SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧૯૯૪ મહાવીર સ્વામી પાસે દીક્ષત થનારા અનુગાર -અમર છે, ૨૮, ત્રણ પ્રદક્ષિણા દે છે. ભગવાન સ્કંદ અને વૈશાલિક નિગ્રંથ પિંગલકને પ્રસંગ કહી બતાવીને પછી કાદિનું સ્વરૂપ પ્રકાશે છે. આ ઉપરાગત મરણના ભેદ અને બીજી જે જે બાબતોની શંકાઓ કંદકને હતી, એ બધી બાબતેનું સમાધાન ભગવાન કરે છે. ભગવાનના પ્રવચનથી કુંદકને રૂચિ ઉત્પન્ન થઈ ભગવાન પ્રત્યે એને શ્રદ્ધા થઈ છેવટે તેણે પિતાની ઈચ્છા પ્રભુ પાસે વ્યક્ત કરી કે – “હે ભગવન, હું આપની પાસે પ્રત્રજિત – દીક્ષિત થવા ઈચ્છું છું.” તે પછી ભગવાને સ્વયં કંઇકને દીક્ષા આપી. સૂત્રકાર કહે છે : “तएण समणे भगवं महावीरे दयं कचायणसगोतं सयमेव पवावे: " દીક્ષા લીધા પછી ભગવાનની આજ્ઞા લઈને તે પોતાનું જીવન ઘોર તપસ્યા કરવામાં વ્યતીત કરે છે. ભિક્ષુપ્રતિમાઓ વહન કરે છે. ગુણરત્નસંવત્સર નામનો તપ કરે છે. ઘણી તપસ્યાઓથી શરીર અતિ કૃશ કરી નાખે છે. છેવટે – ભગવાનની આજ્ઞા લઈ વિપુલપર્વત પર જઈ એક મહિનાની સંખના કરીને કાળધર્મ પામે છે. શ્રી ગૌતમસ્વામીના પૂછવાથી, ભગવાને જણાવ્યું કે સ્કંદક અનગાર અચુકપમાં દેવપણે ઉત્પન્ન થએલ છે. ત્યાં બાવીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ, સિદ્ધ–બુદ્ધ-મુક્ત થશે, પરિનિર્વાણ પામશે. ૩. તિષ્યક અનગર : તિર્થક અનગાર પણ ખુદ પરમાત્મા મહાવીરદેવના શિષ્ય હોવાનું ભગવતી સૂત્રના શતક ૩, ઉદ્દેશા ૧ માં જણાવવામાં આવ્યું છે. યદ્યપિ આ અનગારને પણ ખાસ વિશેષ પરિચય આપવામાં આવ્યું નથી. ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિ અનગાર, ભગવાનને શક્રાદિ ઈન્દ્રોની સૃદ્ધિ અને વિકુવણ શક્તિ સંબંધી પ્રશ્નો પૂછે છે, તે પ્રસંગે એક એ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જ્યારે શક ઇંદ્ર એટલી મોટી ઋદ્ધિવાળે અને વિમુર્વણની શક્તિવાળે છે તો પછી સ્વભાવે ભદ્ર, વિનીત, નિરંતર છઠ છઠની તપસ્યા કરીને આત્માને ભાવતા, આઠ વર્ષ સુધી સાધુપણું પાળીને માસિક સંખના કરીને સમાધિ પૂર્વક કાળ કરીને આપને શિષ્ય તિષ્યક નામને અનગાર સૌધર્મ કલ્પમાં, પિતાના વિમાનમાં ઉત્પન્ન થયો છે. . . . તે કેટલી મોટી ઋદ્ધિવાળા અને કેટલું વિફર્વણ કરી શકે છે ?” આ ઉપરથી જણાય છે કે, ભગવાન મહાવીરસ્વામીને તિષ્યક નામને શિષ્ય હતો, અને તે સાધમ દેવલોકમાં ઉત્પન્ન થયો હતો. આથી અતિરિક્ત તિષ્યકનો વિશેષ પરિચય આલેખવામાં આવ્યું નથી. ૪. કુરદત્ત પુત્ર: તિર્થક અનગારની માફક ભગવતીસૂત્રના શતક ૩. ઉદ્દેશ ૧માં કુરૂદત્તપુત્ર નામના અનગાર ભગવાન મહાવીરસ્વામીના શિષ્ય હોવાનું જણાવ્યું છે. કુરૂદત્તપુત્ર પણ સ્વભાવે શાન, ભદ્ર, વિનીત હતા. નિરંતર અટ્ટમ અમને પારણે આંબીલ એવી કઠિન તપસ્યા કરી, તેમજ સૂર્યની હામે આતાપના લઈ, પૂરા છ મહીનાનું સાધુપણું પાળી, પંદર દિવસની સંખના કરી, સમાધિ પૂર્વક કાળ કરી ઈશાન દેવલોકમાં ઈશાનેન્દ્રના સામાનિક દેવપણે For Private And Personal Use Only
SR No.521516
Book TitleJain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1936
Total Pages231
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size102 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy