SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ પ્રાચીન પુરાવાઓ, લોકોક્તિ અને શિલાલેખ ઉપરથી જણાય છે કે છેક મધ્યકાળ (સત્તરમી સદી) સુધી આ નગર સમૃદ્ધ દશામાં હતું. કહેવાય છે કે આ નગરમાં ૧૪૦ કુવા હતા, અને અનેક જાગીરદારોનાં મકાનો એની શોભામાં વધારે કરતાં હતાં. અત્યારે પણ આ મકાનનાં ખંડેરો માર્ગમાં જોવામાં આવે છે. આ ગામનો નાશ થવાથી એ બધા જાગીરદારો અત્યારે ચાવટન, દુધવા વગેરે ગામોમાં ચાલ્યા ગયા છે; એવી બાતમી એક “માલા” નામના ભીલથી અમે જાણી શક્યા. ભૂતકાળનાં અનેક જન અને વૈદિક મંદિરોમાંના માત્ર બે જ મંદિર – તે પણ ભગ્ન અવસ્થા માં-બચવા પામ્યાં છે. આમાંનું એક જમીનથી ઘણું ઊચું અને મનોહર છે. બીજું નાનું મંદિર છે. તેની નિર્માણકળા અને મજબુતાઈ જેવા યોગ્ય છે. શ્રી ક્ષમાકલ્યાણની પટ્ટાવલીમાં લખ્યું છે કે – “ ઉદ્ધારણ મંત્રીના પુત્ર કુળધરમંત્રીએ બાડમેરમાં તુરતજજ્ઞાસા (જિન મંદિર) બનાવ્યો હતે.” સંભવ છે તે ઊંચા ટેકરા ઉપર આવેલું આ મેટું મંદિર હોય. તેનો સમય લગભગ વિ. સં. ૧૨૨૩ને છે. વિ. સં. ૧૩પરને તે તેમાં શિલાલેખ પણ છે. આ મંદિરમાં કુલ પાંચ શિલાલેખ છે, જે ઇતિહાસપ્રેમી પૂજય મુનિરાજ શ્રી જયંતવિજયજી મહારાજે ઉતારી લીધા છે. આ બન્ને મંદિરની વિસ્તૃત હકીકતવાળો એક લેખ તેઓ લખવા ધારે છે. આ મંદિરો ઉપરાંત કેટલાંક જૂનાં કુવા, વાવડી, તળાવ, ખાળ, દરવાજા, કાટ, ભાંગેલાં મકાનો વગેરે પણ આ નગરની પ્રાચીનતા બતાવે છે. કહેવાય છે કે “કિરાડ (જેને સંસ્કૃતમાં પહેલાં “કિરાતકૂપ ” કહેતા હતા તે) અને બાડમેર (“જૂના” ). લગોલગ વસેલાં હતાં. આસપાસમોનાં તૂટેલાં મકાનો ઉપરથી ક૯પી શકાય છે કે લગભગ સે એક વર્ષ પહેલાં પણ આ સ્થળ લેકેથી આબાદ હતું. ધીરે ધીરે આ વસ્તી પણ પહાડની બહાર “પતરાસર ” વગેરે ગામોમાં જઈ વસી. જૂનાની” પાસે એક “નવાજુના” નામનું ગામડું છે. “જૂતા ”માંથી નીકળેલા લેકે આ સ્થળે વસ્યા એટલે તેનું “નવા જૂતા ” નામ પડયું. “ જૂના” અત્યારે સાવ વેરાન હાલતમાં છે. (અપૂર્ણ) સુધારો આ માસિકના ગયા આઠમા-અંકમાં “શ્રી ચંપાપુરી મહિમા”ના લેખમાં “આગમ સાર સંગ્રહ” ગ્રંથના આધારે શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોની તિથિઓ આ પ્રમાણે આપેલ છે. (૧) વન-જેઠ સુદ ૬, (ર) જન્મ-કાર્તિક વદ ૧૪ અને (૩) દીક્ષા ફાગણ સુદ ૧૫. ૫રંતુ “સતિશતક સ્થાનક પ્રકરણ” વગેરે પુસ્તકમાં તે તિથિએ નીચે પ્રમાણે આપેલી હોવાથી એ પ્રમાણે સુધારે કરી લે. (૧) યાત-જેઠ સુદ ૯, (૨) જન્મ-મહા વદ ૧ અને () દીક્ષા મહા વદ ૦)) (આ સુધારેલી તિથિઓ ગુજરાતી મહિના પ્રમાણે સમજવી) For Private And Personal Use Only
SR No.521520
Book TitleJain Satyaprakash 1937 04 SrNo 21
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1937
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy