________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માઘ
1 શ્રી જન સત્ય પ્રકાશ રચાયેલી.. જેવાયું છે તેમ જૈન સાહિત્યમાં તત્ત્વાર્થસૂત્રના ઉપર ટીકારૂપે લખાયેલી - આ તમીમાંસા ઉપર અદૃશતી, અષ્ટસહસ્ત્રી અને અષ્ટસહસ્રોવિવરણ એમ ઉત્તરોત્તર ત્રણ હીકાઓ મળી આવે છે,
ટીકાન કેટલાક શબ્દો –ટીકામાં જવા તેમજ ગુજ, કુરાઈ, ડાં, નિર્દૂ કે એને મળતા અર્થવાળા શબ્દો નજરે પડે છે. જા ને બદલે મારે પણ
જેવાય છે, એને અર્થ “વધારામાં' એ થતો હોય એમ મનાય છે, જો કે અભિધાનરાજેન્દ્રમાં તો એને અર્થ “વન' સચવાયેલો છે. સુન એને સુws એ પ્રયોગથી વિવરણની જરૂરિયાત નથી એમ સચવાય છે. પહેલા અર્થ સહેલું અને બીજાને અર્થે સ્પષ્ટ છે કહ્યું કે અર્થ મોઢેથી સમજી લેવો એમ થતો હોય એમ લાગે છે. નિવરિ'ને અર્થ પાઠ કરતાં જ સમજાઈ જાય છે એવો છે. એ અર્થમાં અજૈન સાહિત્યમાં “નિકળ્ય ' શબ્દ નજરે પડે છે. જુઓ તૈત્તિરિયારણ્યક (પ્રથમ પ્રાઇક, નવમું અનુવાક) અને તેને આચાર્ય સાયણત અર્થ. યાસકૃત નિરક્ત (૯-૨૧-૧; ૯-૩૪-૧;-૯-૪૧-૧) માં તેમજ દશરૂપકના ધનિકત અવલોક નામના વિવરણમાં પણ કિચન એવો પ્રયોગ જોવાય છે. નિવૃત્તિ એવો પ્રયોગ અજૈન સાહિત્યમાં કોઈ સ્થળે હોય તે તે જોવા જાણવામાં નથી. નવાં કે નવરં એવો પણ પ્રયોગ જૈન સાહિત્ય સિવાય અન્યત્ર નજરે પડતો નથી. નવાં શબ્દ વ્યવહારભાષ્યની ટીકા, રાયપણુયસુત્તની ટીકા ઇત્યાદિ કેવળ ટીકામાં જ વપરાયેલે છે એમ નથી, મૂળ ગ્રંથોમાં પણ જોવાય છે. દાખલા તરીકે અનેકાંત જયપતાકાના ચોથા અધિકારમાં પણ એ વપરાયેલ છે.
કોઈ વાત આગળ ઉપર કહેવાની હોય ત્યારે સંસ્કૃતમાં પત્તા, કાજ ઈત્યાદિ શબ્દ વપરાય છે. vreતનું શબ્દ તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં છે. ઉપણિત શબ્દ નિરૂકત (૯-૧૦-૨૨-૨-૨૪-૬) માં છે. પહેલાં કહી ગયેલી હકીકતને માટે કા શબ્દ અનેકાંત જયપતાકાની પણ વૃત્તિ (પૃ. ૬૯૭) માં વપરાયેલા છે. એ સિવાય કોઈ ખાસ શબ્દ વપરાયેલો હોય તે તે ધ્યાન બહાર છે.
લુપ્તપ્રાય ટીકાઓ-જેમ આપણા અનેક મહત્વના ગ્રંથો નાશ પામ્યા છે અને તેને હજી પત્તા મળતું નથી તેમ કેટલીક મહત્વપૂર્ણ ટીકાઓ પણ આજે ઉપલબ્ધ થતી જણાતી નથી. આવી ટીકાઓનાં કેટલાંક નામ આપવામાં આવે છે.
૧. મહાનિસીહને લગતી નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે, ૨. સૂરિપત્તિની નિયુક્તિ, છે. ચંદષત્તિની નિયુક્તિ. ૪. વિસે સવિસ્મયની સ્વોપણ વૃત્તિ, ૫. તત્વાર્થસૂત્રને લગતી મિ દ્વસનીય ટીકા કરતાં મોટી ટીકા, ૬. આવસ્મયસુત્ત ઉપરની શ્રી હરિભદ્રસૂરિકૃત ૮૪૦૦૦
કપ્રમાણ ટીકા, ૭. ઘનિર્યુક્તિની હરિભદ્રસૂરિકૃત ટીકા, ૮. તત્ત્વાર્થસૂત્રની મલયગિરિરિકૃત ટીકા અને ૯. બંધસ્વામિત્વ ઉપરની દેવેન્દ્રસૂરિકૃત ટીકા.
હસ્તલિખિત પ્રતિઓમાં ટીકાનું સ્થાન–કાઈ કોઈ વાર હસ્તલિખિત પ્રતિઓમાં મૂળ કટકે કટકે આપી તેને લગતી ટીકા તેની નીચે આપવામાં આવે છે,
For Private And Personal Use Only