SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] ગુરૂ-પરંપરા श्रीयंत्रसूरेरथ चंद्रगच्छ इति प्रथा प्रादुरभूदू गणस्य । भागीरथी नाम भगीरथाख्यमहीमहेन्द्रादिव देवनद्या ।। ૧૧ સમન્નાભદ્રસૂરિ આ ચંદ્રસૂરિના શિષ્ય હતા. તે પૂર્વશ્રતના જાણકાર-વિશારદ, વૈરાગ્યના ભંડાર અને મહાત્માગી હતા. તેઓ વસતીમાં રહેવાના બદલે ગામબહાર યક્ષાદિનાં મંદિરમાં કે વનમાં વસતા તેથી તેઓ “વનવાસી' તરીકે પ્રસિદ્ધ થયા અને લગભગ વીર નિસં ૭૦૦ માં ચંદ્રગચ્છનું વનવાસીગ૭૧૬ નામ પડયું. નિગ્રંથ ગચ્છનું આ ચોથું નામ હતું. તેમણે અપ્તમીમાંસા કાવ્ય ૧૪૪ (દેવાંગમસ્તોત્ર), યુટ્યનુશાસન પદ્ધ ૧૪, સ્વયંભૂસ્તાત્ર પદ્ય ૧૪૩ (સમન્તભદ્રસે–ચૈત્યવંદન સંગ્રહ), જિનમ્નતિશતક પધ ૧૪૪ (તુતિ વિધા-જિનશતક–જિનશતકાલંકાર) વગેરે ગ્રંથ બનાવ્યા છે. જે અત્યારે પણ મળે છે. દેવગમસ્તાત્ર પોતાના શિષ્ય વૃદ્ધદેવ રિએ જ્ઞાન કરાવવા બનાવ્યું છે. (“તપગચ્છ શ્રમણ વંશવૃક્ષ'માંના “તપગચ્છની ઉત્પત્તિ ” લેખના આધારે) આમના સમય પહેલાં જૈનસંધના શ્વેતાંબર અને દિગંબર એવા બે ભેદો પડી ગયા હતા. તેમણે તે બન્નેને સાંધવાને સારે પ્રયત્ન કર્યો અને ખાસ વનમાં રહેવા લાગ્યા. પણુ એ અકય ન સધાયું. દિગંબરે પણ સમન્તભદ્રસૂરિને સારૂં માન આપે છે. દિગંબર એમ કહે છે કે આ આચાર્ય દિગંબર હતા, પણ તે માટે કશું પ્રમાણ નથી મળતું. દિગંબરોના કહેવા પ્રમાણે આ સુરિજીએ રચેલા જીસિદ્ધિ, તત્ત્વાનુશાસન, પ્રાકૃતયાકરણ, પ્રમાણ પદાર્થ, કર્મ-પ્રાભત ટી, ગન્ધહસ્તિ ભાષ્ય વગેરે ગ્રંથે નથી મળતા. આ સિવાય એક સમન્તભદ્રાવકાચાર નામનો ગ્રંથ એમના નામે ચડાવી દેવામાં આવ્યું છે. અથવા તે કોઇ લધુમતભદ્રજીનો રચેલે પણ હોય. ૧૭ ૧દેવસૂરિ સમન્તભદ્રસૂરિના પટ્ટધર આ આચાર્યને વિશેષ પરિચય નથી મળતું. તેમણે કેર - કમાં ચૌદાણુ મત્રી નાહડે બનાવેલ જિનાલયની પ્રતિષ્ઠા કર્યાને ઉલેખ મળે છે. જજજગસૂરિજીએ પણ નાહડે બનાવેલ મદિરમાં ભ. મહાવીરનું બિંબ સ્થાપિત કર્યું હતું. ૧૭ ૬. ધમસાગરજીએ ‘તપગચ્છ પટ્ટાવલી'માં પ્રથમ પ્રતિષ્ઠા માટે લખ્યું છે કે बीरात पंचनवत्यधिकपंचशतवर्षातिकमे कोरंटके नाहडमंत्रिनिर्मापित૧૬ વીરનિ. સં. ૪૬૪-નવ સં, ૯૯૪માં વનવા રે ગઢનું વડગચ્છ નામ થયું, કારણ કે ઉદ્યોતનસુરિજીએ ઉત્તમ વેગમાં વડના ઝાડ નીચે આઠ રિસર્વેને એકી સાથે આચાર્ય પદ આથી આશીર્વાદ આપ્યા કે તમારી શિષ્યસંતતિ આ વટવૃક્ષની જેમ વૃદ્ધિ પામશે', આપી નિગ'થગછનું પાંચમુ નામ વડગછ થયું. પછી ૪૪માં પધર જગચંદ્રસૂરિજીએ બહુ તપ કરવાથી મેવાડના રાણા જૈત્રસિંહે સૂરિજીને “આપ સાક્ષાત્ પોમૂર્તિ છે” એમ કહ્યાથી વિ. સં. ૧૨૮૫માં તપાગચ્છ નામ થયું. આ રીતે નિગ્રંથગછનાં છ નામો થયાં. ૧૭ વીરવંશાવલી અને બીજી પદાવલીમાં આ પ્રતિષ્ઠા વિક્રમ સં. ૫રમાં કરાવ્યા ઉલ્લેખ છે, પણ તે વાત તે કઈ રીતે સંભવિત નથી. www.jainelibrary.on For Private & Personal Use Only Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy