________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯૩
ભગવાન મહાવીરસ્વામીના પૂર્વભવ સાધુ થયેલા વિશ્વભૂતિ એક વાર મથુરામાં ગૌચરી નીકળ્યા છે. મધ્ય તપી રહ્યો છે; ઉગ્ર તપસ્યાથી સાધુજીનું શરીર તદ્દન દુર્બલ અને શુષ્ક થઈ ગયું છે. તેઓ અદીન ભાવે નીચું જોઈ ચાલ્યા જાય છે, ત્યાં અચાનક એક ગાય સાથે અથડાવાથી મુનિરાજ નીચે પડી જાય છે. આ વખતે મુનિરાજનો કાકાનો પુત્ર વિશાખાનંદી લગ્ન માટે ત્યાં આવેલ છે એણે, ગાયે મુનિરાજને પાડી નાંખ્યા તે જોયું અને પૂર્વની ઓળખાણ સાથે હસતાં હસતાં કટાક્ષમાં બોલ્યો “ કયાં ગયું કેઠાંનાં ફળોને પાડવાનું તારું બળ ?” આ સાંભળી તપસ્વી મુનિરાજને કેધ ચડ્યો અને ગાયને શાંગાથી પકડી આકાશમાં ઉછાળી પિતાનું બળ બતાવ્યું અને સાથે જ નિયાણું કર્યું કે “આ તપસ્યાના બળે ભવાંતરમાં હું મહાબળશાળી અને આ વિશાખાનંદીના નાશ માટે થાઉં.”
ત્યાંથી પાપની આલોચના ક્યા વિના જ મૃત્યુ પામી વિશ્વભૂતિ મુનિ મહાશુક્રમાં દેવ થાય છે. ત્યાંથી થવી ભરતક્ષેત્રના પિતનપુર નગરના રિપકતિશત્રુ રાજાની પુત્રી મૃગાવતી કે જેને તેના પિતાએ (રાજા રિપુપ્રતિશત્રુઓ) જ પિતાની પત્ની બનાવી હતી એની કુક્ષિમાં સાત સ્વથી સૂચિત પુત્રરૂપે જન્મે છે.
મરીચિન ભવમાં કરેલ કુલમદનો પુનઃ અહીં ઉદય થાય છે. રાજકુલ ખરું; ઉચ્ચ જાતિ ખરી, પણ જન્મ કયાં, કોની કુક્ષિમાં; જે પિતાએ પુત્રીને જન્મ આપે; એ જ પિતાએ પુત્રીને રૂપરાશિ ઉપર મુગ્ધ થઈ જેને પિતાની પત્ની બનાવી એ પુત્રીપનીની કુક્ષિમાં જન્મ એ કેટલું નિંદ્ય અને ગહણીય કહેવાય ! પણ કર્મને શરમ નથી એ આનું નામ! તે મહાબલશાલી વાસુદેવરૂપે જન્મે છે પણ દુનિયા તે તેને પુત્રી પતિના પુત્ર તરીકે જ ઓળખે છે !
અહીં વિશ્વભૂતિનું નામ ત્રિપુષ્ટ પડે છે. અનુક્રમે યુવાવસ્થામાં શાળાના ખેતરમાં ભયંકર સિંહને હાથથી વિના શત્રે જ મારે છે. આ સિંહ એ જ હતો કે જેણે સાધુપણામાં વિશ્વભૂતિની મશ્કરી કરી હતી અને વિધતિ મુનિએ જેને મારવાનું નિયાણું બાંધ્યું હતું. ધ્યાપાલકના કાનમાં સીસું રેડાવે છે:
વિશ્વભૂતિને જવ ત્રિપુષ્ટ ભવમાં પુનઃ એક ઉગ્ર પાપ કરે છે. પણ તે મરીચિના ભવ જેવી મિથ્યા પ્રરૂપણું નથી કરતું. આ ભવનું ઉચ પાપ એ છે કે તે શયાપાલકના કાનમાં ઉનું ઉનું સીસું રેડાવે છે અને પોતાની સત્તાને મદ-અભિમાનને પર બતાવે છે. પણ આ પાપનું પરિણામ કેવું કટુ અને ભયંકર આવે છે એ આપણે વીરના ભાવમાં જોઈએ છીએ. આ સિવાય પણ બીજાં અનેક ઉઝ પાપ બાંધી અહીંથી મૃત્યુ પામી ત્રિપૃષ્ટ વાસુદેવ સાતમી નરકે જાય છે. ત્યાંથી સિંહ થઈ ચેથી નરકે જાય છે અને એવી રીતે તે તિર્યંચ અને મનુષ્ય ભવમાં રખડે છે.
૧. સાધુ થયા પહેલાં વિશ્વભૂતિએ પિતાના વિરોધીઓને એક મુઠ્ઠી મારી કેડીના ઝાડમાંથી કોઠાં પાડીને બતાવ્યું હતું કે હું વિરોધીઓનાં માથાં આવી રીતે તોડી-છેદી શકવા સમર્થ છે. પરન્ત કટઆ પ્રેમથી એવું નથી કરતો, આમ કહી પછી દીક્ષા લીધી હતી. અહીં એ કીમાંના ધકે આ વસ્તુને ઈશારો કરી તેના બળ ઉપર કટાક્ષ કર્યો છે,
For Private And Personal Use Only