુભાવને જ જે સવારે એવા આદરમાં કવિએ રૂઢ કરેલ એવા પદને પ્રયોગ કર્યો છે. ૨ વનસ્પતિનો અર્થ ટીકાકાર મહારાજે સ્વતંત્રપણે રીતિએ કર્યા છતાં, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521543
Book TitleJain Satyaprakash 1939 02 SrNo 43
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy