SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨]. આગમનું પાચન [ ૪૭ ] વિચાર કરતાં, એના જે કાલિક અને ઉકાલિક એવા બે વિભાગો પાડવામાં આવ્યા છે તેની નામાવલી નદીસુત્ત (સૂ. ૪૪) અણુઓગદ્દાર (સ. ૪૨) અને પખિયસુત્ત પૂરી પડે છે. એમાં નિર્દેશેલા કેટલાયે ગ્રંથે આજે નામશેષ બન્યા છે. વ્યવહારસુત્તના દશમા ઉદેશકના અંતિમ ભાગમાં તેમજ ઠાણ (મુ. ૩૮૮)ની શ્રી અભયદેવસૂરિકૃત ટીકામાં કયુ આગમ કેટલા દીક્ષા-પર્યાય પછી ભણાય તેને જે દુલ્લેખ છે તેમાં કેટલાક આગમોનાં નામ નજરે પડે છે. વળી ઠાણના ત્રીજા અને દશમા સ્થાનમાં, આવસ્મય નિજુત્તિના પ્રારંભમાં અને આવલ્સયસૃહિણના ૭૪૧માં પત્રમાં તેમજ બીજા કેટલાક ગ્રંથોમાં આગમનો છૂટાંછવાયાં નામ જોવાય છે. અભ્યાસની દિશા---ક્યા કયા આગમે કયારે ક્યારે હતા અને તેનું શું સ્વરૂપ હતું અને છે એ સંબંધમાં યથેષ્ટ પ્રકારને અભાવ જોવાય છે. કારણકે આજે તે આગમેને અભ્યાસ જે જોઈએ તે ભાગ્યે જ થતે જોવાય છે. કેટલાક તે કેવળ આગમેના વિવરણમક સાહિત્યને અને તે પણ અર્થના અનુસંધાન પુરને જ અભ્યાસ કરે છે, અને મૂળતા અભ્યાસથી પ્રાઃ અલિપ્ત રહે છે. કેટલાક કેવળ મૂળને અભ્યાસ કરે છે અને એનું નિનુત્તિ, ચુષ્ણુિ અને ટીકારૂપ વિવરણાત્મક સાહિત્ય કે જે એના ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડી શકે તેમ છે તેનાથી વંચિત રહે છે. આ બંને માર્ગમાં સુધારણાને અવકાશ છે એમ મને લાગે છે. અતિહાસિક દષ્ટિએ એ વાત તે નિર્વિવાદ જણાય છે કે આપણું વર્તમાન આગની એટલે કે શ્રી મહાવીર સ્વામીના તીર્થની રચના પૂર્વ વેદ અને એના અંગરૂપ સંયે વિદ્યમાન હતા તે આપણે એ વૈદિક સાહિત્યને તેમજ આપણું આગમના સમકાલીન બૌદ્ધ સાહિત્યને અભ્યાસ કરવો જોઇએ. ખાસ કરીને એના મૌલિક ગ્રંથને ફડે આલેચ કરવું જોઈએ જેથી આ ભારતભૂમિ ઉપર અસાધારણ પ્રકાશ પાડનારી વૈદિક, બૌદ્ધ અને જન એ ત્રણે વિચાર જતિના યથેષ્ટ દર્શન થઈ શકે અને તેને સંપૂર્ણ લાભ લઇ શકાય. આગમનું મહત્વ --આપણુ આગમે એ હું પૂર્વ કહી ગયો તેમ આપણે અદ્ભૂત ખજાને છે. એમાં અર્થચમત્કાર ઉપરાંત શબ્દચમત્કાર પણ રહે છે. દ્રવ્યાનુ ગાદિ ચાર અનુયોગેને સ્પર્શતી એની મૂત્રરચના સૌ કોઈને મુગ્ધ બનાવે તેવી છે. એ આમની ભાષા અને ખાસ કરીને આયારની અને તેમાં પણ એના પ્રથમ અધ્યયનની ભાષા વિશેષતઃ આકર્ષક અને પ્રભાવક જણાય છે. આપણા આમને એ કેવળ ધાર્મિક એમ કહી તવાર્થાધિગમશાસ્ત્ર (અ. ૧ સૂ. ૨૦)ને ભાષ્ય (પૃ. ૯૦)માં સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વજન, પ્રતિકમણ, કાયબ્યુન્સગ', પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યાય, દશા, કહ૫, વ્યવહાર, નિશીથ અને ષિભાષિતને ઉલેખ કરાયેલો છે. * જે, દિવસની અને રાત્રિની પ્રથમ અને અંતિમ એ બે જ પરૂથીમાં ભણુય તે 'કાલિક” અને જે કાલવેળા છોડીને ભણાય તે હકાલિક' ગણાય છે. ૫ “ મહંત આગમનું અવલોકન” એ હાલમાં છપાતી કૃતિમાં પ્રત્યેક આગમન સ્વરૂપની મૌમાસ કરતી વેળા આ સંબંધમાં મેં કેટલોક નિર્દેશ કર્યો છે. www.jainelibrary.on For Private & Personal Use Only Jain Education International
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy