SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫ શ્રી જૈન સત્ય પ્રકાશનવિશેષાંક વિર્ષ કાર્ય કરજે” સુનંદા બેલી : “હું કહું છું તે બરાબર જ છે, હું તેનાથી બહુ જ કંટાળી ગયેલી છું, માટે આપ તેને જરૂર સ્વીકારે.” આ પ્રમાણે ચાંદાને દઢ નિશ્ચય જાણ્યા પછી છેવટે પિતાની સાથે રહેલા આર્યસમિત મુનિવર્ય તથા ગુનંદાની સખીઓ વગેરેને એ પ્રસંગના સાક્ષી બનાવીને ધનગિરિજી રૂદનથી વિરામ પામેલા એવા તે બાળકને સુનંદાને હાથે પોતાની વેળીમાં વારી તે ઘરથી ચાલી નીકળ્યા. તે પુત્રના અત્યંત ભારથી તેની ભુજા એકદમ નમી ગઈ. ગુરૂ આજ્ઞાનું પાલન કરી તે બંને મુની ગુરૂમહારાજની સમક્ષ હાજર થયા. એવામાં ભારેથી વાંકી વળી ગઈ છે. ભુજા જેની એવા આર્ય ધનગરિકને જોઈને ગુરૂમહારાજ બોલ્યા “હે મુનિઓ, આજે મિલાના ભારથી તમે બહુ જ શ્રમિત થઈ ગયા લાગો છે, માટે તે મને આપે કે જેથી થાકી ગયેલ તમારી ભુજાને શાંતિ મળે.' આ પ્રમાણે કહીને ગુરૂમહારાજે કેળીને પોતાના હાથમાં લીધી. ઝોળીમાં જોતાં તેમાં મહા સૌભાગ્યવન અને હસમુખા બાલકને જે તે બાળકનું નામ, તેનામાં વજ જેટલે ભાર હેવાથી, વા એ ધમાએ બવ આવ્યું. પછી સધુઓને કહ્યું કે “આ બાવક ભવિષ્યમાં મહાભાગ્યવાન થશે. અને પ્રવચનના આધાર રૂપ થશે માટે તેની બહુ જ સંભાળ રાખવાની છે.' ગુરૂમહારાજે તે બાલકને, લાલન પાલન સારું, સાવીઓને સોંપ્યો. સાધ્વીઓ એ ભકત એવા શેયાતરને ઘેર જઇને “ આ પુત્ર અમારા આત્મા સમાન છે માટે તેનું અત્યંત કાળજી પૂર્વક પણ કરજો ” એમ આજ્ઞા કરીને તેઓને સે. બાલઉછેરમાં કુશળ એવી શૈયારની પણ તે કુમારને પિતાના પુત્ર કરતાં પણ અધિક સમજી પ્રીતિપૂર્વક ઉછોરવા લાગી. બાળક પણ તે સ્ત્રીઓને અરૂચિ થાય તેવી ચપલતા કાપિ ન કરો. અને આહાર કરવામાં પણ બહુ પરમિત રહે , કારણકે તેને જાતિસ્મર ઉત્પન થયું હતું. તે હંમેશાં જ્ઞાનયાત્રાકનાં અનેક ઉપકરણે લઇને બાલક્રીડા કરતા અને એ રીતે શયાતરીઓને હમેશા આનંદ કરાવતે. એક વખત પિતાના પુત્રને સુશીલ થયેલો જેને સુનંદાનું મન ડગુમગું થવા લાગ્યું. તે શેયાતર. સ્ત્રીઓને “આ પુત્ર માર છે,” એમ વારંવાર કહીને યાચના કરવા લાગી, એટલે તેઓ બે જવાબ આપે કે “હે સુનંદે, તારો અને આ પુત્રને માતા-પુત્રને સંબંધ અમે જાણતા નથી. આ કુમાર તે અમારે ત્યાં ગુરૂમહાજની થાપરૂ૫ છે. આ રીતે તે કુમાર પિતાને માથે નહિ એટલે નિરાશ થયેલી તે દુરથી તેને જોઈને સંતોષ માનવા લાગી. ક્રમશઃ તે સુસંઘ, અતિ આગ્રહથી, તેમના જ ઘેર ધાવમાતાની માફક રહીને સ્તનપાનદિક વડે તેને ઉછેરવા લાગી. ડે સમય વીયે ત્યાં આર્ય ધનગરિજી વિહાર કરતાં કરતાં ત્યાં પધાર્યા. સુગંધ પહેલેથી જ નકકી કરીને બેઠેલી હતી કે જ્યારે ધનગિરિજી આવશે ત્યારે મારો પુત્ર હું તેઓની પાસેથી પાછો લઇ લકશ એટલામાં ધનગિરિજી ત્યાં પધાર્યા એટલે હર્ષથી ઘેલી બનેલી તે પુત્રના મેહને લીધે તે મહર્ષિઓની પાસે ગઈ અને બે હાથ જોડી વિજ્ઞપ્ત કરવા લાગીઃ “હે પ્રભો, મારે પુત્ર મને પાછા આપે.” ધનખરજીએ કહ્યું: “હે મુગ્ધ, ભાગ્યા વિના જ તે તારી રાજીખુશીથી આ પુત્ર અમને મેયો છે. વમન કરેલ અન્નની જેમ આપી દીધેલ વસ્તુની કે મૂખે કરી પ્રાપ્તિ કરાની ઇચ્છા કરે? વળી તેના ઉપરથી તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy