________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
કાર્તિક આખરે મુક્તિ મેળવે છે. શિવરાજ ઋષિનું વિસ્તૃત વર્ણન ભગવતીસૂત્રના શતક ૧૧, ઉદેશા ૯ માં છે. ૧૨. સુદર્શન
- સુદર્શન એ વાણિજ્યગ્રામને રહેનાર અને શ્રમણોપાસક હતા. ભગવાન મહાવીરસ્વામી કઈ સમયે વાણિજ્યગ્રામના દૂતિ પલાસક નામના ચત્યમાં સમેસર્યો, ત્યારે આ શ્રમણોપાસક ભગવાનને વંદન કરવા આવ્યો. તેણે “ભગવન, કાલ કેટલા પ્રકાર છે?' વગેરે કેટલાક પ્રશ્નો ભગવાનને પૂછ્યા, ને સમાધાન મેળવ્યું. ભગવાને પ્રસંગોપાત્ત સુદર્શનના પૂર્વ ભવનું વર્ણન કહી બતાવ્યું એટલે સુદર્શનને વૈરાગ્ય થયો. અને તેણે ભગવાન પાસે દીક્ષા લીધી. આ સુદર્શનનું વર્ણન ભગવતીના શતક ૧૧, ઉદ્દેશા ૧૧ માં છે. ૧૩. ઉદાયન અનગાર:
ઉદાયન, એ સિંધુ સિવીર દેશને રાજા હતો. એની રાજધાની વીતભય નગરમાં હતી, એની રાણીનું નામ પ્રભાવતી. અભીજિ નામને તેને કુમાર હતો. કેશિ નામને તેનો ભાણેજ હતા. ઉદાયન રાજા સિંધુસૈવીર વગેરે સોળ દેશ, વીતભય આદ ત્રણસો સઠ નગર, મહાસેન વગેરે દસ મુકુટબંધ રાજાએ, અને એવા બીજા અનેક રાજાઓ વગેરેનું આધિપત્ય ભોગવતો હતે. ‘ભગવાન મહાવીરસ્વામી મારા નગર પધારે તો કેવું સારું?” એવી ભાવના ભાવતા ઉદાયન રાજાની ભાવના એક વખતે સફળ થાય છે. પ્રભુ વીતભય નગરના મૃગવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળી ઉદાયન રાજાને દીક્ષા લેવાની ભાવના થાય છે, પરંતુ રાજ્યાભિષેક પિતાના પુત્ર અભીજિ કુમારને કરવો કે ભાણેજ કેશીને કરવો, એ વિચાર થાય છે. “મારો પન રાય ભોગવતાં કામ ભોગમાં મૂચ્છિત થઈ અનાદિ અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. માટે મારા ભાણેજ કેશિને ગાદી સોંપી મારે દીક્ષા લેવી ઠીક છે,” એમ નક્કી કરે છે. ઉદાયન જે હેતુથી પિતાના પુત્રને રાજ્યાભિષેક કરવામાં પાછો પડે છે, એ હેતુનો વિચાર પોતાના ભાણેજને માટે કેમ ન આવ્યો?—એ વિચિત્ર વસ્તુ છે. આખરે કેશિકારનો અભિષેક થાય છે, અને પોતે – ઉદાયન રાજા ભગવાન મહાવીરસ્વામી પાસે જઈને દીક્ષા લે છે.
પિતાના પિતાએ પિતાને ગાદી નહિ આપવાના કારણે, અભીજિ કુમાર દુઃખિત થઈ અંતઃપુરના પરિવાર સાથે થોડી સામગ્રી લઇને ચાલ્યો જાય છે. તે ચંપાનગરી પરચે છે. ત્યાં કુણિકનો આશ્રય લે છે. ત્યાં પણ તેને ઘણી ભેગ-સામગ્રી મળે છે. તે પછી તે શુદ્ધ શ્રાવક બને છે. છાદિ તત્વને જાણકાર થાય છે. છતાં ઉદાયન પ્રત્યેના વૈરથી તે મુક્ત થતું નથી. ભગવતીસૂત્રના શતક ૧૩ના ઉદ્દેશા ૬માં કહ્યા પ્રમાણે તે મરીને નરકે જાય છે. શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, તે ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે.
એ પ્રમાણે ભગવતીસૂત્રમાં ઉલિખિત, પ્રભુ મહાવીરના થોડાક અપ્રસિદ્ધ શિષ્યોને પરિચય ઉપર આપવામાં આવ્યો છે. આ સિવાય જમાલી, મંખલીપુત્ર ગોશાળ જેવા શિષ્યાભાસોને પરિચય પણ આપવા જેવું છે, પરંતુ લેખ વિસ્તિષ્ણુતાના કારણે તે પરિચય ભવિષ્ય ઉપર રાખી હાલ તે અહીં જ વિરમું છું.
For Private And Personal Use Only