SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨૩ મહાવીરસ્વામી પાસે દીક્ષિત થનારા અનગારા ૨૮૩ અને પેાતાની માન્યતા ખોટી જણાતાં સામાની માન્યતાને સ્વીકાર કરે છે. આ ઉદારતા, ખરેખર, દરેક વખતે અને દરેક રીતે અનુકરણીય અને લાભપ્રદ છે. ૯. ઋષભદત્તઃ બ્રાહ્મણકુંડગામ નામના નગરમાં રહેનાર ઋષભદત્ત નામના બ્રાહ્મણુ, બહુ પ્રસિદ્ધ, ધનાઢય અને પ્રતાપી હતા. બ્રાહ્મણ હોવા છતાં પણ તે શ્રમણાનેા ઉપાસક, જીવાદિ તત્ત્વાના જાણકાર, અને પુણ્ય--પાપને ઓળખતા હતા. દેવાનઢા નામની તેની પત્ની હતી. એક વખત ભગવાન મહાવીરસ્વામી ગામનુગામ વિહાર કરતા આ બ્રાહ્મણકુંડગામ નગરમાં પધાર્યા. ઋષભદત્ત અને દેવાનંદા પોતાના કુટુંબ પરિવાર સાથે અહુશાલક ચૈત્યમાં આવે છે, કે જ્યાં પ્રભુ મહાવીર સમેર્યાં છે. દેવાનંદાએ જ્યાં ભગવાનને ઈંખ્યા કે તત્કાળ તેના સ્તનમાંથી દૂધ ઝયું. તેનાં મૈત્રે આનંદાશ્રુથી ભીનાં થયાં. હર્ષોંથી રામ-રાય વિકસ્વર થયાં. તે ભગવાનને જોતી જોતી જ ઉભી રહી ગઈ. શ્રી ગૌતમસ્વામી ભગવાને, આ સ્ત્રીને આ પ્રમાણે સ્તનમાંથી દૂધ ઝરવા વગેરેનું કારણ પૂછતાં ભગવાને કહ્યું : ગૌતમ ! દેવાનંદા બ્રાહ્મણી, એ તે મારી માતા છે. હું દેવાનંદા બ્રાહ્મણીને પુત્ર છું.” 66 તે પછી ભગવાન, ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાન દાને ધર્મોપદેશ સંભળાવે છે. પરિણામે ઋ“ભદત્ત બ્રાહ્મણ ભગવાનની પાસે જ દીક્ષા અંગીકાર કરે છે. દેવાનંદા બ્રાહ્મણીને પણ ભગવાન દીક્ષા આપે છે, અને ચંદના નામની આર્યાને ભગવાન સુપરત કરે છે. ઋષભદત્ત અને દેવાનંદાની દીક્ષાનું આ વર્ણન ભતવતીસૂત્ર શતક ૯, ઉદ્દેશા ૩૩ માં વિસ્તારથી છે. ૧૦, શ્યામહસ્તિ અનગાર : શ્યામહસ્તિ નામના અનેગાર પણુ ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય હતા. અને તે રાહુ અનગારની જેવા ભદ્ર પ્રકૃતિવાળા હતા. તેમણે ભગવાનને ‘ અસુર કુમારના ઈન્દ્ર ચમને ત્રાયસ્ત્રિ શક દેવા છે? વગેરે પ્રશ્નો પૂછ્યાની હકીકત ભગવતીમાં શતક ૧૦, ઉદ્દેશા ૪ માં આપેલી છે. એ સિવાય વિશેષ પરિચય નથી. ૧૧. શિવરાજ ઋષિક હસ્તિનાપુરને શિવ નામનો રાજા, પોતાના પુત્ર શિવભદ્રને ગાદી સોંપી, તામલીની માફક તાપસેાની પાસે દીક્ષિત થઇ, દિશાાક્ષકતાપસ રૂપે તાપસ થઇ, ચાવજીવ છડે છડની તપસ્યા કરતા વિચરે છે. તેની ઉગ્ર તપસ્યાના કારણે, અને પ્રકૃતીથી ભદ્ર હાવાથી તેને વિભગ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન વડે તે સાત દ્વીપેા ને સાત સમુદ્રો જૂએ છે. તેથી તે સાત દ્વીપા ને સાત સમુદ્રો સિવાય આગળ ક ંઈ નથી, એવી પ્રરૂપણા કરે છે. એવા અવસરમાં ભગવાન હસ્તિનાપુરમાં સમેાસરે છે. ગૌતમસ્વામી ગામમાં ગાચરી ાય છે અને શિવરાજની પ્રરૂપણા લેકેાના મુખથી સાંભળે છે. ભગવાનને પૂછે છે. ભગવાન્ ખુલાસા કરે છે. ગૌતમસ્વામી લેાક્રાને સત્ય સમજાવે છે. શિવરાજના કાને વાત જાય છે. શિવરાજ શકિત થાય છે. શિવરાજ ભગવાન મહાવીરસ્વામી પાસે આવે છે. ભગન શિવરાજને સમજાવવા માટી ધસભા સમક્ષ દેશના આપે છે. શિવરાજ ઋષિ આરાધક થાય છે. અને પછી ભગવાનની પાસે દીક્ષા લે છે અને For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy