SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ અ-ક ૧–૨] બે શિષ્યરત્ન [ ૮૭] પરંપરાગત મળેલ વારસો વિશ્વવંદ પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના સર્વ ભાવેને કેવલજ્ઞાન વડે હાથમાં રહેલા આંબળાની પેઠે જાણ્યા, એટલું જ નહીં પણ સુરાસુરેન્દ્રોએ રચેલા સમવસરણમાં આરૂઢ થઈને, અર્થરૂપી સુધાવણ વાણીને વરસાદ વરસાવી, ધર્મરૂપી કા૫નરૂને નવપલ્લવિત બનાવ્યું. ગૌતમાદિ ગણુધરીએ તેમાંથી બુદ્ધિરૂપી સ્વયંભૂરમણ સમુદ્રો ભરી લીધા, અને દ્વાદશાંગીર પીપ બાર મહાનદીએ ભવ્ય પ્રાણીઓની ધર્મપિપાસાને શાંત કરવા બહેતી મૂકી. પ્રભુ મહાવીરસ્વામીની વિધમાનતામાં જ નવ ગણુધરે નિર્વાણ પામ્યા હતા. ફક્ત પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી (ઇદ્રભૂતિ ) અને પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીની જ વિધમાનતા હતી. આ બેમાં દીર્ધાયુષ્યવાન શ્રી સુધર્માસ્વામી હોવાથી ગ૭ વગેરેને સર્વ ભાર તેમને શિરે હતે. એટલે ભાવી પ્રજા માટે દ્વાદશાંગી તેમની જ કાયમ રહી. શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ બાદ વીશ વર્ષે શ્રી સુધર્માસ્વામી મુકિતમહેલમાં પધાર્યા. તેમને વારસો થી જંબુસ્વામીને સોંપાયો. તેઓ વીરનિર્વાણ બાદ ૬૪ વર્ષે મેક્ષમાં પધાર્યા, કે તરતજ “મન:પર્યવજ્ઞાન, પરમાવધિ. પુલાક લબ્ધિ, આહારક શરીર, ક્ષપકશ્રેણિ, ઉપભશ્રેણિ, જિનકલ્પ, પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર, કેવલજ્ઞાન અને મોક્ષગમન; આ બાર વસ્તુઓને ભરતક્ષેત્રમાં વિચછેદ થયે. એમને વરસે શ્રી પ્રભવસ્વામીને સોંપાયે. તેમને વારસો (દશવૈકાલિક સૂત્રના કત્તાં ) શ્રી સયંભવસૂરિને સોંપાયે. તેમને વાર શ્રી યશોભદ્રસૂરિને સંપા. તેમને વારસે શ્રુતકેવલી ભગવાન ભદ્રબાહુસ્વામીને સંપા. તેમણે અનેક ગ્રંથ પર નિયુકિતઓ રચી. તે સિવાય, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કંધ, બહતા કલ્પ, કલ્પસૂત્ર, વગેરે અનેક ગ્રંથ રચ્યા. તેઓ વીરા, ૧૭૦ વર્ષે દેવલેક ગયા. તેમને વારસો થરમ ચતુર્દશપૂવેધર સ્થવિર સ્થૂલભદ્રજી મહારાજ ને સોંપાયે.તેઓ વીરાતુ ૨૧૮ (૨૧૫)માં દેવલોકે સિડાવ્યા. તેમના સ્વર્ગારેણુ બાદ છેલ્લા ચાર પૂવ (કલ્યાણપૂર્વ, પાણવાયપૂર્વ, ક્રિયાવિશાલપૂર્વ, અને લેકબિન્દુસારપૂર્વ), સમચતુરસ્ત્ર સંસ્થાન, વત્રષભનારાય સંધયણ અને મહાપ્રાણધ્યાન વિચ્છેદ પામ્યાં. તેમને વારસે વિધમાન દર્શપૂર્વધર આર્ય મહાગિરિજી અને આર્ય સુહસ્તીજીને સોંપાયે. ૫. ૧ આચારાંગ, ૨ સૂયગડાંગ (સૂત્રકૃતાંગ), ૩ કાણાંગ, ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યામશપ્તિ (ભગવતી), ૬ જ્ઞાતાધર્મકથા, ૭ ઉપાસાદશાંગ, ૮ અંતગડ (અંતકૃદૂદશાંગ), ૯ અણુનરવવાઈ દશાંગ ( અનુત્તરપાતિકદશાંગ), ૧૦ પ્રશ્નયાકરણ, ૧૧ વિપાકસૂત્ર અને ૧૨ દ્રષ્ટિવાદ. ६ तित्थं च सुहम्माओ निरवच्चा गणहरा सेसा । -व्याख्याप्राप्तिवृत्ति । ૭ “ વોરા બીજી સદીમાં દરાજાના સમયમાં–દેશમાં (મગધમાં?) એક સમયે ઉપરાઉપરી બાર વર્ષને મહાભીષણ દુકાળ પડતાં સંઘને નિર્વાહ મુશ્કેલ થતાં કંઠસ્થ રહેલ' ધર્મ સાહિત્ય લુપ્ત થવાને ભય થતાં, સુકાળ આવે મગધમાં–પ્રાયઃ પાટલીપુત્ર (પટણ)માં સંક ભેગો થયો ને જે જે યાદ હતું તે બધુ એકત્રિત કર્યું આવું નામ મધ-( પાટલીપત્ર ) પરિષદ કહીએ તે ચાલે. આચારાંગ આદિ ૧૧ અંગે સંધાયાં અને બારમું દ્રષ્ટિવાદ નામનું અંગ નાશ થયા વું લગભગ હતું, અને માત્ર આયંભદ્રબાહુ જ તે વખતે ૧૪ પૂર્વ ધર હતા. www.jainelibrary.o For Private & Personal Use Only Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy