SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આ રાજાના ભિન્ન ભિન્ન ગ્રંથોમાં ભિન્ન ભિન્ન નામે મળે છે. જૈન ગ્રંથ દીપવંશ તથા મહાવંશમાં બિંદુસાર; વિષ્ણુપુરાણ, કલિયુગરાજ વૃત્તાંત તથા અન્ય પુરાણોમાં વારિસાર, વાયુપુરાણમાં ભદ્રસાર અને ગ્રીક ગ્રંથોમાં Amitrochates અમિ ચેટસ એટલે આમિત્રાઘાત નામ મળે છે. તેના રાજદરબારમાં ડેઇમેકસ નામને યુનાનને એલચી આવ્યું હતું, જેણે ભારતભ્રમણનું વૃત્તાંત લખ્યું હતું. આજે એ લખાણને થોડોક ભાગ જ ઉપલબ્ધ થાય છે. સોળમી સદીના પ્રસિદ્ધ રીબેટી લેખક તારાનાથના લખવા પ્રમાણે બિંદુસારે ચાણક્યની સહાયથી સેળ રાજ્ય ઉપર વિજય મેળવ્યું હતું અને તેના રાજા તથા મંત્રીઓને નાશ કરી એક સમુદ્રથી બીજા સમુદ્ર સુધી મર્ય શાસનની ધજા ફરકાવી હતી. (મૌર્ય સામ્રાજ્યકા ઈતિહાસ, પૃ. ૪ર૬-૨૭) બૃહત્કલ્પસૂત્ર ભાષ્ય ગા. ૧૧૭માં પણ બિંદુસારે ચંદ્રગુપ્ત કરતાં વિશેષ ભૂમિમાં અને ચડિયાતી રીતે શાસન કર્યાના આશયને ઉલ્લેખ મળે છે. બિંદુસાર જૈન હતા એના સ્પષ્ટ ઉલલેખો મળતા નથી પણ તેને પિતા ચંદ્રગુપ્ત, તેના મંત્રીઓ અને પ્રારંભિક જીવનમાં તેને પુત્ર અશક જૈન હો એ ઉપરથી બિંદુસાર જન હતું એમ માની શકાય છે. સત્યકેતુ વિધાલંકાર “મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ” પૃ. ૧૭૧માં લખે છે કે – મૌર્ય રાજાઓ બૌદ્ધ કે જન હતા. તેમના ધર્મ-વિજ્યજી ઇર્ષાળુ બની બ્રાહ્મણે એ મૌર્ય સામ્રાજ્ય પ્રત્યે વિદ્રોહ ફેલાવી તે શાસનને અંત આણ્યે.” આથી સ્પષ્ટ થાય છે કે મૌર્યવંશી રાજાઓ તે જૈન હતા કે બૌદ્ધ હતા. બીજી બાજુ બૌદ્ધ ગ્રંથોમાં બિંદુસારના બૌદ્ધ હેવાને સાફ ઇન્કાર કરવામાં આવ્યું છે એટલે છેવટે તેને જૈન માનવો પડે છે. - બિંદુસારને શાસનકાળ લગભગ ૨૫ વર્ષને મનાય છે. તેના મરણ પછી તેનો પુત્ર અશોક તેની ગાદીએ આવ્યું. અશે કે બૌદ્ધધર્મને સ્વીકાર કરી મરણ સુધી તેનું જ પાલન કર્યું. સમ્રાદ્ધ સંપ્રતિ અશકના રાજ્યકાળમાં ભયંકર દુકાળ પડશે, ત્યારે આચાર્ય આર્ય સહસ્તસૂરિએ કૌશાંબીમાં, એક સાધુ પાસે ખાવાની માગણી કરતા એક ભીખારીને દીક્ષા આપી. દીક્ષ લઇને તે જ દિવસે ભીખારીએ ખૂબ દાબીને આહાર કર્યો તેથી તે જ રાત્રે તે મરણ પામે. ભરીને તે અવ્યકત સામાયશ્ચારિત્રના પાલનના પ્રભાવે અશેકના પુત્ર યુવરાજ કુણાલન પનીની કુક્ષિમાં પુત્રપણે ગર્ભમાં આપે. આ વખતે કુણાલ યુવરાજ હોવાથી ઉર્જનને પ્રદેશ તેના ભોગવટામાં હતો.૧૦ પણ ૯ બરાજતરંગિણી'માં અશકે છેલ્લા ચાર વર્ષ દરમ્યાન જનધર્મ સ્વીકાર્યાને ઉલેખ છે, પણ તે પ્રામાણિક હેય એમ માની શકાતું નથી. ૧૦ અત્યારે જેમ ઈગ્લેંડના યુવરાજને વેલ્સનું પરગણું અને નિઝામના યુવરાજને વરાડપ્રાંત ભગવટા માટે અપાય છે તેમ તે વખતે મૌર્ય યુવરાજને અવંતીને પ્રદેશ મતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy