________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨૪]
થો જન સત્ય પ્રકાશ
[વર્ષ ૩
બરીય સંપ્રદાય વિષે સ્પષ્ટ નિર્દેશ કર્યો જણાય છે. એમની પૂર્વે કોઈએ નાસ્તા વાળા પધતા કર્તા નંબરીય સમાભદ્ર હોવાને ઉલ્લેખ કર્યાનું જણાતું નથી.
(૮) દિગંબર સંપ્રદાયમાં પ્રસ્તુત પધના કતૃત્વ વિષે મોડામાં મોડો એને ટીકાકારને ઉલ્લેખ હોય એમ સમજાય છે.
(૯) ઉભય સંપ્રદાયમાં પ્રસ્તુત પધના સંબંધમાં પાભેદ જોવાય છે.
શ્રી મલિષેણસૂરિની પૂર્વે થઈ ગયેલા અને લગભગ સમકાલીન ત્રણ વેતાંબર આચાએ કર્તાના નામનો ઉલ્લેખ કર્યો નથી એનું શું કારણ હશે એ પ્રશ્ન સહજ ઉદ્દભવે છે શું મેધમમ કરેલે ઉલ્લેખ પરિચય આપવા માટે પર્યાપ્ત હોવાથી તેમણે તેમ કહ્યું હશે કે અન્ય કોઈ કારણ હશે ? આ સંબંધમાં વિશેષ ગષ ચાની જરૂર છે. એટલે તે દિશામાં પૂરતે પ્રયાસ ન થાય ત્યાં સુધી હું નિશ્ચયાત્મક ઉત્તર આપવા ઈચ્છતે. નથી. આવી પરિસ્થિતિમાં હું બહુ તકાર” થી શ્રી હેમચન્દ્રસૂરિ શું રાચવતા હશે તેને વિચાર કરવા પ્રવૃત્ત થઉં છું. તેમણે અગવ્યવચ્છેદકાચિંશિકામાં સિધસેનની ઉત્તમ સ્તુતિકાર તરીકે પ્રશંસા કરી છે. એ સિદ્ધસેન અને સિધહેમશબ્દાનુશાસનમાં “તુતિ વચ:” એ પકિનમાં ઉલિખિત સિદ્ધસેન એક જ હોય અને તે પણ વળી સિદ્ધસેન દિવાકર હોય એમ સંભાવના થાય છે. સિદ્ધસેન દિવાકરને
સ્તુતિકાર તરીકે ઉલ્લેખ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધયાય શ્રી યશોવિજયે પણું જ્ઞાનબિન્દુમાં૧૨ કર્યો છે, આ ઉપરથી લેતાં ર સમાજમાં સ્તુતિ કાર તરીકે સિદ્ધસેન દિવાકર અભિપ્રેત હોય એમ સમજાય છે. શ્રી મલયગિરિસૂરિ પણ આ ધ સ્તુતિકારથી એમનું જ સૂચન કરતા હોવા જોઈએ. આ પ્રમાણે એક પક્ષ રજુ થઈ શકે તેમ છે.
બીજા પક્ષ તરીકે સિદ્ધસેન દિવાકરને બદલે સમનભદ્ર હોવાનો ઉલ્લેખ થઈ શકે, કેમકે શ્રી મહિલપુસૂરિ તે પ્રમાણે સ્યાદ્વાદમંજરીમાં નિર્દેશ છે. હા, અત્ર એક પ્રશ્ન વિચાર બાકી રહે છે કે કોઇ વેતાંબરીય સમન્તભળે વિમલનાથસ્તવ રચ્યું છે ખરું ?
શ્રી આનન્દસાગરસૂરિ, શ્રી મલયગિરિસૂરિ મન્તભદ્રને નિર્દેશ કરે છે એમ માને છે ખરા, પરંતુ તેઓ દિગંબર સંપ્રદાયના નહિ પરંતુ વેતાંબર સંપ્રદાયના હોવાનું સૂચવે છે. આના કારણ તરીકે તેઓ ઉપક્રમમાં એમ કહે છે કે શ્રી. મલય. ગિરિસૂરિને નર (દગમ સરો)ને વિષે કે ઇ પ્રકારે પક્ષપાત નથી એટલું જ નહિ, પણ તીર્થ કરેને વંદનના પ્રસંગે તેમજ પરીવહન વર્ણનના પ્રસંગે તેમણે શ્રી. અલંકૃત લધી સ્ત્રીને દૂષિત ઠરાવી છે. આ બધી હકીકત સાચી છે, પરંતુ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું દિગંબરના અમુક અમુક મતનું નિરસન કરનાર પેતાની માન્યતાને ૧૨ જુઓ ૧૫૦મું પત્ર. અહીં જે નીચે મુજબનું--
મવવામનત્તમુર્તિ , વિમરંજ્ઞાનમન્તવનંતમૂ | न च हीनकलोऽसि नाधिकः, समतां चाप्यतिकृत्य वर्तसे ॥" -પદ્ય રજુ કરાયેલું છે તે શ્રી. સિદ્ધસેનીય ચતુર્થ દાવિંશિકામાં ૨૮મા પધરૂપે જોવાય છે.
For Private And Personal Use Only