SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેઠ શ્રી જૈન સત્ય પ્રકાશ इति जिनप्रभमूरिभिरीडिताः, प्रणतचुंचजनाय जिनाधिपाः । ददतु शीलितसिद्धिवधूमुखांऽबुजरसा जरसा रहितं पदम् ॥२६॥ રૂતિ તવઃ | जिनवराः कुनयालिमृणालिनी-मुकुलनैकतुषारमरीचयः । विदधति प्रणतं जनमाहत-स्मरचयं रचयंतु मनांसि नः ॥२७॥ भगवताऽभिहितार्थमधीयतां, कुपथमाथि कथितमन्मथम् । श्रुतमुदात्तमुदात्तपरस्सर-स्वरचितं रचितं गणधारिभिः ॥२८॥ प्रथमकल्पपतिः प्रथितायति-प्रवचनांबुजसौरभषट्पदः । कुलिशशोभितपाणिरुपप्लवं, शमयतामयतामिह नम्रताम् ॥२९॥ इति स्तुतिरपि ॥ छ । सं. १८२१ फागुण वदि २ दिने श्री पाटणनगरे लिखितं । लेखक-पाठक चिंर जीयात् ।। श्री ॥ આમાં કોઈ સ્થાને અર્થ સ્પષ્ટ નથી લાગતો, કઈક સ્થાને અશુદ્ધિ લાગે છે, વીસમા અને પચીસમા શ્લોકમાં દેસંગ છે; છતાં સુધારો કરવા જતાં કંઈક નવી ભૂલ થાય એ બીકે મૂળ પ્રમાણે અક્ષરશ: આપ્યું છે. (પૃષ્ઠ ૫૬૩ થી ચાલુ) તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલકે મળી આવે છે. સાધુ અગર સાધ્વીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાવીઓનાં કપડાં પહેરવાની રીત તદ્દન જુદી જ દેખાઈ આવે છે, કારણ કે સાધુઓને એક ખભો અને માથાના ભાગ તદ્દન ખુલ્લે–વસ્ત્ર વગરનો હોય છે, જ્યારે સાધ્વીઓને પણ માથાનો ભાગ ખુલ્લે હોવા છતાં તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થયેલું હોય છે. પ્રાચીન ચિત્રોમાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.' મોગલ સમય પહેલાનાં એક પણ જૂના ચિત્રમાં અગર પત્થર ઉપરની આકૃતિઓમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાનો ભાગ તદ્દન ખુલ્લો હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મગલરાજ્ય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાનાં દરેક ચિત્રમાં સ્ત્રીઓથી માફક પુરુષોને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંબોડા પણુ વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુરુષ દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પહેરતા. સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુરુષોએ ચોટલા તથા દાઢી કાઢી નખાવવાને રિવાજ મોગલરાજ્ય-અમલ પછીથી જ ગુજરાતમાં પડેલે હોય એમ લાગે છે. (અપૂર્ણ) ૧. જુઓ ‘કુમારપાલ પ્રબંધ ભાષાંતર પુષ્ટ ૧૦૯, ૨. જુઓ ‘કુમારપાલ ચરિત્ર ભાષાંતર” પૃષ્ઠ ૪૧. For Private And Personal Use Only
SR No.521522
Book TitleJain Satyaprakash 1937 06 SrNo 23
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy