SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ક ૧-૨] શ્રી વાસ્વામી સાક્ષીઓ રાખીને પોતાનું વલીપણું ઉડાવી લીધું છે માટે આ તારી માંગણી અસ્થાને છે.” આ પ્રમાણે ઉત્તર મળવાથી બન્ને પક્ષ વચ્ચે મે ટે વાદવિવાદ ઉપસ્થિત થયે, એટલે પ્રેએ કહ્યું: વાદને નિર્ણય ન્યાયમંદિરમાં રાજા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ નિશ્ચિત નહિ જ થાય, માટે ત્યાં જાઓ.” આ પ્રમાણે સાંભળીને મેહને વશ થયેલ સુનંદા રાજ પાસે ન્યાય માગવા માટે તેની સાથે ગઇ. સાધુઓ પણ બંધ સહિત રાજસભામાં ગયા. ત્યાં સનંદના પક્ષની બેઠક રાજાની ડાબી બાજુ અને આર્ય ધનગિરિજી તથા સંધની બેઠક જમણી બાજુએ હતી. અને તટસ્થ લોકો યથાસ્થાને બેઠા, પછી બોના બેલવા ઉપર વિચાર કરીને જણાવ્યું “જેના બેલાવવાથી બાળક જેની પાસે જાય તેને એ બાલક છે એમ મનાશે.” આ પ્રમાણેને નિર્ણય બન્ને પક્ષે કબુલ કર્યો. પછી “પ્રથમ કે બેલવે” એ પ્રશ્ન થતાં લોકોએ કહ્યું “આ બાલક સાધુઓના લાંબા વખતના પરિચયથી તેમની સાથે પ્રેમાળ થઈ ગયું છે તેથી તે એમનું વચન ઉલ્લંઘી શકશે નહિ. માટે પ્રથમ તેની માતા બેલાવે.” એટલે સુનંદાએ અનેક પ્રકારનાં રમકડાં અને ખાદ્ય વસ્તુઓ બતાવી વજને કહ્યું “હે વત્સ, હું તારી જન્મદાત્રી માતા છું, તારા કાજે મેં અપાર સંકટ સહી મારી કાયાને કૃશ કરી નાખી હતી, માટે આ લે કેથી ન શરમાતાં જદી મારી પાસે આવી અને મારા ખેળામાં આળોટ, નહિતર મારું આ હૃદય પાકેલા કાળાની માફક દિધા થઇ (ફાટી) જશે.” આ પ્રમાણે અનેક ઉપાય કર્યા ૫ગુ તેની પાસે ન ગયો. કોઈ પણ માસ પિતાની માતાના અગણિત ઉપકારોની અવગણના ન કરે એ ન જાણતાં છતાં વજકુમાર વિચાર કરવા લાગ્યા જે માતા પ્રતિ આકર્ષાઇને હુ સંધની ઉપેક્ષા કરીશ તે ભારે સંસારની બહુ જ વૃદ્ધિ થશે. વળી આ મારી માતા ખરેખર ધન્ય છે, અને લઘુ કમ છે માટે જરૂર તે પણ દીક્ષા લઇ આત્મકલ્યાણ કરશે! આ પ્રમાણે વિચારી વજકુમાર જાણે પ્રતિમાસ્ય ન હોય તેમ સ્થિર ઉભો રહ્યો અને માતાના મેહક ઉપાથી જરા પણ ચલાયમાન ન થયું. આ પર્વ દશ્ય જોઈને રાજાએ કહ્યું: “હે સુનંદે, આ બાળક જણે તને માતા તરીકે જાણ જ ન હોય તેમ તેં અનેક રીતે બેલા છે છતાં પશું તારી પાસે આવ્યું નથી માટે હવે તું દુર ખસી જા, અને ધનગિરિજીને બોલાવવા દે.' પછી રાજાએ આર્ય ધનગિરિજીને બોલાવ્યા અને કહ્યું કે હવે આ બાળકને તમે બોલા, ભારે આર્ય ધનગિરિ છએ કહ્યું કે “હે સુનંદાનદન, જે તારી વ્રતને ગ્રહણ કરવાની ઇચ્છા હોય તે અને તું તત્વને જાણ હોય તે આ ધર્મને જ રૂપ અમારા રવરણને તુ સ્વીકાર. આમ કહેતાંની સાથે જ બાળક હાથ ઉંચા કરતે દોડતે આવી પિતાના પિતાના મેળામાં જઈને બેડો અને ધર્મધ્વજને લઈ સહર્ષ નાચવા લાગે. આ રીતે તે વજકુમારે રજોહરણ સિવાય બીજી કશી વસ્તુ ઉપર પિતાની દૃષ્ટિ નાખી નહિ. આ જોઇને હતાશ થયેલી સુનંદે આ પ્રમાણે વિચાર કરવા લાગી કે મારા ભાઈએ દીક્ષા ગ્રહણ કરી, મારા પ્રાણેશ્વરે પણ ચારિત્ર લીધું અને હવે આ મારો પુત્ર પણ જરૂર સંયમ લેશે માટે મારે પણ હવે પ્રબળવા લેવી જ ઉચિત છે. આ પ્રમાણે દૃઢ નિશ્ચય કરી સુના પિતાને ઘેર ગઈ અને મુનિએ પણ વજકુમારને લઇને સ્થાને ગયા. Use Only Jain Education tematontas www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy