________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગિયાર ગણધરે પ્રભુને પ્રશ્નો પૂછવાને હેતુઃ
આ પ્રસંગે એ શંકા થાય છે કે-શ્રી ગૌતમસ્વામી તો દ્વાદશાંગીના રચનાર અને ચાર જ્ઞાનના ધારક હોવાથી સર્વજ્ઞ જેવા હતા, તે પછી પ્રભુને તેઓ શ્રી પ્રશ્નો પૂછે એમ કેમ બને? આના ઉત્તરમાં –ટીકાકાર ભગવંત જણાવે છે કે-(૧) ઉદયમાં વર્તાતા એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના પ્રતાપે ક્વસ્થને અનુપયોગ ભાવ હોય છે તેથી, (૨)-જાણતા છતાં પિતાના જ્ઞાનના સંવાદ માટે, (૩)-બીજાઓને શૈધ પમાડવા માટે, (૪)
શિષ્યોને ગુરૂ-વચન ઉપર દૃઢ શ્રદ્ધા થાય એવા ઈરાદાથી અથવા (૫) સૂત્ર-રચનાની વિધિ સાચવવા માટે, એમ પાંચમના કેઈ પણ કારણથી ગૌતમ મહારાજા પ્રભુને પ્રશ્ન પૂછતા હતા. કેશિગણધર સાથે પ્રસંગ:
શ્રી ગૌતમસ્વામીમાં અપૂર્વ વિનય ગુણ વસ્યો હતો, તેની ખાતરીને માટે કેશિગણધર મહારાજાનો પ્રસંગ સાક્ષી પૂરે છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા, ત્રણ જ્ઞાનના ધારક, મહાધુરંધર, શ્રી કેશિગણધર મહારાજા અને શ્રી ગૌતમ મહારાજા એક વખત શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. શ્રી કેશિગણધર તિન્દુક વનમાં પધાર્યા અને શ્રી ગૌતમ ગણધર કોષ્ટક નામના ઉદ્યાનમાં પધાર્યા. એટલે જે કુલનું માન સાચવીને વિનય નિધાન શ્રી ગૌતમ મહારાજ કેશિગણધરને મલવા પધાર્યા. શ્રી કેશિ મહારાજે તેમનું ગ્ય સન્માન સાચવ્યું. માંહોમાંહે એકબીજાએ સુખશાતાના સમાચાર પૂછા. અને બંને પ્રતિજ્ય પુરુષ ઘણું જ ખૂશી થયા. અવસર જોઈને શ્રી ગૌતમ ગણધરે કેશિગણધરના, મહાવ્રતની સંખ્યા, યેલક અચેલક ધર્મ ઈત્યાદિ બાબતોના તમામ પ્રશ્નોને શાંતિ પૂર્વક, મીઠી ભાષામાં ઉત્તર આપ્યા. જે સાંભળી શ્રી કેશિગણધર ગણા ખુશી થયા. દેવાદિની સભાને પણ આ વાત સાંભળી ઘણે જ આનંદ થયો. પછી શ્રી કેશિગણધરે “આપ શ્રી મહાજ્ઞાની અને ગાંભીર્યાદિ ગુણરત્નોના સમુદ્ર છો', એમ તવીને શ્રી ગૌતમ મહારાજની પાસે પંચ મહાવ્રત-ધર્મ અંગીકાર કર્યો. આ પ્રસંગમાંથી બોધ એ મળે છે કે – સરલતા અને કદાગ્રહરહિત સ્વભાવ એ બે મુખ્ય ગુણોથી મોટાઈ મળે છે. મોટા પુરૂષોના શુદ્ધ વર્તનની છાપ શિષ્યાદિ ઉપર અવશ્ય પડે છે. વડીલોને સદવર્તનમાં ભાવિ ઇવેનું ચક્કસ હિત સમાયેલું હોય છે. દ્વાદશાંગીની રચના :
પૂર્વે કહ્યા પ્રમાણે ચૌદ વિદ્યાના પારગામી, ક્ષાયોપથમિક સમ્યગદર્શનવાળા શ્રી ગૌતમ મહારાજ (આદિ ૧૧ ગણધર) દ્વાદશાંગીને રચનાર હતા. તેઓ પ્રભુ શ્રી વીરને ખમાસમણું દઈને પૂછતા કે “ભયવં! તત્ત કહેહ!” હે ભગવન તત્વને કહા ! એમ ત્રણ વાર પૂછવાથી અનુક્રમે પ્રભુએ ત્રિપદી જણાવી–જેને આધારે ગણધર મહારાજે બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરી. જેમ એક પુરુષ ઝાડ ઉપર ચડી ફૂલો ભેગાં કરી નીચે નાંખે, તે ફૂલોને માલી વસ્ત્રમાં ઝીલી તેની માલા બનાવે છે, તેમ સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરે કેવલજ્ઞાનરૂપી ઝાડ ઉપર ચડી, અનેકાર્થ-રહસ્ય-ગર્ભિત દેશના દ્વારા વચનરૂપિ ફૂલો વર્યા અને તે ફૂલેને વણીને યથાર્થ સ્વરૂપે-બીજબુદ્ધિ આદિ અનેક લબ્દિના ધારક શ્રી ગૌતમ (આદિ ૧૧ ગણધર) મહારાજે આચારાંગાદિ સુત્રો રૂપિ માલા ગુંથી. તેથી જ કહ્યું છે કે-“1 માસ બર, પુર્વ ધૃતિ ના નિકળે”
For Private And Personal Use Only