SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ ૪ (૧૦) ધ્યાનદાર--જિનકપ સ્વીકારતી વખતે ધર્મધ્યાન વર્તતું હોય, અને સ્વીકાર્યા બાદ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન પણ સંભવી શકે છે. પણ તે તીવ્ર નહીં (મંદ સ્વરૂપે). (૧૧) ગણુનાદાર–જિનકપ સ્વીકારનાર જઘન્યથી એકાદિક અને ઉત્કૃષ્ટથી શતથવ ( ૨૦૦ થી ૯૦ ) હેય. (૧૨) અભિગ્રહદાર–અભિયહ ચાર પ્રકાર છે. દ્રવ્ય ૧, ક્ષેત્ર ૨, કાલ ૩ અને ભાવ ૪. આ ચારેને આશ્રીને જિનપિક મહાત્મા વિહિત પ્રકારના અભિગ્રહ કરે. (૧૩) પ્રવાજનાદાર–કલ્પની મર્યાદાને લઈને કેને પણ પ્રવજ્યા (દીક્ષા) આપી શકે નહીં. (૧૪) નિષ્પત્તિકર્માદાર–વિવિધ પ્રકારના રોગ ઉત્પન્ન થાય, છતાં લેશ માત્ર પણ ચિકિત્સા ન કરે, એટલું જ નહીં પણ સમભાવે સહન કરે. યાવતું આંખને મેલ સરખે પણ કાઢે નહીં. (૧૫) ભિક્ષાદાર–સાત પ્રકારની૧૫ પિશ્લેષણામાંથી પહેલી બે વર્જી, ત્રણને અભિગ્રહ કરે. અવશેષ જે રહી તેમાં એક પિરોષણથી ભિક્ષા (આહાર) ગ્રહણ કરે. બીજી પિડેષણાથી પાણી (જળ) ગ્રહણ કરે. ત્રીજી પૌરસીમાં જ આહારદિક ગ્રહણ કરે અને તે પણ વાલ-ચણા જે લૂખે. વિશેષમાં – માસિકલ્પ યા ચાતુર્માસકલ્પ જ્યાં નિયત હેય ત્યાં ક્ષેત્રના છ ભાગ છે. એક દિવસ અમુક તરફ, એક દિવસ અમુક તરફ, એમ સાતમે દિવસે પાછે એને વારે આવે. (૧૬) પથદ્વાર–જિનપી મહાત્માને ત્રીજા પહોરમાં જ વિહાર–આહાર-નિહાર હોય છે. ચોથા પહોરની શરૂઆતમાં જ જ્યાં હોય ત્યાં સ્થીર થઈ જાય અને કાઉસ્સગ્ન ધ્યાનમાં મગ્ન રહે. માર્ગમાં ચાલ્યા જતાં ગમે તેટલા વિકટ પ્રસંગે ઉપસ્થિત થાય, મદોન્મત્ત ગજેન્દ્ર, કેશરીસિંહ ગર્જના કર સન્મુખ આવતો હોય, છતાં પણ જે ગતિએ ગમન કરતા હોય તે જ ગતિએ એક સરખા જયણાપૂર્વક ચાલ્યા જાય. જરા પણ ગતિમાં મંદતા ન કરે. આ સિવાય જિનકલ્પી મહરિને “ વાઋષભનારાય” નામનું પ્રથમ સંધયણ હોય. તેમને લેચ અહર્નિશ હોય, એટલે કે વાળ ચપટીમાં આવી શકે એટલા થાય ત્યારે હેય. અને આનાપાતા લોકાદિ દશ ગુણે કરીને સહિત જે શુદ્ધ ભૂમિ (સ્થણિલભૂમિ) તેમાં જ સ્પંડિલ જાય, જીર્ણ વર્માદિકને ત્યાં જ પર. વગેરે વગેરે વસ્તુઓ પણ અનેક કારોથી સિદ્ધાંત-શાસ્ત્રમાં વર્ણવેલી છે. १५ संसट्ठमसंसट्ठा उद्धड तह अप्पलेवडा चेव । उग्गहिया पग्गहिया उज्झियधम्मा य सत्तमिया ॥ १ ॥ [संसृष्टा असंसृष्टा उद्धृता तथा अल्पलेपिका चैव । Jain Education Internatતા કદીરા તિર્થમાં જ રામ ૨]. www.jainelibrary.org
SR No.521537
Book TitleJain Satyaprakash 1938 08 SrNo 37 38
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1938
Total Pages226
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy