SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અ'ઃ ૧-૨ ] જન રાજાઓ [૧૧] કરી હતી. ચાલુકય તેના ઉપાય શોધવા લાગ્યો. એક દિવસ તેણે ચંદ્રગુપ્તની રમત જોઇ અને તેની પાસે જઈ દાન માગ્યું'. ખાલકાના રાજા ચંદ્રગુપ્તે એક રાજાની જેમ ચાલુકયને સતથ્યો એટલુ જ નહીં પણ તેના ઉપર એક રાજવી તરીકેની છાપ પાડી. તપાસ કરતાં ચાણકયને માલુમ પડયુ કે આ બાળક તે જ છે જેને પોતાને સાંપવાની શરત તેના માતા-પિતાએ કરી હતી. આથી તેના આનંદને પાર ન રહ્યો. આ બાળક દ્વારા પોતાની પ્રતિજ્ઞા સળ થવાનાં સ્વપ્ન તે જોવા લાગ્યા. તેણે એક સૈન્ય ભેગુ કરી અને ચંદ્રગુપ્તને પોતાની સાથે લઇ એકાએક પાટલીપુત્ર ઉપર છાપો માર્યો, પ તેમાં તે બિલકુલ ન ફાવ્યો, અને પોતાના અને ચંદ્ગુપ્તને જીવ બચાવા પણ ભારે થઇ પડયે. છેવટે મહામુસીબતે એ બન્ને જણા એક ગામમાં જઇ પહોંચ્યા. ત્યાં એક ડાસી પાસેથી જાણવા મળ્યું કે ચાણકયે આસપાસના રાજાઓને સાધ્યા વિના પાટલીપુત્ર ઉપર ચઢાઈ કરી, તેથી તેને માર ખાઈને ભાગવું પડયું.' બસ, ડેસીમાના આ નીતિવાકયના આધારે ચાણકયે પોતાના ભવિષ્યના માર્ગ નકકી કરી લીધો. તે ચંદ્રગુપ્તને સાથે ક્ષઈ હિમાલયના પ્રદેશમાં ગયા અને ત્યાંના પર્વત રાજા સાથે એવી શરત કરી ક્રુચાણકયની બુદ્ધિ અને પર્વતનું સૈન્ય એ એ વડે નક્ને હરાવી જે રાજ્ય મળે તે બન્નેએ આધાઆધ વહેંચી લેવુ.’ ( હવે ચાણકયના પગમાં જોર આવ્યું. તેણે ખીજા નાના નાના રાજાઓને સાધવાના પ્રયત્ન આરબ્યો. આ દરમિયાન ઇ. સ. પૂર્વે ૩૨૬માં યુનાનને બાદશાહ મહાન સિકંદર શ્વરાન જીતી ભારત ઉપર ચઢી આવ્યો અને પંજાબના પ્રદેશ પોતાના કબજે કર્યો. ચંદ્રગુપ્તે આ તકનો લાભ લઇ એ પ્રદેશની પ્રજાને સ્નેહ મેળવ્યા અને એ પ્રજાને પેાતાની સ્વતંત્રતા જાળવવા સામના કરવા ઉશ્કેરી એક સૈન્ય તૈયાર કર્યું. એ સૈન્યે સિકદરને પરાજય કર્યાં. પછી એ વિજયાન્મત્ત સૈન્ય સાથે તેણે પાટલીપુત્ર તરફ કુચ કરી. આ યુદ્ધયાત્રામાં પર્વત રાજાનો અને ચાણકયની યુક્તિમાજ બુદ્ધિના સહકાર હતા. તેણે પાટલીપુત્ર ઉપર આક્રમણૢ કર્યું" અને નંદરાજાને નાશ કર્યો. જો કે શરત પ્રમાણે પર્વતરાજા અડધા રાજ્યના હકદાર હતા, છતાં ચાલુકયની કુટ નીતિનો ભાગ મની તે મરણ પામ્યા અને એ રીતે વીરિન. સ, ૨૧૫ લગભગમાં ચંદ્રગુપ્ત પાટલીપુત્રને સર્વેસર્વા અન્ય. સમ્રાટ્ટ ચંદ્રગુપ્તના રાજ્યકાળ માટે નીચે પ્રમાણે ભિન્ન ભિન્ન મતા મળે છેડ ૧ રન. સ. ૨૧૫માં મૌર્યવંશનું રાજ્ય શરૂ થયું. (પ્રાચીનગાથા, તપગચ્છપટ્ટાવલી રૃ. ૪૬, વિવિધ તીય કલ્પ ૫૦ ૩૮) ૨ વીરિન. સ. ૧૫૫માં ચંદ્રગુપ્ત રાજા થયા. (પરિશિષ્ટ પર્વ, સગ ૮, શ્લા ૩૩૯) ૩ નવન દાના શાસનકાળ ૧૦૦ વર્ષના છે. પછી ચંદ્રગુપ્ત રાજા થશે. એટલે કે Jain Education Interવીરિન. સ. ૧૫૫માં ચંદ્રગુપ્ત થશેersonal Use Only www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy