________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરની મહત્તા
લેખક---આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી
પ્રભુ મહાવીર એ નામ જ આત્માનું સંપૂર્ણ કામ કરે તેમ છે. મહાવીર એ નામની આગળનો મહા શબ્દ, જગતના સમસ્ત વીરેને વટાવી જનાર પરમ વિભૂનો ઘાતક છે. કોઈનાં માગ્યાં તામ્યાં ઘરેણાઓથી આભૂષિત કરેલા દેહની જેમ, મહા શબ્દ માંગી લીધેલો નથી, પરંતુ પિતાના ધેર્ય, ગાંભીર્ય, શૌર્ય આદિ આત્મિક ગુણોથી રંજિત થયેલ વિબુધવારથી સ્વયં મેળવેલો છે. જ્યારે વૈદિક હત્યાકાંડની સર્વત્ર છાયા છવાઈ હતી, ત્યારે પ્રભુ મહાવીરે પોતાના કેવલજ્ઞાનરૂપ સૂર્યના પ્રચંડ તેજથી તેની તવાઈ કરી હતી !
મહાવીર નામના રટનથી, શ્રેણિક જેવા અવિરતિ નૃપતિએ મહાવીરત્વ સ્વાયત્ત (પિતાને આધીન ) કરી લીધું, જે ત્રીજે જ ભવે ઉદયમાં આવશે. પોતાના પ્રધાન શિષ્ય ગૌતમસ્વામી જેવા સર્વજ્ઞકલ્પને પણ, એક અ૫ ખેડુત શ્રાવકને ત્યાં છઘસ્થ અવસ્થાના કારણે થયેલી ભૂલને કબૂલ કરવાની સાથે “મિચ્છામી દુક્કડમ” દેવા માટે મોકલનાર એ મહાવીર પ્રભુની નિષ્પક્ષતા અને વીતરાગતાની, ખરેખર, બલિહારી છે!
માત્ર એક જ રાત્રિમાં ચીરા પડાવે એવા વીશ વીશ ઉપસર્ગોને સહકાર, અને તે છતાંય ઉપસિગોના કરનાર સંગમ ઉપર દયા ચિતવનાર મહાવીરદેવની મહત્તા અજોડ છે!
એ પરમ પ્રભુના તે ગુણોનો એક અંશ પણ આપણું જેવા પામરને મળે તે ખ્યાલ થઈ જવાય. છ છ મહિનાઓ સુધી પાછળ પડનાર સંગમના ઉપર પણ અપૂર્વ ભાવદયાના ચિન્હરૂપે, દયાર્દ થએલ નેત્રના ભદ્રની જેટલી સ્તવના કરીએ તેટલી ઓછી છે !
અજુનમાલી જેવા અધમના ઉદ્ધારક એ પ્રભુને સહસ્ત્રશ : વંદન હો !
દંશ દેનાર ચંડકાશિયાને અષ્ટમ સ્વર્ગનાં દ્વાર દેખાડનાર એ નિર્વિકાર મહાવીરના જેવી સમવૃત્તિ, બેધક પ્રવૃત્તિ, અધમ-ઉદ્ધારકવૃત્તિ, જગતમાં શોધી નથી જડતી. તે આપણુ જેવા પામરોને ક્યારે મળશે?
એ પ્રભુએ ઉઘત વિહાર આદરી, સર્વ અલંકારોને પરિહરી, પંચમુષ્ટિ લેચ કરી, સર્વ સાવધના ત્યાગરૂપે “ કરેમિ ભંતે’ ઉચ્ચરી, માગસરની દશમીએ દીક્ષા લઈ મહાસવથી, કષાયોને પણ ઉપશમાવતા, બાર વર્ષથી પણ અધિક ઘોર ઉપસર્ગ સહી, તપશ્ચર્યાને જે ભાર ઝીલ્યો છે, તે બીજા કોઈ પ્રભુએ નથી ઝી, એ વાતની આગમ સાક્ષી પૂરે છે.
દીક્ષા સમયે દેવોએ કરેલી પૂજામાં શરીરે લાગેલી દિવ્ય સુગધીની વાસનાના કારણે, ચાર ચાર મહીના સુધી વારંવાર શરીર પર આવી, અપાર ભન્નર આદિ પ્રાણિ ગણે
For Private And Personal Use Only