SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૨] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક વિષ ૪ ૨૩ દેવાનંદસૂરિ તેઓ જયદેવસૂરિની પાટે થયા. તેમને વિશેષ પરિચય નથી મળતા. વીરવંશાવલિમાં લખ્યું છે કે “પશ્ચિમ દિશામાં દેવકીપત્તનમાં (પ્રભાસ પાટણ સંભવે છે) સં. ૧૮૫૯ પાર્શ્વપ્રભુનું બિંબ સ્થાપ્યું અને પ૭ર માં૧૯ કચ્છમાં સુથરી ગામમાં જેને અને શૈવે વચ્ચે વાદવિવાદ થયે” ઉ. ધર્મસાગરજી તપગચ૭ પટ્ટાવલીમાં લખે છે કે “ વીર નિ. સં ૮૪૫માં વલભીભંગ થયે, ૮૮૨માં ચયવાસીઓ થયા અને ૮૮૬માં બ્રહ્મદીપિકા શાળા નીકળી.” ૨૪ વિકમસૂરિ વીર નિ. સં. ની દશમી સદીના પ્રારંભના આ આચાર્ય દેવાનંદસૂરિની પાટે થયા. તેમણે ગુજરાતમાં સરસ્વતી નદીના કિનારે ખરસડી ગામમાં બે માસના વિહારા ઉપવાસ કર્યા જેથી સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ નમસ્કાર કર્યો અને ઘણાં વર્ષથી સુકાયેલું પીંપળાનું ઝાડ નવવિકસિત થયું. આથી સૂરિજીની બહુ ખ્યાતિ થઇ. ધાન્ધારક્ષેત્રમાં વિચારી સૂરિએ ત્યાંના પરમાર ક્ષત્રીઓને પ્રતિબોધ્યા હતા. રપ નરસિંહસૂરિ વીર નિ. સં. ની દસમી સદીના મધ્યમાં તેઓ વિક્રમરિની પાટે થયા. તેમણે, ઉમર ગઢમાં પુહાર (પુષ્કર)ના તળાવના કાંઠે ભાદા પ્રમુખ નગરમાં નવરાત્રિમાં વ્યંતર યક્ષ જે પાડાને ભાગ લેતે તે ઉપદેશથી બંધ કરાવ્યું. લખ્યું છે કે नरसिंहमूरिरासीदतोऽखिलग्रंथपारगो येन । यक्षो नरसिंहपुरे मांसरतिं त्याजितः स्वगिरा ॥१॥ ૨૬ સમુદ્રસૂરિ તેઓ નરસિહસરિની પાટે થયા. તે મેવા દેશમાંના કુંભલમેરના ખેમાણુ જાતના ક્ષત્રિય હતા. તેમણે અણહીલપત્તન, બાડમેર, કોટડા વગેરેમાં વિચરી શાસનપ્રભાવના કરી હતી, ચામુંડાદેવીને પ્રતિબધી હતી અને એક દિગંબર પંડિત (આચાર્ય ને વાદમાં જી હતા. વીરવંશાવલીકાર તેમના સમયના કેટલાક મહત્વના પ્રસંગે વર્ણવે છે : વિ. સં. પર૫ વીર વિ. સં. ૮૯૫માં યુગપ્રધાન જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ થયા, જેમણે દયાનશતક આદિ ગ્રંથ બનાવ્યા છે. વિશેષાવશ્યક ભાષ્ય પણ તેમનું જ રચેલું છું. યુગપ્રધાન પટ્ટાવલીઓ પ્રમાણે તે તેઓ વીર નિ. સં, ૧૦૫૫ થી ૧૧૧૫ (વિ. સં. ૫૮૫ થી ૬૫) સુધીમાં થયા છે. વિ. સં. પર–વીર નિ. સં. ૯૯૩માં કાલિકાચાર્ય થયા, જેમણે પાંચમની ચેક કરી અને સભા સમક્ષ કપસૂત્ર વાંચવું શરૂ કર્યું. વીરવંશાવલીકારે આ સમયમાં મતભેદ ૧૮ આ ત્રણે સંવતમાં હેરફેર છે, કયે સંવત્ લે તે સમજાતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy