SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર-જીવન-જાતિ: અને સિદ્ધાર્થ રાજાનું રૂપ ધારણ કરી હૃદયદ્રાવક વિલાપ કરવો શરૂ કર્યો. પણ ભગવાન તો પોતાના ધ્યાનમાં યથાસ્થિત જ રહ્યા. ત્યારબાદ તે દુદૈવે છાવણ વિમુવી ભગવાનના બે પગ વચ્ચે અગ્નિ સળગાવી રસાઈ પકાવી. તોપણ ભગવાન ચલાયમાન ન થયા. પછી ભયંકર ચંડાળનું રૂપ ધારણ કરી પ્રભુના કંઠમાં, ભૂજા ઉપર અને ધંધા ઉપર પ્રક્ષિઓના પાંજરાં લટકાવ્યાં. તે પક્ષિઓએ પોતાની ચાંચ – નખ વગેરેથી પ્રભુના શરીરને પાંજરાની જેમ છીદ્રવાળું બનાવી દીધું. છતાં ભગવાન ચલાયમાન ન થયા. ત્યારબાદ અતિક્રોધાતુર થઈને પ્રચંડ મોટાં મોટાં વૃક્ષને પણ જળમૂળથી ઉખેડી ફેંકી દે તેવો મહાવાયુ વિકુઓં છતાં પણ ભગવાન લેશ માત્ર ક્ષેભ ન પામ્યા. આમ દરેક રીતે હતાશ થયેલા નીચ સંગમે ૧૮ મા ઉપસર્ગમાં પ્રાણાન્ત કષ્ટ આપી ચલાયમાન કરવાની નીચ ભાવનાથી એક કાળચક્ર મહાવીરદેવ ઉપર ફેંકયું, જેનું આખું વર્ણન કવિ ધનપાળે તિલકમંજરીમાં મહાવીર પ્રભુની સ્તુતિ રક્ષતુ સંવર્જિતોપલાસ્ટિાગ્રૌઢપ્રતિજ્ઞાવિધી, याति स्वाश्रयमर्जितांहसि सुरे निश्वस्य संचारिताः ॥ आजानुक्षितिमध्यमग्नवपुषश्चक्राभिघातव्यथा मूर्छान्ते करुणाभराञ्चितपुटा वीरस्य वो दृष्टयः ॥ १॥ તે કાળચક્રના અભિવાતથી ભગવાન મહાવીરદેવનું જનું પ્રમાણ (ઢીંચણ સુધીનું) શરીર પૃથ્વી તળમાં પેસી ગયું તેમજ સમગ્ર શરીરે અતિતીવ્ર વેદના થઈ હતી, અને તેને લઈને પ્રભુને મૂચ્છ પણ આવી ગઈ હતી. કેઈ કહે કે પરમાત્માને આ પ્રમાણે દુઃખિત કર્યા છતાં શું પ્રભુએ તેને કઈ શિક્ષા ન કરી? તેના જવાબમાં કવિ ધનપાલ કહે છે કે –“જે દેવ, પ્રભુને ગમે તે ભોગે પણ ચલાયમાન કરવાની દૃઢ પ્રતિજ્ઞામાં નિષ્ફળ નીવડીને તેમજ કેવળ પાપકર્મો જ ઉપાર્જન કરીને પોતાના સ્થાનકે પાછો ચાલ્યો જાય છે; એવા અધમ સંગમદેવ ઉપર પણ જે દયાળુ પ્રભુ મહાવીર મૂછ દૂર થયે થોડી વાર નિશ્વાસ લઈ પોતાની અમીદષ્ટિઓ પ્રદર્શિત કરે છે તે પરમાત્મા મહાવીરદેવના કરૂણામય બે નયન તમારું રક્ષણ કરે. સંગમનો પરાજય કરવો કે તેને ઉપસર્ગો કરતા અટકાવે, એ તે પ્રભુ મહાવીર દેવને રમતની વાત હતી; કારણકે પ્રભુ તો બાલ્યાવસ્થાથી જ અત્યન્ત પરાક્રમશાળી હતા. પરંતુ દયાળ પ્રભુ મહાવીર દેવે વિચાર્યું કે – આ સંગમ મારી મેક્ષ સાધનામાં મિત્ર તુલ્ય છે. કેમકે કર્મરાજાની બલિષ્ઠ ફજ જીતવામાં સંગમે મને અનુકૂળતા કરી * આ ધનપાલ કવિ શેભન મુનિના સાંસારિક ભાઈ છે અને ભેજ રાજાની પંડિતની સભાના કવિરાન છે. મુંજ રાજાએ તેમને પોતાની રાજસભામાં સરસ્વતી’ બિરૂદથી અલંકૃત કર્યા હતા. તેઓ જનમથી જૈનેતર હતા, પરંતુ પાછળથી પોતે જૈનધર્મને વાસ્તવિક હિતકારક સમજી જૈન થયા છે. તેમના વચનની કવિઓમાં એટલી બધી પ્રતિષ્ઠા છે કે “વનં ધનપાત્રએ રજૂર્વ મચચ ” મલયગિરિના ચંદનની જેમ કવિ ધનપાળનું વચન સર્વશ્રેષ્ઠ છે, એમ કહેવાય છે. For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy