________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મથુરાનો કંકાલીટીલો
અને
ભગવાન મહાવીરના જીવનના બે વિશિષ્ટ પ્રસંગો
લેખકઃ— મુનિરાજ શ્રી દનવિજયજી
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરાના ક’કાલીટીલાના ખોદકામ દરમ્યાન મળી આવેલ જૈન દેરાસર અને મૂર્તિના ટુકડાઓ, શિલાલેખા કે શિલાલેખાના ભગ્ન થયેલા અવશેષો, આયાગપટ્ટો અને કાઈ કાઈ પથરા ઉપર ખેાદવામાં આવેલાં ચિત્રા કે જે ચિત્રામાં જૈન માન્યતાનુસારની કાઇના કાઈ ઐતિહાસિક ઘટનાઓનું ચિત્રણ કરવામાં આવ્યું છે તે બધી વસ્તુએ એ જૈનશાસ્ત્રોમાં વર્ણવામાં આવેલ કેટલીક આનાએની ઐતિહાસિક બાજૂ ઉપર ઘણા સારા પ્રકાશ પાડયો છે. જે વિદ્વાને કટલીય બીનાને ઐતિહાસિક પ્રામાણ્ય આપવામાં અચકાતા હતા તેઓ પણ મથુરામાં મળી આવેલા આ ભગ્નાવશેષોના બરાબર અભ્યાસ કરવાથી તે ખીનાએને સાચી ઐતિહાસિક માનતા થયા છે.
પરમાત્મા મહાવીરદેવના જીવનની કેટલીક વિશિષ્ટ ઘટના એવી છે કે જેનું કેવળ બુદ્ધિબળથી પૃથકકરણ કરવામાં આવે અથવા તો એ ઘટનાના સત્યની કસોટી કવળ બુદ્ધિ ઉપર જ કરવામાં આવે તે। એ ઘટનાના ઉકેલ લાવતા માસ વિમાસણમાં પડી જાય ! આવી ઘટનાઓને ઉકેલ બુદ્ધિની સાથે સાથે શાસ્ત્રીય-બહાને મેટા આધાર લેવામાં આવે તે જ થઈ શકે ! અસ્તુ.
એ વિશિષ્ટ ઘટનાઓ :
ભગવાન મહાવીરદેવના જીવનની એવી વિશિષ્ટ ઘટનામાં આ બે ઘટનાઓને પણ સમાવેશ થાય છે: ૧. ગર્ભાપહરણ ( ભગવાન મહાવીર સ્વામીનું ગર્ભાવસ્થામાં એક માતાના ઉદરમાંથી બીજી માતાના ઉદરમાં પરિવર્તીન થવા)ની ઘટના અને ૨ બાલ્યકાળમાં આમલકીક્રીડા વખતે દેવને પરાસ્ત કરવાની ઘટના.
જૈન આગમેામાં આ બન્ને ઘટનાએ સંબંધી ઉલ્લેખ મળે છે અને ધુરામાંથી મળેલા ચિત્રામાં પણ આ ઘટનાનાં ચિત્રા મળતાં હોવાથી એ ચિત્રાની સાથે જૈનશાસ્ત્રામાં `િત ઉલ્લેખાના સમન્વય બતાવવાને પ્રસ્તુત લેખનો આશય છે. એટલે એ ચિત્રા સંબંધી વિચાર કર્યાં પહેલાં આપણે જૈન આગમોમાં વિષ્ણુ ત એ ઘટનાઓને ઉલ્લેખ તપાસીએ.
For Private And Personal Use Only