SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક ૧ વર્ષ ૪ આ જગદેવાલયમાં દીવાલ પર શ્રી નેમિનાથ ભગવાનની જાત વગેરે ચિત્ર દેલ છે. ધેડા વર્ષ પહેલાં ગાયકવાડ સ્ટેટે આ મન્દિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે આ ચિત્રોને અસલ રૂપ માં સુરક્ષિત રાખવા માટે શ્રીયુત ગોકળદાસ નાનજીભાઈ ગાંધીએ ગાયકવાડ નરેશને પ્રાર્થના કરી હતી, અને સંભાળવા પ્રમાણે તે અર્થનાને ઘણે અંશે સ્વીકાર કરવામાં આવ્યો હતો. મતલ કે આજનું હારિકાનું જમતુદેવાય તે જનનું ગુપ્તકાલીન જિનમંદિર છે વસ્તુતઃ આ દ્વારિકા જ નથી. આ તે શહાર દીપ છે. વૈષ્ણની દ્વારિકા અહીંથી ૧૧ કષ દૂર કડિનારનો પાસે છે, એમ વિચારક વેણુવ વિદ્વાને માને છે, પરન્તુ કઇક સ માં આ દેવાલય વૈષ્ણના હાથમાં આવેલ છે અને શંખેશદ્વારને જ દ્વારિકા તરીકે માની લીધેલ છે. જગન્નાથપુરી વિશાલાનગરીના કણિક-ચેટકના યુદ્ધ પછી ચેટકને પુત્ર શોભનરાય કલિંગમાં પિતાના સસરાને ત્યાં આવી રહ્યો અને સસરાની પછી તે કલિંગને રાજા બન્ય. આ રાજા પરમ જેન હતું. તેના પિતા પણ ભ. પાર્શ્વનાથના શાસનના ભાવક હતા. આથી આ કુટુંબમાં ભ૦ પાર્શ્વનાથ પ્રત્યે અધિક શ્રદ્ધા હોય એ સ્વાભાવિક છે. સંભવે છે કે રાજ શેભરાયે પિતાની રાજધાની પાસે જ જગનાથપુરીમાં ભ૦ પાર્શ્વનાથનું તીર્થ સ્થાપ્યું હોય, તેના ઉત્તરાધિકારી રાજાઓ પણ જન હતા, એટલે આ તીર્થ વિશેષ જાગ્યું. અને તેમાંય ત્યાંના “ પુરીમાં હુતાસ્કૃત નહી ” લક્ષણુવાલા સાધમકવાત્સલ્ય એ તીર્થને જગતુતીય બનાવ્યું. આચાર્ય શ્રી સ્વામી વિક્રમની પહેલી સદીમાં અહીં પધાર્યા હતા. ત્યારબાદ શંકરાચાર્યના અત્યાચારથી જનધર્મ આ પ્રદેશમાં રહ્યો નહીં અને એ પ્રસિદ્ધ જૈનતીર્થ શૈવતીર્ય બની ગયું છતાંય એ તીર્થની એ પ્રાચીન જિનપ્રતિમા આજ પણ ત્યાં તે જ રૂપે વિધમાન છે. યદ્યપિ સૈવાચાર્યોએ એ મૂર્તિને હટાવી નહીં પણ તેનું બાહ્યસ્વરૂપ અપચારિક ચાર હાથવાળુ બનાવી રાખ્યું છે. અંદર મૂર્તિ પ્રાચીન છે તે જ છે. ઉપર લાકડાનું બે ( આંગી) છે તેમાં નીચેના બે હાથે તે દયાનસ્થ દશાવાળા છે. ખભાની ઉપર બીજા બે હાથ જોડી દેવામાં આવ્યા છે. આ લાકડાનું ખેળ દર બાર વર્ષે માત્ર રાજા, પુરોહિત અને સુતાર એ ત્રશુના હજરીમાં જ બદલાવાય છે. આજે જન અને સોનીને આ મન્દિરમાં જવાની સફ મના છે. જગન્નાથપુરી એ પ્રાચીન જૈન તીર્થ છે, પરંતુ જનના દર્શન માટે બંધ છે. આ સ્થાન પણ બદ્રીપાર્શ્વનાથ નામનું પ્રાચીન જૈનતીર્થ છે. શંકરાચાર્યના યુગમાં તે નારાયણું તીર્થ બનેલ છે. પરંતુ તેમાં મૂર્તિ તે જૈન તીર્થ કરની છે. ઋષિકેશથી ૧૬૩ માઈલ દૂર બદ્રીની અગિયારેક વાર યાત્રા કરી આવેલ એક વિદ્વાન બ્રાહ્મણે એક વાર વાતચીતમાં જણાવ્યું હતું કે “એક મહત્ત્વને સ્વપ્નમાં ૨૪ જિનપ્રતિમાનાં દર્શન થયાં અને તે અનુસારે શોધ કરતાં વખ-સુચિત પ્રદેશમાંથી એક પરિકર વાળી પ્રતિમા મળી આવી. તે જ પ્રતિમા આજે બદ્રી મન્દિરમાં સ્થાપિત વિદ્યમાન છે. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy