________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
ઉસગહર સ્તોત્ર
[૨૩]
આર્ય સંભૂતિવિજયજી કાળધર્મ પામતાં પહેલાં પોતાને ગ૭નો સઘળો ભાર આ ભદ્રબાહુનામીને ભળાવી અનશન કરીને સ્વર્ગે ગયા. તે પછી એક વખતે આર્ય ભદ્રબાહુવામી વિહાર કરતાં કરતાં કાઈક ગામમાં પધાર્યા, તે સમયે ઉક્ત વરાહમિહીરનો જીવે સાધુ તથા શ્રાવકે પર દ્વેષ રાખત, મિથ્યાત્વના ઉદયવાળો, અજ્ઞાન તપ વગેરે ક્રિયા કરીને કાળધર્મ પામીને વ્યંતર જાતિમાં ઉત્પન્ન થએલો હતો, તેણે વિલંગજ્ઞાનથી પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ જોયું અને તે જોતાં જ મિથ્યાત્વના ઉદયે કરીને જૈન પ્રવચન પ્રત્યે દ્વેષ ધરતે થકે તે અધમ આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે - જૈનધર્મને સાધુઓ પ્રત્યે મારા પૂર્વ ભવના વેરનો બદલે શી રીતે લેવો જોઈએ ? તેથી તે સપની માફક સાધુઓનાં છિદ્રો જેવા લાગ્યો, પરંતુ ધાર્મિક ક્રિયામાં રત અને અપ્રત્તમ અવસ્થામાં રહેતા એવા સાધુઓમાં કોઈ પણ ઠેકાણે છિદ્ર નહિ મળી આવવાથી, તે વિલો થશે. સાધુઓને મૂકી દઈને અવિરતિવાળા શ્રાવકોને બહુ જ પ્રમાદમાં પડી ગએલા જોઈને તે દુષ્ટ વ્યંતરે શ્રાવકો પ્રત્યે ઉપસર્ગો કરવાની શરૂઆત કરી. તે વખતે શ્રાવકોએ પણ પોતાની વિશિષ્ટ બુદ્ધિથી જાણ્યું કે આ વ્યંતરકૃત ઉપસર્ગ છે, તેથી તેના નિવારણ માટે શ્રીભદ્રબાહસ્વામીને વિનંતિ કરવી જોઈએ, એમ જાણીને બધો વૃત્તાંત તેઓના ઉપર વિનંતિ રૂપે એકલાવ્યો. એ વૃત્તાંત સાંભળીને જ્ઞાનના બળે કરીને ઉપસર્ગનું કારણ જાણી તેમણે મહાપ્રાભાવિક “ઉપસર્ગહર સ્તોત્ર નવીન બનાવી સંઘને આપ્યું, તેથી સકલ સંઘ તે સ્તોત્રના સ્મરણના પ્રભાવથી ઉપદ્રવથી મુકત થયો.
–શ્રી જિનપ્રભસૂરિકૃત ‘ઉપસગ્ગહર ની અર્થકલ્પલતા નામની વૃત્તિ ઉપરથી.*
આ સ્તોત્રના કર્તા મુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામી છે એવી માન્યતા પરંપરાથી આજસુધી ચાલી આવે છે; પરંતુ કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે તેના કર્તા ભુતકેવલી ભદ્રબાહુ નહિ પણ બીજા ભદ્રબાહુ હોવા જોઈએ. આ પ્રશ્નનો ઉહાપોહ મેં શ્રીયુત ધીરજલાલ ટોકરશી શાહના તંત્રી પણ નીચે પ્રસિદ્ધ થતા જૈનોતિ' માસિકના સંવત્ ૧૯૮૮ના આસે માસના ૧૩મા અંકના પાના ૧૩ થી ૧૫ ઉપર “ઉવસગ્ગહરે તાત્રના કર્તા કોણ?' એ નામને ટુંક લેખ લખીને કર્યો હતો અને તેમાં કેટલાએક પુરાવાઓ આપીને તેના કર્તા બીજા ભદ્રબાહુ નહિ પણ મૃતકેવલી ભદ્રબાહુ જ હોવા જોઈએ એમ સિદ્ધ કર્યું હતું, પરંતુ મારે લેખ લખાયા પછી મારા તરફથી પ્રસિદ્ધ થએલા “મંત્રાધિરાજ ચિંતામણિ” નામના ગ્રંથમાં તથા “આત્માનન્દ-જન્મ–શતાબ્દી સમારક-ગ્રન્થમાં સ્વર્ગસ્થ ગુરૂદેવ દક્ષિણ વિહારી શ્રી અમરવિજયજીના શિષ્ય વિર્ય શ્રી ચતુરવિજ્યજીએ તેના કર્તા મૃતકેવલી ભદ્રબાહુ નહિ પણ બીજા ભદ્રબાહુ હોવા જોઈએ તેમ સાબિત કરવા પ્રયત્ન કરેલું હોવાથી આ વિસ્તૃત લેખમાં તે સ્તોત્ર સંબંધી બધી ચર્ચાઓ-જેવી કે તેનું ગાથા પ્રમાણે તેના ટીકાકારો, તેને પ્રભાવ અને તેને ક્રર્તા સંબંધી–કરવાનો મારો વિચાર છે. શ્રીયુત હીરાલાલ રસિકદાસ કાપડીઆએ પિતાના ‘સ્તુતિ-સ્તોત્રનું પર્યાલયન” એ નામના “જૈનયુગ” માસિકના પુસ્તક ૨ અંક ૯માં પૃષ્ઠ
* જુઓ અને કાર્થ રન મંજુષા ” નામના ગ્રન્થની પાછળ જોડેલા “સપ્ત સ્મરણાનિ પૃષ્ઠ. ૭-૮ પ્ર શેઠ. દેલા.શૈ.પુ પંડ, ગ્રન્યાક ૮૧.
For Private And Personal Use Only