________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના સુવર્ણ મહોત્સવ સંબંધી વિશેષાંક
આ અંક ઘણું પ્રયાસપૂર્વક તૈયાર કરવામાં આવેલ છે. વિદ્વાન મુનિરાજ અને ગૃહસ્થના લખેલા ૩૦ લેખો ને ૮ સંદેશાઓ આપેલા છે. કુલ પૃષ્ઠ ૧૮૨+૪=૧૮૬ આપેલ છે. લેખ ૩૦ ના લેખક ૨૬ છે. તેમાંથી પાંચ લેખકના ફોટા મળી શકયા નથી. બાકી ર૧ લેખકના ફેટા આપ્યા છે. તેમાં છ મુનિરાજ ને ૧૪ ગૃહસ્થ છે. તદુપરાંત સભાના મકાનનો ફેટ અને ૬ ફેટા તીર્થોના આપેલા છે. પ્રારંભમાં પરાકારી માનરાજ શ્રી વૃદ્ધિચંદ્રજીને ફેટો મૂક્યો છે. જહાંગીર બાદશાહ ને શ્રી વિજયદેવસૂરિનું ચિત્ર ઘણું સુંદર અને આકર્ષક છે. શ્રીયુત રાજપાળ મગનલાલને ઘણું ઝીણુ અક્ષરે લખેલા કાર્ડને ફેટો આપ્યો છે. દરેક લેખની ઉપર તે લેખના સૂચક ચિત્રો કરાવીને મૂક્યા છે. પુંઠા ઉપરનું ચિત્ર પણ બહુ ગંભીર હકીકતનું સૂચક છે અને પ્રવીણ ચિત્રકાર પાસે ચિત્રાવીને મૂકેલ છે. બાઈન્ડીંગ પણ મજબૂત કરાવેલ છે. એકંદર એ અંક ઉપર સારી રકમનો ખર્ચ કરેલો છે. આ અંક શ્રી જૈનધર્મ પ્રસારક સભાના સભાસદે, શ્રી જૈનધર્મ પ્રકાશ માસિકના ગ્રાહકો અને અન્ય સંસ્થાઓ તથા મુનિરાજ અને સંભાવિત ગૃહસ્થોને ભેટ મેકલેલ છે. બહુ થોડા અંકે સીલકમાં છે. મંગાવનાર માટે કિંમત બાર આના રાખેલ છે. પિસ્ટેજ ચાર આના લાગે છે. સુંદર ચિત્રો અને બેધદાયક લેખસામગ્રીવાળે આ અંક મેળવી લેવાનું ચૂકશે નહીં.
વૈશાખ-જ્યેષ્ટનો મિશ્રાંક, આ અંકમાં પણ સભાને ૫૪ વર્ષનો હેવાલ, ઉપરાંત સભાસદોના નામનું લીસ્ટ, સભાના ધારાધોરણ, સુવર્ણ મહોત્સવની ઉત્પત્તિનો હેવાલ, બહારગામથી આવેલા મુબારકબાદીના તારો ને પત્રને સાર, ત્રણ દિવસના જાહેર મેળાવડાનો સંક્ષિપ્ત ને વિસ્તૃત હેવાલ, પ્રમુખસાહેબના ભાષણો, તમામ વક્તાએના ભાષણો, પ્રમુખ સાહેબે દક્ષિણામૂર્તિભવનમાં કરેલ ભાષણ વિગેરે અનેક બાબતે સમાવીને ૧૨ા ફારને બહાર પડ્યો છે. આ અંકની અંદર નેકનામદાર મહારાજા સાહેબ, પ્ર. આનંદશંકર બાપુભાઈ ધ્રુવ, મે. સર પટણી સાહેબ, સર કીકાભાઈ પ્રેમચંદ, શેઠ નાગરદાસ પુરૂષોત્તમદાસ, સભાના હોદ્દેદાર, મેનેજીગ કમીટી, બહારગામથી પધારેલા પ્રાણુણાઓ, પ્રીતિભોજન કમીટી તેમજ મેળાવડા વખતે લીધેલા નાના નાના ફોટા વિગેરેને સંગ્રહ દાખલ કરેલો છે.
આ અંક છુટક મંગાવનાર માટે કિમત આઠ આના, પટેજ બે આના બંને એક સાથે મંગાવનાર માટે કીંમત રૂા. ૧) પિસ્ટેજ પાંચ આના.
હાલમાં એ બંને એક રૂા. ૧) થી સભાના પટેજથી મેકલવાનું ઠરાવવામાં આવ્યું છે તેથી જરૂર મંગાવે.
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર મુદ્રક—શાહ ગુલાબચંદ લલ્લુભાઈ, શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસ-ભાવનગર.
For Private And Personal Use Only